October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ડાયાબિટીસ મુક્‍ત ગુજરાતઃ વલસાડમાં માત્ર ડાયાબિટીસના દર્દીઓ માટે યોગ શિબિર યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.05: ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડની રચના કરવામાં આવી છે ત્‍યારે યોગ દ્વારા દરેક લોકો ડાયાબિટીસથી મુક્‍ત થઈ શારીરિક, માનસિક અને આધ્‍યાત્‍મિક જીવન જીવી શકે તેવા ઉદેશ્‍ય સાથે ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડ દ્વારા ‘‘મધુમેહ મુક્‍ત ગુજરાત” અભિયાનનો પ્રારંભ થનાર છે, જેના ભાગરૂપે તા.14 નવેમ્‍બરથી તા.28 નવેમ્‍બર સુધી વલસાડના તિથલ ખાતે સોલ્‍ટીરિસોર્ટની સામે ગ્રામ પંચાયતના પાર્કિંગમાં યોગ શિબિરનું આયોજન કરાયું છે. જેમાં ડાયાબિટીસ ગ્રસ્‍ત લોકો જ જોડાઈ શકશે.
શિબિરમાં ભાગ લેવા પૂર્વે લોકોનું ડાયાબિટીસ પરીક્ષણ કરાશે. ત્‍યારબાદ નિષ્‍ણાત તબીબો દ્વારા નિદાન બાદ યોગ, પ્રાકળતિક ચિકિત્‍સા દ્વારા ડાયાબિટીસથી મુક્‍ત કરવાનો પ્રયત્‍ન કરાશે. શિબિરમાં ભાગ લેવા માટે રજીસ્‍ટ્રેશન કરાવવું ફરજિયાત છે. બીજી કોઈ બીમારી કે તકલીફ હોય તેના રિપોર્ટ સાથે આયોજકને જાણ કરવાની રહેશે. ત્‍યારબાદ રોજ સવારે 6 થી 8 વાગ્‍યા સુધી અભ્‍યાસ માટે જોડાવાનું રહેશે. ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડના ઝોન કો-ઓર્ડીનેટર પ્રીતીબેન પાંડેનો મો.નં. 8160261202 અથવા જિલ્લાના કો-ઓર્ડીનેટર પ્રીતિબેન વૈષ્‍ણવનો મો.નં. 9998213149નો સંપર્ક કરી વોટ્‍સઅપ પર મેસેજમાં નામ, મોબાઈલ નંબર, શહેર અને બીમારીનું નામ લખી રજીસ્‍ટ્રેશન કરાવી શકાશે.

Related posts

વાંસદાના સિણધઈ ગામે દીપડાએ ધોળા દિવસે બે ખેત મજૂરો પર હુમલો કરતા લોહી લુહાણ

vartmanpravah

વલસાડમાં સદગુરુ શ્રી સતપાલ મહારાજની પાવન જન્‍મજ્‍યંતીની ઉજવણી

vartmanpravah

ભીલાડ સ્‍વામિનારાયણ ગુરુકુળના સભાખંડમાં એક શામશહીદો કે નામ કાર્યક્રમ રંગે ચંગે યોજાયો

vartmanpravah

સરીગામ ખાતે યોજાયેલા પોલીસ લોક દરબારમાં એક પણ ફરિયાદ સામે ના આવતા પોલીસ કથાકાર અને ઉપસ્‍થિત આગેવાનોની મુક પ્રેક્ષક જેવી નિર્માણ થયેલી સ્‍થિતિ

vartmanpravah

દાનહ એક્‍સાઇઝ વિભાગે ખેરડી બોર્ડર પરથી ગેરકાયદેસર દારૂનો જથ્‍થો ભરેલ આઈસર ટેમ્‍પો ઝડપી પાડયો

vartmanpravah

સામરવરણી ખાતેની ખાનગી શાળાની વિદ્યાર્થીની સાથે થયેલ દુષ્‍કર્મની ઘટનાના વિરોધમાં મસાટ પંચાયત દ્વારા કલેક્‍ટરને આપવામાં આવેલું આવેદન પત્ર

vartmanpravah

Leave a Comment