Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દમણ-દીવના ઓરિસ્‍સાવાસીઓએ રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુની કરાયેલી પસંદગીને આવકારી અને પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનો વ્‍યક્‍ત કરેલો આભાર

મહિલાઓએ રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુની તસવીરવાળી સાડીનું કરેલું પરિધાનઃ પુરૂષોએ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના લગાવેલા બેજ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17: દમણ-દીવમાં વસેલા ઓરિસ્‍સા વિસ્‍તારના લોકોએ આજે એક કાર્યક્રમ દ્વારા રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર શ્રીમતી દ્રૌપદી મુર્મુની પસંદગીને આવકારી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીનો આભાર પ્રગટ કર્યો હતો.
દમણના મહિલા ભવન ખાતે આયોજીત ઓરિસ્‍સાવાસીઓના અગ્રણીઓએ દીપ પ્રજ્‍વલિતકરી કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો અને બાળકોએ સાંસ્‍કૃતિક કાર્યક્રમ પણ આયોજીત કર્યો હતો.
આ પ્રસંગે શ્રીમતી દ્રૌપદી મુર્મુના જીવન અને કવન ઉપર આગેવાનોએ હિન્‍દી, ઉડિયા, અંગ્રેજી ભાષામાં પ્રકાશ પાડયો હતો. એક ઓરિસ્‍સાના છેવાડેના ગામમાં રહેતી આદિવાસી દિકરી જ્‍યારે દેશના સર્વોચ્‍ચ બંધારણીય પદ ઉપર બિરાજમાન થવા જઈ રહી છે ત્‍યારે સમગ્ર લોકોમાં આનંદ અને ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો. ઓરિસ્‍સાવાસીઓએ રાષ્‍ટ્રપતિ બન્‍યા બાદ શ્રીમતી દ્રૌપદી મુર્મુની દમણ મુલાકાતનો પણ આગ્રહ રાખ્‍યો છે.
આજે ઓરિસ્‍સાની મૂળ રહેવાસી બહેનોએ પોતાની સાડી ઉપર શ્રીમતી દ્રૌપદી મુર્મુની તસવીર અને પુરૂષોએ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના બેજ લગાવ્‍યા હતા. જેના કારણે સમગ્ર સભાખંડ મોદીમય અને દ્રૌપદી મુર્મુમય બની ગયો હતો.

Related posts

રાજ્‍યના નાણાં ઊર્જા અને અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રી કનુભાઈ દેસાઈએ ‘‘નિર્મળ ગુજરાત 2.0” અંતર્ગત વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સાથે સમીક્ષા બેઠક યોજી

vartmanpravah

દમણ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં ખેલ મહોત્‍સવનો થનગનાટ : એપ્રિલના ત્રીજા-ચોથા સપ્તાહથી થનારો આરંભ

vartmanpravah

21મી મેના રવિવારે ખાનવેલના ચૌડા ગ્રાઉન્‍ડ ખાતે દાનહ આદિવાસી કલા ઉત્‍સવ સમિતિ દ્વારા પ્રદેશની આદિવાસી પરંપરા અને સંસ્‍કૃતિને નવું જોમ આપવા ‘તારપા મહોત્‍સવ’ યોજાશે

vartmanpravah

દાનહમાં 12થી 14વર્ષના બાળકો માટે કોવીડ ટીકાકરણની શરૂઆત કરાઈ

vartmanpravah

ઉમરગામ સોલસુંબાના ભવ્ય જૈન દેરાસરની ૨૩મી વર્ષગાંઠની કરાયેલી ઉજવણી

vartmanpravah

68મા મહા પરિનિર્વાણ દિન નિમિત્તે દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા વિશ્વ વંદનીય ભારત રત્‍ન ડો.બાબાસાહેબ આંબેડકરને અપાયેલી પુષ્‍પાંજલિ

vartmanpravah

Leave a Comment