January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા સહિત રાજ્‍યમાં શિષ્‍યવૃત્તિ માટે ઈ-કેવાયસીના તઘલખી નિર્ણયથી વાલીઓ-વિદ્યાર્થીઓ કંટાળી ગયા, શિષ્‍યવૃત્તિ ટાળવા લાચાર

સરકારી પ્રાથમિક શાળા વિદ્યાર્થીઓને શિષ્‍યવૃત્તિ મેળવવી લોઢાના ચણા ચાવવા સમાન : સાત કોઠા વિંધવા જેવું કઠીન કામ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: સરકારી પ્રાથમિક શાળામાં અભ્‍યાસ કરતા ધો.1 થી 5 ના વિદ્યાર્થીઓને 1650 અને ધો.6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે 1950 રૂપિયા શિષ્‍યવૃત્તિ મેળવવા માટે ઈ-કેવાયસી ફરજીયાત તઘલખી નિર્ણયના ઘેરા પ્રત્‍યાઘાત સમગ્ર વલસાડ જિલ્લામાં પડી રહ્યા છે.
શિષ્‍યવૃત્તિ મેળવવા માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર દરખાસ્‍ત કરવાની આ દરખાસ્‍ત કરવા પહેલાં વિદ્યાર્થીનું બેંક એકાઉન્‍ટ જોઈએ, વિદ્યાર્થી-વાલીના આધાર કાર્ડ ફરજીયાતખાતુ ખોલાવવા વિદ્યાર્થી-વાલી 5 હજારની રકમ બેંકમાં ડીપોઝીટ કરવી પડે ત્‍યાર બાદ શાળા કક્ષાએ ડિજિટલ પોર્ટલમાં દરખાસ્‍ત કરવા આવકનો દાખલો કઢાવવાનો, જાતીનો દાખલો કઢાવવાનો. ત્‍યારબાદ શાળાના આચાર્ય દરખાસ્‍ત કરે, વિદ્યાર્થીનું ધોરણ, પુરુ નામ, માતાનું નામ, જન્‍મ તારીખ, માતા-પિતાનો વ્‍યવસાય, કોમ્‍યુનિટિ કાસ્‍ટ, વાલીનો મોબાઈલ નંબર, આધાર નંબર, બેંક ખાતા નંબર, પાછુ આધાર લીંક પણ જરૂરી જેવી અગણિત જફાઓ શિષ્‍યવૃત્તિ મેળવવા માટે ફરજીયાત કેવાયસીનો તઘલખી નિર્ણય. જો કે આ પ્રોસેસ ખુબ અટપટી છે. જે વાલીઓ કે વિદ્યાર્થીઓ પુરુ પાડી શકવા અસમર્થ બની રહ્યાની ચોમેર વલસાડ જિલ્લાના વાલીઓ કરી રહ્યા છે. તેથી કડાકૂટવાળી શિષ્‍યવૃત્તિ લેવાનું વાલીઓ ટાળી રહ્યા છે. આ સિસ્‍ટમથી પુરવાર થઈ ચૂક્‍યુ છે કે શિષ્‍યવૃત્તિ લેવી એટલે લોઢાના ચણા ચાવવાની કફોડી સ્‍થિતિ પ્રવર્તી રહી છે.

Related posts

દમણવાડા ગ્રામ પંચાયતમાં બેંકના અધિકારીઓ દ્વારા ‘કિસાન ક્રેડિટ કાર્ડ’ના સંદર્ભમાં ખેડૂતોને અપાયેલી જાણકારી

vartmanpravah

સમરોલીમાં લાકડાનો જથ્‍થો ભરેલ ટ્રેલર રોડની બાજુમાં ઉતરી ગયું

vartmanpravah

ઉમરગામ તાલુકાના અચ્‍છારી ગામની 73 વર્ષિય વયોવૃદ્ધ મહિલાની જમીન હડપી લેવાના કાવતરાંમાં ઉમરગામના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્‍ય શંકરભાઈ વારલીને ભિલાડ પોલીસનું તેડું: ભેદભરમ બહાર આવવાની સંભાવના

vartmanpravah

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં ફેશ શો સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

સોમનાથ મંદિરની સુરક્ષા અર્થે કોસ્‍ટગાર્ડ દ્વારા હવાઈ નિરીક્ષણ કરાયું

vartmanpravah

ચીખલીના વંકાલમાં બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટમાં નુકસાની અંગે ખેડૂતોની રજૂઆતો બાદ કોઈ નિરાકરણ ન આવતા ખેડૂતોમાં રોષ

vartmanpravah

Leave a Comment