Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્‍યાણ મેળો યોજાયો

  • રાજ્‍યના આદિજાતિ વિકાસ, અન્ન અને પુરવઠા મંત્રી નરેશભાઈ પટેલના હસ્‍તે અંદાજીત 9000 લાભાર્થીઓને રૂા. 100 કરોડના લાભો અપાયા

  • નર્મદા-તારી-પાર-દમણગંગા લીંક યોજનાના કારણે કોઈપણ આદિવાસીને વિસ્‍થાપિત કરવામાં નહિ આવેઃ મંત્રી નરેશભાઈ પટેલે આપેલો ભરોસો

વલસાડ તા.24: રાજ્‍યભરમાં આજથી શરૂ થયેલા ‘ગરીબ કલ્‍યાણ મેળા’ અંતર્ગત વલસાડ જિલ્‍લાનો ગરીબ કલ્‍યાણ મેળાનો રાજ્‍યના આદિજાતિ વિકાસ, અન્ન અને પુરવઠા મંત્રીશ્રી નરેશભાઈ પટેલે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વનરાજ આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજ, બામટી ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહ, સાંસદશ્રી ડો. કે. સી. પટેલ, ધરમપુર, વલસાડ અને ઉમરગામના ધારાસભ્‍યો સર્વશ્રી અરવિંદભાઈ પટેલ, ભરતભાઈ પટેલ અને રમણલાલ પાટકર તેમજ જિલ્લા પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાની ઉપસ્‍થિતિમાં દીપ પ્રાગટય કરીને શુભારંભ કર્યો હતો.
આ મેળામાં મંત્રીશ્રી અને મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં વલસાડ જિલ્‍લાના અંદાજીત 9000 લાભાર્થીઓને રૂા. 100 કરોડના સાધન-સહાય, ચેકો અને કીટોનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.
નર્મદા-તાપી-પાર-દમણગંગા રીવર લીંક યોજના હેઠળ ધરમપુર તાલુકાના ચાસમાંડવા, પૈખેડ અને મોહનાકાંવચાળીગામે ડેમ બનાવવામાં આવશે અને આ ડેમના લીધે આ વિસ્‍તારના આદિવાસીઓને વિસ્‍થાપિત કરવામાં આવશે એમ ગેરમાર્ગે દોરનારા આદિવાસી સંગઠનોને મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, હું પણ એક આદિવાસી આગેવાન છું અને રાજ્‍ય સરકારના મંત્રી તરીકે હું જવાબદારીપૂર્વક કહું છું કે, આ યોજનામાં હાલના તબક્કે ડિટેલ પ્રોજેક્‍ટ રિપોર્ટ (ડી.પી.આર.) કરવામાં આવી રહ્યો છે અને આ ગામોમાં રાજ્‍ય સરકાર દ્વારા કોઈપણ ડેમ બનાવવામાં આવનાર નથી તેમ જણાવ્‍યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રીએ રાજ્‍યના તત્ત્કાલીન મુખ્‍યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ગરીબો, વંચિતોના માટે વર્ષઃ 2009 થી શરૂ કરેલા ગરીબ કલ્‍યાણ મેળા અંતર્ગત આજે 12મા ગરીબ કલ્‍યાણ મેળો રાજ્‍યની ભૂપેન્‍દ્રભાઈ પટેલની ગરીબો, વંચિતોની સરકાર દ્વારા આયોજીત કરાયો છે એમ જણાવ્‍યું હતું. કોરોના મહામારી દરમિયાન દેશના વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીની દીર્ઘદષ્‍ટિથી દેશની 125 કરોડ જનતાને વિનામૂલ્‍યે રસીકરણ કરાવવામાં આવ્‍યું છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ કંડારેલી વિકાસની કેડી ઉપર ચાલીને આજે રાજ્‍યના મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલની સરકાર રાજ્‍ય સરકારની વિવિધ યોજનાઓ દ્વારા રાજ્‍યને ઉત્તરોતર પ્રગતિના પંથે લઈ જઈ રહી છે.
રાજ્‍યના અંબાજીથી ઉમરગામ સુધીનાઆદિવાસી પટ્ટામાં રહેતા આદિવાસીઓના વિકાસ માટે તત્‍કાલીન મુખ્‍યમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ શરૂ કરેલી વનબંધુ યોજના થકી રાજ્‍ય સરકાર આદિવાસીઓનો વિકાસ કરી રહી છે. રાજ્‍યમાં છેલ્લા 27 વર્ષથી સ્‍થિર સરકાર હોવાના કારણે જે રીતે વિકાસમાં ગતિ પકડાઈ છે તેમાં ઉત્તરોઉત્તર વધારો થઈ રહ્યો છે એમ આ તબક્કે મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું.
મંત્રીશ્રીએ તેમના વિભાગ દ્વારા તાજેતરમાં રાજ્‍યની ભૌગૌલિક પરિસ્‍થિતિ મુજબ જે જિલ્‍લામાં જે ધાન્‍ય વધારે ખવાતું હોય તે પ્રમાણે લાભ આપવાની એક નવતર પહેલ કરી છે એમ જણાવતાં મંત્રીશ્રીએ વલસાડથી ભરૂચ જિલ્લામાં ઘઉંનો ઓછો વપરાશ થતો હોય સરકારના પુરવઠા વિભાગ દ્વારા હાલમાં જે લોકોને 3.5 કિલો ઘઉં અને 1.5 કિલો ચોખા આપવામાં આવતા હતા તેની જગ્‍યાએ 3 કિલો ઘઉં અને 2 કિલો ચોખા આપવાનો એક નવતર અભિગમ અપનાવ્‍યો છે.
આ કાર્યક્રમમાં ધરમપુરના ધારાસભ્‍યશ્રી અરવિંદભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું. આ કાર્યક્રમમાં સ્‍વાગત પ્રવચન જિલ્લા ગ્રામવિકાસ એજન્‍સીના નિયામકશ્રી જે. પી. મયાત્રાએ કર્યુ હતું. આ મેળામાં ધરમપુરની એસ. એમ. એસ. હાઈસ્‍કૂલ, આદર્શ નિવાસી શાળાની બહેનો દ્વારા સ્‍વાગત ગીત અને ગરબા તેમજ કપરાડાની એકલવ્‍ય સ્‍કૂલ દ્વારા આદિવાસી નૃત્‍ય રજૂ કરવામાં આવ્‍યું હતું.
આકાર્યક્રમમાં વલસાડના જિલ્લા કલેકટર શ્રીમતી ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાની, પ્રાયોજના વહીવટદારશ્રી બી. કે. વસાવા, આસીસ્‍ટન્‍ટ કલેકટરશ્રી આકાંક્ષા, ધરમપુર અને વલસાડ અને પારડીના પ્રાંત અધિકારીઓ સર્વશ્રી કેતુલ ઇટાલીયા, નીલેશ કુકડીયા અને આનંદુ ગોવિંદન તેમજ જિલ્‍લાના ધરમપુર, વલસાડ, પારડી, વાપી, કપરાડા અને ઉમરગામ તાલુકાના મામલતદારો તેમજ ધરમપુર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી જયોત્‍સનાબેન દેસાઈ અને ધરમપુર શહેર અને આજુબાજુના પ્રજાજનો હાજર રહ્યા હતા.

