March 3, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટનવસારીવલસાડવાપી

બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને તા. 22 સુધી સભા-સરઘર પર પ્રતિબંધ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા. ૧૮: વલસાડ જિલ્લામાં આગામી તા. 22 જુલાઈ સુધી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા એસએસસી અને એચએસસી (સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ) 2022ની બોર્ડની જાહેર પૂરક પરીક્ષાના સરળ સંચાલન માટે તેમજ પરીક્ષાર્થીઓ અસામાજિક તત્વોના ત્રાસ અને ભય વિના શાંતિ અને સલામતી પૂર્વક પરીક્ષા આપી શકે તે માટે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ તેવા શુભ હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટ ક્ષિપ્રા એસ.આગ્રેએ સમગ્ર વિસ્તારમાં તા. 22 જુલાઈ સુધી સવારે 9થી સાંજે 7 વાગ્યા સુધી પરીક્ષાના દિવસો દરમિયાન સરઘસ કાઢવાની તથા સભા ભરવાની મનાઈ ફરમાવી છે. આ સિવાય મણિબા સાર્વજનિક વિદ્યાલય, ધનભુરા રોડ, વલસાડ, જીવીડી સાર્વ.હાઈસ્કૂલ, પ્રજ્ઞા પ્રબોધ ગાયત્રી વિદ્યાલય, સ્વામિનારાયણ સ્કૂલ, ધારા નગર, અબ્રામા, નેશનલ ઈંગ્લિશ હાઈસ્કૂલ, ભાગડાવડા, સ્વામિનારાયણ વિદ્યાલય, તારાબાગ, પારડી સાંઢપોર, હિંદી વિદ્યાલય,મોગરાવાડી, બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યા મંદિર, ખોખરા ફળિયા, પારનેરા પારડી, સેન્ટ જોફેસ ઈટી હાઈસ્કૂલ, બાઈ આવાબાઈ હાઈસ્કૂલ, આરએમ એન્ડ વીએમ હાઈસ્કૂલ અને જમનાબાઈ સાર્વ.હાઈસ્કૂલ પરીક્ષા કેન્દ્રની હદથી 100 મીટર ત્રિજ્યામાં ઝેરોક્ષ મશીનો બંધ રાખવા અને બિન અધિકૃત વ્યક્તિઓ તથા ખાનગી વાહનોને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશબંધી ફરમાવતુ જાહેરનામુ બહાર પાડ્યું છે.

Related posts

સોનું મેળવવાની લ્‍હાયમાં 90 લાખ જેટલી માતબર રકમ ગુમાવતો વાઘછીપાનો માહ્યાવંશી પરિવાર

vartmanpravah

વાપી ચોવીસી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજની ટીમ હિંમતનગર ખાતે ક્રિકેટ ટુર્નામેન્‍ટ રમવા રવાના થઈ

vartmanpravah

ધરમપુર માન નદીના પુલ ઉપરથી ભૂસકો મારી યુવકે મોત વહાલું કર્યું

vartmanpravah

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્‍યાણ મેળો યોજાયો

vartmanpravah

નવનિયુક્ત આઈ.ઍ.ઍસ. અધિકારી રાહુલ દેવ બૂરાની દમણના ડેપ્યુટી કલેક્ટર (હે.ક્વા.) તરીકે નિયુક્તિઃ વરિષ્ઠ દાનિક્સ અધિકારી મોહિત મિશ્રા સેલવાસના આરડીસી તરીકે નિયુક્ત

vartmanpravah

વલસાડ જિલ્લા સહિત રાજ્‍યમાં શિષ્‍યવૃત્તિ માટે ઈ-કેવાયસીના તઘલખી નિર્ણયથી વાલીઓ-વિદ્યાર્થીઓ કંટાળી ગયા, શિષ્‍યવૃત્તિ ટાળવા લાચાર

vartmanpravah

Leave a Comment