April 30, 2024
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

પ્રદેશ ભાજપ પ્રભારી પૂર્ણેશભાઈ મોદીના માર્ગદર્શનમાં સંઘપ્રદેશમાં પ્રબળ ગતિથી ચાલી રહેલું ભાજપનું મહા જનસંપર્ક અભિયાન

દાનહના યુવા આદિવાસી નેતા અને પ્રસિદ્ધ ધારાશાસ્ત્રી સની ભીમરાએ કાર્યકરો સાથે પરિવહન બસ તથા ઊંડાણના વિસ્‍તારોમાં જઈ મોદીની ગેરંટીની આપી રહેલા જાણકારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.09 : દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપ પ્રભારી શ્રી પૂર્ણેશભાઈ મોદીના માર્ગદર્શન અને પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલના નેતૃત્‍વમાં સમસ્‍ત પ્રદેશમાં મહા જનસંપર્ક અભિયાન પ્રબળ ગતિથી ચાલી રહ્યું છે. જેમાં દરેક કાર્યકરો સામેલ થઈ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની ગેરંટીથી લોકોને વાકેફ કરી રહ્યા છે.
દાદરા નગર હવેલી ભાજપના યુવા આદિવાસી નેતા અને આગેવાન ધારાશાસ્ત્રી શ્રી સની ભીમરાએ ભાજપના કાર્યકરો સાથે ઘર ઘર અને પાડે પાડે જવાની સાથે સાથે પરિવહન બસમાં પહોંચીને લોકોને મોદીની ગેરંટીથી માહિતગાર કરવાનો નવતર પ્રયાસ શરૂ કર્યો છે. તેમણે આદિવાસી લાભાર્થી સાથે સંવાદ કરી તેમને મોદી સરકારના મળી રહેલા લાભની જાણકારી પણ તેમના મુખે સાંભળી હતી. જેના કારણે છેવાડેના આદિવાસી વિસ્‍તારમાં ભાજપનો જનાધારદિન-પ્રતિદિન વધી રહ્યો છે અને મોદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્‍યાણ અન્ન યોજના (PMGKAY)’ના લાભાર્થીઓ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી પ્રત્‍યે આભારની લાગણી પ્રગટ કરતા પણ જોવા મળ્‍યા હતા.

Related posts

વલસાડ જિલ્લાના કોળી પટેલ સમાજની શૈક્ષણિક ક્ષેત્રે ઊંચી છલાંગઃ ડોક્‍ટર, સી.એ., પી.એચડી. સહિત વિવિધ ક્ષેત્રના તેજસ્‍વી તારલાઓનું સન્‍માન કરાયું

vartmanpravah

પારડીમાં પોલીસ અને ચોરો વચ્‍ચે સંકલન હોવાની લોકોમાં કાનાફુસી: ચોરોને ઝભ્‍ભે કરવામાં પોલીસ નિરંતર સદંતર નિસફળ : પારડીમાં ધોળે દિવસે પણ ચોરો સક્રિય

vartmanpravah

નવસારી લોકસભા મતદાર વિસ્તારમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો

vartmanpravah

વીજળી વિભાગ/નિગમના ખાનગીકરણને રોકવાનાઅભિયાનમાં દમણની મરવડ અને દુણેઠા પંચાયતે આપેલું સમર્થન

vartmanpravah

સમસ્‍ત માહ્યાવંશી સમાજની વૈશ્વિક ઓળખના પર્યાય બનેલા કેપ્‍ટન અમૃતલાલ માણેક

vartmanpravah

વાપીમાં રેલવે પુલ તોડવાની કામગીરીથી બજાર રોડ બંધ

vartmanpravah

Leave a Comment