April 18, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટનવસારીવલસાડવાપી

વલસાડ જિલ્લા ભાજપમાં રાજકીય ભૂકંપ: વલસાડ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અધ્‍યક્ષ નિર્મળાબેન જાદવનું રાજીનામું

જિ.પં. સભ્‍યપદેથી પણ રાજીનામું: મોટી કોરવડ બેઠક ઉપર ભાજપથી વિજયી બન્‍યા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: વલસાડ જિલ્લા ભાજપમાં આજે સોમવારે રાજકીય ભુકંપ સર્જાયો હતો. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અધ્‍યક્ષ નિર્મળાબેન જાદવે રાજીનામું આપ્‍યું હતું. તેમજ જિ.પં.ના સભ્‍યપદેથી પણ રાજીનામું આપતા ભાજપમાં હાઈવોલ્‍ટેજ ડ્રામા સર્જાયો હતો. રાજીનામાનું કારણ તેમણે દર્શાવ્‍યું હતું કે પોતાના મતવિસ્‍તાર પાર-તાપી રિવર લીંક પ્રોજેક્‍ટનો સખત વિરોધ છે. હું શાસકપક્ષમાં હોવાથી પ્રજાના જવાબ આપી શકતી નહોતી, પ્રજા સાથે રહેવા માગું છું.
જિલ્લાની મોટી કોરવડ બેઠક ઉપર જિલ્લા પંચાયતના સભ્‍ય તરીકે ભાજપની ટિકિટ ઉપર ચૂંટણીમાં નિર્મળાબેન જાદવ વિજેતા બન્‍યા હતા. જિ.પં.માં ભાજપની સ્‍પષ્‍ટ બહુમતિ મળેલી તેથી નિર્મળાબેનને જિ.પં. શિક્ષણ સમિતિના અધ્‍યક્ષ તરીકે વરણી કરાઈ હતી. આજે સવારથી જ નિર્મળાબેન રાજીનામું આપવાની વાત વહેતી થતા જિ.પં.માં ભાજપના કાર્યકરોમાં હાઈવોલ્‍ટેજ છવાયો હતો. પરંતુ તેઓ જિ.પં.માં આવેલા નહીં. સોશિયલ મીડિયાથી જિલ્લા વિકાસ અધિકારીને રાજીનામું મોકલી આપ્‍યું હતું. કારણ દર્શાવ્‍યું હતું કે, હું મારા મત વિસ્‍તારમાં ચાલી રહેલ પાર-તાપી રિવર લીંક આંદોલનમાં પ્રજાની સાથે રહેવા માંગુ છું. નિર્મળાબેનના રાજીનામાને લઈ ભાજપમાં હાઈવોલ્‍ટેજ ડ્રામા સર્જાયો હતો.

Related posts

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુર ખાતે સ્‍વતંત્રતાના 75 વર્ષઃ વિજ્ઞાન અનેટેકનોલોજીમાં ભારતની સિદ્ધિઓપ્રદર્શનનું ઉદ્‌ઘાટન કરાયું

vartmanpravah

વલસાડ હાઈવે કબીરપથ મંદિર પાસે સોનવાડામાં અચાનક કાર સળગી ઉઠી : એક ભુંજાઈ ગયો

vartmanpravah

દાનહના રાષ્‍ટ્રીય પુરષ્‍કાર વિજેતા નિવૃત્ત શિક્ષિકા સુશીલાબેન ભીમરાએ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

દીવ બીજેપી સિનિયર નેતા શાંતિલાલ સોલંકીના ઘરે ગણપતિ બાપ્‍પાના આગમનથી બીજેપી હોદેદારોએ કર્યા દર્શન

vartmanpravah

અમદાવાદ જતી ડબ્‍બલ ડેકર ટ્રેનના કોચ સી-7 માં વાપી સ્‍ટેશને યાંત્રિક ખામી સર્જાઈ : કોચને સ્‍ટેશન પર છોડી ટ્રેન રવાના કરાઈ

vartmanpravah

ભારત સરકારના ગૃહમંત્રાલય દ્વારા ગોવા, દમણ અને દીવના પોર્ટુગીઝ રાષ્‍ટ્રીય કાયદા મુજબ રાષ્‍ટ્રીયતા ધરાવતા નાગરિકોને વિઝા/એક્‍ઝિટ પરમિશન માટે પડતી સમસ્‍યાનું નિદાન કરાયું

vartmanpravah

Leave a Comment