(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવક)
ચીખલી (વંકાલ), તા.1પ: પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ ફરિયાદી વૈભવભાઈ નાથુભાઈ પટેલ (રહે.ધેકટી વડ ફળીયા તા.ચીખલી) ગત તા.9/9/2022 ના રોજ ગણેશ વિસર્જનના દિવસે રાત્રે જમણવાર કરીને બેઠો હતો તે દરમિયાન ગામના જ જીગ્નેશ પરભુભાઈ પટેલ ત્યાં આવી લાકડીથી માર મારતા મૂઢ માર વાગતા હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી અને જતી વખતે આજે તો તું બચી ગયો છે હવે પછી તો હું તને મારી જ નાખીશ તેવી ધમકી આપી હતી. જીગ્નેશ શંકાસ્પદ ડામર રાખવા બાબતે પોલીસમાં પકડાયેલ હોય જે બાતમી પોલીસમાં આપેલ હોવાની શંકા રાખી અગાઉ થયેલઝઘડાની અદાવત રાખી માર્યો હોવા મુજબની ફરિયાદમાં પોલીસે જીગ્નેશ પરભુભાઈ પટેલ (રહે.ધેકટી વડ ફળીયા અંબામાતાના મંદિર પાસે તા.ચીખલી) સામે આઇપીસી 323,504,506 (2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ ચીખલી પોલીસ સ્ટેશનના અલ્પેશભાઈ પટેલ કરી રહ્યા છે.