Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પ્રતિમા બનતા મહિના લાગે મંદિર બનતા વર્ષો લાગે પણ ભક્‍ત બનતા જિંદગી’ય ઓછી પડે : આચાર્ય યશોવર્મસુરીજી

નંદીગ્રામ તીર્થમાં આજથી શ્રી લબ્‍ધિ વિક્રમ કુમાર સંસ્‍કાર શિબિરનો ભવ્‍ય પ્રારંભ થશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: ભક્‍ત થવું ભક્‍તિ કરવી એ આંતરિક સંવેદના છે. મૂર્તિને મંદિરનું નિર્માણ એ બાહ્ય ઘટના છે. ઘટના વારેવારે ઘટે બને કેમ કે નિયમિતને આધીન છે જ્‍યારે સંવેદના કવચિત જન્‍મે કેમ કે એ ચિતની ઉપજ છે. પરમાત્‍માને દ્રવ્‍ય સમર્પણ ઘણું કર્યું. હવે દિલ સમર્પણ કરીએ પછી… બારેમાસઆનંદ. મુંબઈ અમદાવાદ હાઈવે રોડ નંદીગ્રામ તીર્થમાં ઉપરોક્‍ત ચિંતન બાળ સંસ્‍કાર શિબિરના પ્રણેતા હૃદય સ્‍પર્શી પ્રવચનકાર પૂજ્‍યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ વિજય યશોવર્મસુરિશ્વરજી મહારાજા એ વહાવ્‍યુ હતું ને વધુમાં જણાવ્‍યું હતું કે ભક્‍તિ કરવી ને ભક્‍ત બનવું સૌથી કઠિન છે કેમ કે… ભક્‍તિ કરનારે કોઈપણ જીવ જોડે દ્વેષ ન રખાય. દ્વેષ એ પ્રભુમાં ચિત્ત સમાયું નથી નું પ્રમાણ છે. જગતના જીવોને અને ઘરના સ્‍વજનોને પ્રેમ ન કરે તે ભક્‍ત નથી. આજથી શ્રી લબ્‍ધિ વિક્રમ કુમાર સંસ્‍કાર શિબિરનો ભવ્‍ય પ્રારંભ થશે. સવારે 10 ક. મુખ્‍ય લાભાર્થી શાંતિ પ્રેમ ગોલીયાને અન્‍ય લાભાર્થી પરિવારો દીપ પ્રાગટય કરશે ને નિલેશભાઈ રાણાવત સંગીતમય વંદનાને ગુરુદેવશ્રીનું ઉદબોધન થશે. દેશના અનેક પ્રદેશથી બાળકો પધારશે. જબરજસ્‍ત તૈયારીઓ કરવામાં આવી છે. તમામ સંસ્‍કારનો સિંચન થઈ શકે એવી એક્‍ટિવિટી ગેમ્‍સનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે. અનેક ગુરુ ભગવંતો વાંચના આપશે. તા.17 થી શરૂ થનારી આ શિબિરનું સમાપન તા.21ના સાંજે થશે ને બપોરે ક્‍વીઝનું આયોજન થશે. શ્રમણ સેવા ગ્રુપના યુવાનો આ આયોજનને સફળ કરવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. અદભુત શિબિર પછી ઉમરગામ સ્‍ટેશન જૈન સંઘની સાલગીરી માટે તા.23 ના પ્રવેશ કરશે તા.22 સંજાણ તા.24ના સાલગીરીની ઉજવણી થશે.આ શિબિરમાં ચાર-ચાર આચાર્ય ભગવંતોને સાધુ ભગવંતો મોટી સંખ્‍યામાં પધારશે.

Related posts

વઘઇ બીલીમોરા ટ્રેન પુન: પાટે દોડતી તો થઈ પરંતુ પ્રથમ દિવસે જ વિવાદ

vartmanpravah

ચીખલી તાલુકામાં ગાંધી જયંતિ નિમિત્ત સ્‍વચ્‍છતા કામગીરી માત્ર ફોટો સેશન માટે : નેતા અને અધિકારીઓએ વાહવાહી લૂંટવામાં કોઈ કસર નહીં રાખી

vartmanpravah

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના આધારિત જલ સંચયના જિલ્લામાં થયેલા કામોની કેન્દ્ર સરકારના જલશક્તિ મંત્રાલયના સેન્ટ્રલ નોડલ ઓફિસરે મુલાકાત લીધી

vartmanpravah

વલસાડ જિલ્લાની 12956 ગંગા સ્‍વરૂપા બહેનોને આધાર કાર્ડ-મોબાઈલ નંબર અપડેટ/ લીંક કરાવવા અનુરોધ

vartmanpravah

આપત્તિ સમયે બચાવ કામગીરી અંગે વલસાડ જિલ્લા નિવાસી અધિક કલેકટર અનસૂયા જહાના અધ્‍યક્ષસ્‍થાને ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ તાલીમ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નિર્દેશ અને માર્ગદર્શન મુજબ જેનરિક મેડિસિનને પ્રોત્‍સાહન આપવા માટે દમણ જિલ્લાના દરેક ખાનગી દવા વિક્રેતાઓ સાથે આરોગ્‍ય નિર્દેશક ડો. વી.કે.દાસે કરેલી બેઠક

vartmanpravah

Leave a Comment