October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટનવસારીવલસાડવાપી

બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને તા. 22 સુધી સભા-સરઘર પર પ્રતિબંધ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા. ૧૮: વલસાડ જિલ્લામાં આગામી તા. 22 જુલાઈ સુધી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા એસએસસી અને એચએસસી (સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ) 2022ની બોર્ડની જાહેર પૂરક પરીક્ષાના સરળ સંચાલન માટે તેમજ પરીક્ષાર્થીઓ અસામાજિક તત્વોના ત્રાસ અને ભય વિના શાંતિ અને સલામતી પૂર્વક પરીક્ષા આપી શકે તે માટે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ તેવા શુભ હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટ ક્ષિપ્રા એસ.આગ્રેએ સમગ્ર વિસ્તારમાં તા. 22 જુલાઈ સુધી સવારે 9થી સાંજે 7 વાગ્યા સુધી પરીક્ષાના દિવસો દરમિયાન સરઘસ કાઢવાની તથા સભા ભરવાની મનાઈ ફરમાવી છે. આ સિવાય મણિબા સાર્વજનિક વિદ્યાલય, ધનભુરા રોડ, વલસાડ, જીવીડી સાર્વ.હાઈસ્કૂલ, પ્રજ્ઞા પ્રબોધ ગાયત્રી વિદ્યાલય, સ્વામિનારાયણ સ્કૂલ, ધારા નગર, અબ્રામા, નેશનલ ઈંગ્લિશ હાઈસ્કૂલ, ભાગડાવડા, સ્વામિનારાયણ વિદ્યાલય, તારાબાગ, પારડી સાંઢપોર, હિંદી વિદ્યાલય,મોગરાવાડી, બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યા મંદિર, ખોખરા ફળિયા, પારનેરા પારડી, સેન્ટ જોફેસ ઈટી હાઈસ્કૂલ, બાઈ આવાબાઈ હાઈસ્કૂલ, આરએમ એન્ડ વીએમ હાઈસ્કૂલ અને જમનાબાઈ સાર્વ.હાઈસ્કૂલ પરીક્ષા કેન્દ્રની હદથી 100 મીટર ત્રિજ્યામાં ઝેરોક્ષ મશીનો બંધ રાખવા અને બિન અધિકૃત વ્યક્તિઓ તથા ખાનગી વાહનોને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશબંધી ફરમાવતુ જાહેરનામુ બહાર પાડ્યું છે.

Related posts

પાવરગ્રીડની વર્ષગાંઠની ઉજવણી : ‘આઝાદીના અમળત મહોત્‍સવ’ અંતર્ગત વન નેશન-વન ગ્રીડ-વન ફ્રીક્‍વન્‍સી

vartmanpravah

આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલનો આજનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

ચીખલીમાં ઓબીસી સમાજના આગેવાનો દ્વારા મામલતદારને આવેદપત્ર અપાયું

vartmanpravah

દમણઃ રવિવારે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ પટલારા ગ્રામ પંચાયત ખાતે પહોંચતાકરાયેલું સ્‍વાગત

vartmanpravah

પ્રદેશ ભાજપ પ્રભારી દુષ્‍યંતભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ દાનહ અને દમણ-દીવ ભાજપના સક્રિય સદસ્‍યતા સમિતિના સંયોજક તરીકે નવિનભાઈ પટેલની કરાયેલી વરણી

vartmanpravah

યુક્રેનમાં ફસાયેલા સંઘપ્રદેશના ત્રણ વિદ્યાર્થીઓને પરત લાવવા પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શરૂ કરેલા ઉચ્‍ચ સ્‍તરીય પ્રયાસો

vartmanpravah

Leave a Comment