Related posts

પારડીમાં પોલીસ અને ચોરો વચ્‍ચે સંકલન હોવાની લોકોમાં કાનાફુસી: ચોરોને ઝભ્‍ભે કરવામાં પોલીસ નિરંતર સદંતર નિસફળ : પારડીમાં ધોળે દિવસે પણ ચોરો સક્રિય

vartmanpravah

ઈડલીના ખીરા જેવું કારકિર્દીનું ઘડતર કરવા મહર્ષિ દયાનંદ ફાઉન્‍ડેશનના સંચાલક વ્રજ પટેલની વિદ્યાર્થીઓને સલાહ

vartmanpravah

સેલવાસના ડોકમરડી ખાતે બસ પલ્‍ટી મારતા પાંચ મુસાફરો ઘાયલ

vartmanpravah

પારડીની નામાંકિત સ્‍કૂલમાં અભ્‍યાસ કરતો 17 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

દમણ-દીવમાં નેતા કેવા હોવા જોઈએ તેની પ્રતિતિ કરાવતા પૂર્વ સાંસદ ગોપાલ દાદા

vartmanpravah

વાપી કેબીએસ કોમર્સ અને નટરાજપ્રોફેશનલ સાયન્‍સ કોલેજના એનએસએસના વિદ્યાર્થીઓ નેશનલ ઈન્‍ટિગ્રેશન કેમ્‍પમાં પસંદગી પામ્‍યા

vartmanpravah

Leave a Comment