April 26, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટનવસારીવલસાડવાપી

બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને તા. 22 સુધી સભા-સરઘર પર પ્રતિબંધ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા. ૧૮: વલસાડ જિલ્લામાં આગામી તા. 22 જુલાઈ સુધી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા એસએસસી અને એચએસસી (સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ) 2022ની બોર્ડની જાહેર પૂરક પરીક્ષાના સરળ સંચાલન માટે તેમજ પરીક્ષાર્થીઓ અસામાજિક તત્વોના ત્રાસ અને ભય વિના શાંતિ અને સલામતી પૂર્વક પરીક્ષા આપી શકે તે માટે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ તેવા શુભ હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટ ક્ષિપ્રા એસ.આગ્રેએ સમગ્ર વિસ્તારમાં તા. 22 જુલાઈ સુધી સવારે 9થી સાંજે 7 વાગ્યા સુધી પરીક્ષાના દિવસો દરમિયાન સરઘસ કાઢવાની તથા સભા ભરવાની મનાઈ ફરમાવી છે. આ સિવાય મણિબા સાર્વજનિક વિદ્યાલય, ધનભુરા રોડ, વલસાડ, જીવીડી સાર્વ.હાઈસ્કૂલ, પ્રજ્ઞા પ્રબોધ ગાયત્રી વિદ્યાલય, સ્વામિનારાયણ સ્કૂલ, ધારા નગર, અબ્રામા, નેશનલ ઈંગ્લિશ હાઈસ્કૂલ, ભાગડાવડા, સ્વામિનારાયણ વિદ્યાલય, તારાબાગ, પારડી સાંઢપોર, હિંદી વિદ્યાલય,મોગરાવાડી, બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યા મંદિર, ખોખરા ફળિયા, પારનેરા પારડી, સેન્ટ જોફેસ ઈટી હાઈસ્કૂલ, બાઈ આવાબાઈ હાઈસ્કૂલ, આરએમ એન્ડ વીએમ હાઈસ્કૂલ અને જમનાબાઈ સાર્વ.હાઈસ્કૂલ પરીક્ષા કેન્દ્રની હદથી 100 મીટર ત્રિજ્યામાં ઝેરોક્ષ મશીનો બંધ રાખવા અને બિન અધિકૃત વ્યક્તિઓ તથા ખાનગી વાહનોને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશબંધી ફરમાવતુ જાહેરનામુ બહાર પાડ્યું છે.

Related posts

દાનહઃ વાઘછીપાના જર્જરિત રસ્‍તાઓનું જિલ્લા કલેક્‍ટરે પોતાની ટીમ સાથે કરેલું નિરીક્ષણઃ રસ્‍તાઓના નવીનિકરણની સંભાવના

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લામાં ગાઢ ધુમ્‍મસ છવાયું

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતે Arduino ઇલેક્ટ્રોનિક્સ વર્કશોપ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશની દરેક માધ્‍યમનીશાળાઓમાં મળનારા વિષય શિક્ષકોઃ પ્રશાસકશ્રીએ આપેલો ભરોસો

vartmanpravah

દાનહ જિ.પં.ના નવનિયુક્‍ત પ્રમુખ દામજીભાઈ કુરાડા અને મુખ્‍ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્માએ સુરંગીમાં 2M3 ક્ષમતાના બાયોગેસ પ્‍લાન્‍ટનું કરેલું ખાતમુહૂર્ત

vartmanpravah

વાપી ટાઉનમાં પરિવારને જાણ કર્યા વગર 23 વર્ષિય યુવતી ઘરેથી ગુમ થઈ

vartmanpravah

Leave a Comment