July 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

પ્રદેશ ભાજપ પ્રભારી પૂર્ણેશભાઈ મોદીના માર્ગદર્શનમાં સંઘપ્રદેશમાં પ્રબળ ગતિથી ચાલી રહેલું ભાજપનું મહા જનસંપર્ક અભિયાન

દાનહના યુવા આદિવાસી નેતા અને પ્રસિદ્ધ ધારાશાસ્ત્રી સની ભીમરાએ કાર્યકરો સાથે પરિવહન બસ તથા ઊંડાણના વિસ્‍તારોમાં જઈ મોદીની ગેરંટીની આપી રહેલા જાણકારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.09 : દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપ પ્રભારી શ્રી પૂર્ણેશભાઈ મોદીના માર્ગદર્શન અને પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલના નેતૃત્‍વમાં સમસ્‍ત પ્રદેશમાં મહા જનસંપર્ક અભિયાન પ્રબળ ગતિથી ચાલી રહ્યું છે. જેમાં દરેક કાર્યકરો સામેલ થઈ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની ગેરંટીથી લોકોને વાકેફ કરી રહ્યા છે.
દાદરા નગર હવેલી ભાજપના યુવા આદિવાસી નેતા અને આગેવાન ધારાશાસ્ત્રી શ્રી સની ભીમરાએ ભાજપના કાર્યકરો સાથે ઘર ઘર અને પાડે પાડે જવાની સાથે સાથે પરિવહન બસમાં પહોંચીને લોકોને મોદીની ગેરંટીથી માહિતગાર કરવાનો નવતર પ્રયાસ શરૂ કર્યો છે. તેમણે આદિવાસી લાભાર્થી સાથે સંવાદ કરી તેમને મોદી સરકારના મળી રહેલા લાભની જાણકારી પણ તેમના મુખે સાંભળી હતી. જેના કારણે છેવાડેના આદિવાસી વિસ્‍તારમાં ભાજપનો જનાધારદિન-પ્રતિદિન વધી રહ્યો છે અને મોદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્‍યાણ અન્ન યોજના (PMGKAY)’ના લાભાર્થીઓ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી પ્રત્‍યે આભારની લાગણી પ્રગટ કરતા પણ જોવા મળ્‍યા હતા.

Related posts

સેલવાસ-વાપી રોડ સ્‍થિત ક્રિશ્ના હાઇટ્‍સ સોસાયટીના ફલેટમાં ધોળા દિવસે ચોરી

vartmanpravah

વલસાડમાં હાઈવે ઉપર કારના રૂફ પર બેસી યુવાનનો જોખમી સ્‍ટંટ કરતો વિડીયો વાયરલ થયો

vartmanpravah

‘‘હું રઘવાયો નહીં, મરણિયો બન્‍યો છું”: સાંસદ ઉમેશભાઈ પટેલ

vartmanpravah

દીવ ન.પા.ના પ્રમુખની ચૂંટણી 16 જુલાઈએ યોજાશે

vartmanpravah

સેલવાસ વૃંદાવન સોસાયટીના રહેવાસી પિતા-પુત્રનું નદીના ધસમસતા પ્રવાહમાં તણાઈ જવાથી મોત થતાં પરિવારને આર્થિક સહાયતા ચુકવવા ન.પા.કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

વાપી કોંગ્રેસ સમિતિ દ્વારા વીજ સ્‍માર્ટ મિટરનો વિરોધ કરાયો : કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવ્‍યું

vartmanpravah

Leave a Comment