March 4, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

ખરડપાડાની ધ સુપ્રીમ ઈન્‍ડસ્‍ટ્રીઝ લી.માં ટોયલેટમાં લપસી પડતાં યુવાનનું થયેલું મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.21: દાદરા નગર હવેલીના ખરડપાડા વિસ્‍તારમાં આવેલ એકકંપનીમાં મોત થતાં દોડધામ મચી જવા પામી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ ખરડપાડા ગામે આવેલ ધ સુપ્રીમ ઇન્‍ડસ્‍ટ્રીઝ લીમીટેડમાં કામ કરતા દિપક (ઉ.વ.27) મૂળ રહેવાસી ઓરિસ્‍સા જે કુદરતી હાજતે ટોયલેટમાં ગયા હતો તે સમયે અચાનક કોઈક કારણસર લપસી પડયા હતા. કંપનીમાં કામ કરતા અન્‍ય કર્મચારીની ખબર પડતા કંપની સંચાલકને જાણ કરી હતી, તેઓએ યુવકને જોતાં તેનું ઘટના સ્‍થળ ઉપર મોત થયાનું માલૂમ પડયું હતું. ત્‍યારબાદ આ ઘટના અંગે પોલીસને જાણ કરતા ક્રાઇમ બ્રાન્‍ચના પી.આઈ. શ્રી હરેશસિંહ રાઠોડ, પી.એસ.આઇ. શ્રી સુરજ રાઉત અને એમની ટીમ પહોંચી હતી અને લાશનો કબ્‍જો લઈ પી.એમ. માટે સિવિલ હોસ્‍પિટલમાં મોકલી આપવામાં આવી હતી. આ યુવાનનું કયા કારણસર મોત થયું છે એ પોસ્‍ટ મોર્ટમ(પી.એમ.) રિપોર્ટ આવ્‍યા બાદ જ ખબર પડશે. આ ઘટના અંગે અકસ્‍માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.

Related posts

તા.૩ જૂન વિશ્વ સાયકલ દિવસ

vartmanpravah

વલસાડ તડકેશ્વર મહાદેવ મંદિર રેલવે ઓવરબ્રિજ પાસે ખાનગી કંપનીની બસને અકસ્માત નડ્યો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વ અને દિશા-નિર્દેશ હેઠળ દમણ જીએસટી વિભાગ પોતાનો દાયરો વધારશેઃ 11થી 30 એપ્રિલ સુધી દરેક પંચાયતો ઉપર રજીસ્‍ટ્રેશન કેમ્‍પનું આયોજન

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વ હેઠળની સરકારે આતંકવાદને રોકવા માટે અપનાવેલી આક્રમક વ્‍યૂહરચનાઃ કેન્‍દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ

vartmanpravah

વાપી વીઆઈએમાં સુરતના રેન્‍જ આઈજી વી. ચંદ્રશેખરના અધ્‍યક્ષ સ્‍થાને લોક દરબાર યોજાયો

vartmanpravah

દાનહ વનકર્મીઓની ટીમે દૂધની અને કરચોંડથી ઘુવડ સાથે બે વ્‍યક્‍તિની કરેલી ધરપકડ

vartmanpravah

Leave a Comment