January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

ઉમરગામ તાલુકા પંચાયતની સામાન્‍ય સભા યોજાઈ

વિકાસના કામના આયોજનમાં તમામ વિસ્‍તારને ન્‍યાય આપતા સભ્‍યોમાં જોવા મળેલી ખુશી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.12: ઉમરગામ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રમેશભાઈ ધાંગડાના અધ્‍યક્ષ હેઠળ આજરોજ સામાન્‍ય સભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. પ્રારંભ થયેલી સામાન્‍ય સભામાં ગત સભાની કાર્યવાહીને બહાલી આપ્‍યા બાદ એજન્‍ડા મુજબ સભાને આગળ વધાવવામાં આવી હતી. જેમાં વર્ષ 2022-23 ની 15 માં નાણાપંચ અને સ્‍ટેમ્‍પ ડયુટીની રૂા.4.82 કરોડ ગ્રાન્‍ટની રકમનું વિકાસના કામનું આયોજન કરવામાં આવ્‍યું હતું. વિકાસના કામના આયોજનમાં તમામ બેઠકોને પ્રાધાન્‍ય આપતા તમામ સભ્‍યો સંતોષ જણાતાં હતા. આજની સભાની બેઠક પહેલા ભાજપ સંગઠનના પ્રમુખ શ્રી દિલીપભાઈ ભંડારી અને સંગઠનના મંત્રી શ્રી પ્રકાશભાઈ પટેલે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રમેશભાઈ ધાંગડા અને કારોબારી અધ્‍યક્ષ શ્રી ચિંતનભાઈ પટેલ જોડેચર્ચા-વિચારણા કરી હતી અને વિકાસના કામના આયોજનમાં તમામ વિસ્‍તાર અને તમામ બેઠકને ન્‍યાય આપવા નક્કી કર્યું હતું. જે મુજબ નિર્ણય લેવાતા તમામ સભ્‍યો ખુશ જણાયા હતા.
આજની સભામાં તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રમેશભાઈ ધાંગડા, કારોબારી અધ્‍યક્ષ ચિંતનભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રીમતી પ્રતિમાબેન પટેલ, તેમજ તાલુકા પંચાયતના તમામ સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા. આ ઉપરાંત ભાજપ ભાજપ સંગઠનના પ્રમુખ શ્રી દિલીપભાઈ ભંડારી અને સંગઠનના મંત્રી શ્રી પ્રકાશભાઈ પટેલ પણ ઉપસ્‍થિત રહ્યા હતા. સભાનું સફળ સંચાલન તાલુકા વિકાસ અધિકારી શ્રી અક્ષયભાઈ રાજપૂત દ્વારા કરવામાં આવ્‍યું હતું.
—————–

ઉમરગામ પાલિકાની મળેલી સામાન્‍ય સભામાં વિકાસના મુદ્દે સભ્‍યોમાં જોવા મળેલો અસંતોષ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.12: ઉમરગામ પાલિકાની આજરોજ મળેલી સામાન્‍ય સભામાં મોટાભાગના પાલિકાના સભ્‍યોમાં મંદ પડેલા વિકાસના મુદ્દે ભારે નારાજગી જોવા મળી હતી. શાસક પક્ષના જ કેટલાક સભ્‍યોએ વહીવટમાં થયેલી ગેરરીતિના મુદ્દે સવાલ ઊભો કરી હોદ્દેદારોને બાનમાં લેવાનો પ્રયત્‍ન કર્યો હતો. તેમજ પાલિકા દ્વારા કરવામાં આવેલી ચુકવણી અને થયેલા વિકાસના કામ વચ્‍ચે તાલમેલ મળતો ન હોવાનો આરોપ વિરોધ પક્ષ દ્વારા મૂકવામાં આવ્‍યો હતો. બચાવની ભૂમિકામાંઆવી ગયેલા હોદ્દેદારોએ રૂા.19 કરોડના કામનું આયોજન અને વહીવટી મંજૂરી મળી ગઈ હોવાનું જણાવ્‍યું હતું. તેમજ આ કામની ટેન્‍ડરિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કામો શરૂ કરવામાં આવશે એવી હૈયાધરપત આપવામાં આવી હતી.
પાલિકાની આજરોજ મળેલી સામાન્‍ય સભામાં અધ્‍યક્ષ સ્‍થાને પાલિકાના પ્રમુખ શ્રીમતી ચારુશીલાબેન પટેલ, કારોબારી અધ્‍યક્ષ શ્રી ગૌરાંગભાઈ માછી, પાલિકાના ઉપપ્રમુખ શ્રી ગણેશભાઈ બારી સહિત તમામ સભ્‍યોની ઉપસ્‍થિતિ જોવા મળી હતી. સભાનું સફળ સંચાલન પાલિકાના ચીફ ઓફિસર શ્રી જીગ્નેશભાઈ બારોટ દ્વારા કરવામાં આવ્‍યું હતું.

Related posts

પારડીના ઐતિહાસિક તળાવમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્‍યો

vartmanpravah

વલસાડમાં 25મી ડિસેમ્‍બરે ચારણ-ગઢવી સેવા સમાજ ટ્રસ્‍ટ ‘આઈ સોનલ માઁ’ ના પ્રાગટય પર્વ નિમિત્તે ‘સોનલ બીજ’ની ઉજવણી કરશે

vartmanpravah

દાનહમાં કામ કરતી આંગણવાડી કાર્યકર્તા બહેનોએ પગાર વધારવા જિલ્લા કલેક્‍ટર પાસે માંગેલી દાદઃ 10 દિવસની અંદર સમસ્‍યાના સમાધાનનું કલેક્‍ટરશ્રીએ આપેલું આશ્વાસન

vartmanpravah

વાપી ચણોદ કોલોનીમાં ટ્રાન્‍સપોર્ટમાં નોકરી કરતા આધેડે ફાંસો ખાઈ આપઘાત કર્યો: મૃતકના ભાઈએ પોલીસને જાણ કરી

vartmanpravah

ભારત સરકારના કુદરતી ગેસ મંત્રાલય અને બાલ્‍મેર લોરીના સંયુક્‍ત પ્રયાસથી દાનહના સાયલી અને ખડોલી ગામોની 7પ વંચિત આદિવાસી મહિલાઓના સશક્‍તિકરણ માટે શરૂ થનારો આજીવિકા સંબંધિત પ્રોજેક્‍ટ

vartmanpravah

કેન્‍દ્રિય રમત-ગમત અને યુવા બાબતોના વિભાગ દ્વારા કીર્તિ કાર્યક્રમ અંતર્ગત નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ક્રિકેટ ગ્રાઉન્‍ડ ઉપર યુવા ખેલાડીઓ માટે પ્રતિભા મૂલ્‍યાંકન શિબિરનું આયોજન

vartmanpravah

Leave a Comment