January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ડાયાબિટીસ મુક્‍ત ગુજરાતઃ વલસાડમાં માત્ર ડાયાબિટીસના દર્દીઓ માટે યોગ શિબિર યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.05: ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડની રચના કરવામાં આવી છે ત્‍યારે યોગ દ્વારા દરેક લોકો ડાયાબિટીસથી મુક્‍ત થઈ શારીરિક, માનસિક અને આધ્‍યાત્‍મિક જીવન જીવી શકે તેવા ઉદેશ્‍ય સાથે ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડ દ્વારા ‘‘મધુમેહ મુક્‍ત ગુજરાત” અભિયાનનો પ્રારંભ થનાર છે, જેના ભાગરૂપે તા.14 નવેમ્‍બરથી તા.28 નવેમ્‍બર સુધી વલસાડના તિથલ ખાતે સોલ્‍ટીરિસોર્ટની સામે ગ્રામ પંચાયતના પાર્કિંગમાં યોગ શિબિરનું આયોજન કરાયું છે. જેમાં ડાયાબિટીસ ગ્રસ્‍ત લોકો જ જોડાઈ શકશે.
શિબિરમાં ભાગ લેવા પૂર્વે લોકોનું ડાયાબિટીસ પરીક્ષણ કરાશે. ત્‍યારબાદ નિષ્‍ણાત તબીબો દ્વારા નિદાન બાદ યોગ, પ્રાકળતિક ચિકિત્‍સા દ્વારા ડાયાબિટીસથી મુક્‍ત કરવાનો પ્રયત્‍ન કરાશે. શિબિરમાં ભાગ લેવા માટે રજીસ્‍ટ્રેશન કરાવવું ફરજિયાત છે. બીજી કોઈ બીમારી કે તકલીફ હોય તેના રિપોર્ટ સાથે આયોજકને જાણ કરવાની રહેશે. ત્‍યારબાદ રોજ સવારે 6 થી 8 વાગ્‍યા સુધી અભ્‍યાસ માટે જોડાવાનું રહેશે. ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડના ઝોન કો-ઓર્ડીનેટર પ્રીતીબેન પાંડેનો મો.નં. 8160261202 અથવા જિલ્લાના કો-ઓર્ડીનેટર પ્રીતિબેન વૈષ્‍ણવનો મો.નં. 9998213149નો સંપર્ક કરી વોટ્‍સઅપ પર મેસેજમાં નામ, મોબાઈલ નંબર, શહેર અને બીમારીનું નામ લખી રજીસ્‍ટ્રેશન કરાવી શકાશે.

Related posts

દમણ જિલ્લા માહ્યાવંશી સમાજના પ્રતિનિધિઓએ ડીપીએલ-3માં પહોંચી ખેલાડીઓનો વધારેલો ઉત્‍સાહ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને રાષ્‍ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ જોડે કરેલી મુલાકાત

vartmanpravah

ચીખલી તાલુકાના સતાડીયા ગામે બસનો કાચ સાફ કરતી વેળાએ નીચે પટકાયેલા ડ્રાઇવર પર બસ ચડી જતા મોત

vartmanpravah

વલસાડ રેલવે સ્‍ટેશન પરથી મળી આવેલ સગીરાનો જી.આર.પી.એ પરિવાર સાથે મેળાપ કરાવ્‍યો

vartmanpravah

ચીખલીની તથ્‍ય ફાર્મસી કોલેજના કમ્‍પાઉન્‍ડમાંથી ખેરગામની યુવતી ગુમ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી

vartmanpravah

વલસાડની કોમર્સ કોલેજનો આંતર કોલેજ રસ્‍સાખેંચ રમતમાં દબદબો, 8 વિદ્યાર્થીઓ રાષ્‍ટ્રીય કક્ષાએ રમવા જશે

vartmanpravah

Leave a Comment