(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.31
દાદરા નગર હવેલીમા ભારે વરસાદને કારણે મુખ્ય રસ્તાઓ સહિત ગ્રામ્ય વિસ્તારના આંતરિક રસ્તાઓ જર્જરિત થઇ ગયા છે જે સંદર્ભે ગામ લોકો દ્વારા જન પ્રતિનિધિઓને રજૂઆત કરવામાં આવી હતી છતાં પણ ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ કામચલાઉ પણ રીપેરીંગ ના કરતા પારકી આશ સદા નિરાશ જાત મેહનત જિંદાબાદના સૂત્ર સાથે ખાનવેલ ડુંગરીપાડા-ખારીપાડા રોડની ખરાબ હાલતને કારણે હેરાનગતિ ભોગવતાલોકોને રાહત મળે એ માટે ત્યાંના સ્થાનિક યુવાનો એકજુટ થઇ રોડ પર પડેલા ખાડા પુરી રસ્તાની મરામત કરવાનુ કામ કર્યું હતુ.