July 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ડાયાબિટીસ મુક્‍ત ગુજરાતઃ વલસાડમાં માત્ર ડાયાબિટીસના દર્દીઓ માટે યોગ શિબિર યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.05: ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડની રચના કરવામાં આવી છે ત્‍યારે યોગ દ્વારા દરેક લોકો ડાયાબિટીસથી મુક્‍ત થઈ શારીરિક, માનસિક અને આધ્‍યાત્‍મિક જીવન જીવી શકે તેવા ઉદેશ્‍ય સાથે ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડ દ્વારા ‘‘મધુમેહ મુક્‍ત ગુજરાત” અભિયાનનો પ્રારંભ થનાર છે, જેના ભાગરૂપે તા.14 નવેમ્‍બરથી તા.28 નવેમ્‍બર સુધી વલસાડના તિથલ ખાતે સોલ્‍ટીરિસોર્ટની સામે ગ્રામ પંચાયતના પાર્કિંગમાં યોગ શિબિરનું આયોજન કરાયું છે. જેમાં ડાયાબિટીસ ગ્રસ્‍ત લોકો જ જોડાઈ શકશે.
શિબિરમાં ભાગ લેવા પૂર્વે લોકોનું ડાયાબિટીસ પરીક્ષણ કરાશે. ત્‍યારબાદ નિષ્‍ણાત તબીબો દ્વારા નિદાન બાદ યોગ, પ્રાકળતિક ચિકિત્‍સા દ્વારા ડાયાબિટીસથી મુક્‍ત કરવાનો પ્રયત્‍ન કરાશે. શિબિરમાં ભાગ લેવા માટે રજીસ્‍ટ્રેશન કરાવવું ફરજિયાત છે. બીજી કોઈ બીમારી કે તકલીફ હોય તેના રિપોર્ટ સાથે આયોજકને જાણ કરવાની રહેશે. ત્‍યારબાદ રોજ સવારે 6 થી 8 વાગ્‍યા સુધી અભ્‍યાસ માટે જોડાવાનું રહેશે. ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડના ઝોન કો-ઓર્ડીનેટર પ્રીતીબેન પાંડેનો મો.નં. 8160261202 અથવા જિલ્લાના કો-ઓર્ડીનેટર પ્રીતિબેન વૈષ્‍ણવનો મો.નં. 9998213149નો સંપર્ક કરી વોટ્‍સઅપ પર મેસેજમાં નામ, મોબાઈલ નંબર, શહેર અને બીમારીનું નામ લખી રજીસ્‍ટ્રેશન કરાવી શકાશે.

Related posts

દમણઃ દાભેલના આગેવાન ગુલાબભાઈ પટેલની 6 જેટલી ગેરકાયદે બિલ્‍ડીંગ/ઈમારતોના ડિમોલીશનનું કાઉન્‍ટ-ડાઉન શરૂ

vartmanpravah

વાપી આશાધામ સ્‍કૂલની વિદ્યાર્થીની સ્‍ટેટ રાયફલ શૂટિંગ ચેમ્‍પિયન સ્‍પર્ધામાં ભાગ લેશે

vartmanpravah

ચીખલી વન વિભાગના સ્‍ટાફે જોગવાડ ગામેથી ખેરના લાકડાનો ગેરકાયદેસર જથ્‍થો ઝડપી પાડયો

vartmanpravah

દાદરા નગર હવેલીમાં અઢી ઇંચથી વધુ વરસાદ પડયો

vartmanpravah

કેબિનેટ મંત્રીમનસુખભાઈ માંડવીયાએ VGELની મુલાકાત લઈ પાણી શુદ્ધિકરણ પ્રક્રિયા અંગે જાણકારી મેળવી

vartmanpravah

બિહાર વેલ્ફેર એસેસિએશનના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ વિપુલ સિંહે દેહરી ખાતે કષ્ટ ભંજન મંદિરે હનુમાન દાદાના દર્શન કર્યા

vartmanpravah

Leave a Comment