Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

પ્રદેશ ભાજપ પ્રભારી પૂર્ણેશભાઈ મોદીના માર્ગદર્શનમાં સંઘપ્રદેશમાં પ્રબળ ગતિથી ચાલી રહેલું ભાજપનું મહા જનસંપર્ક અભિયાન

દાનહના યુવા આદિવાસી નેતા અને પ્રસિદ્ધ ધારાશાસ્ત્રી સની ભીમરાએ કાર્યકરો સાથે પરિવહન બસ તથા ઊંડાણના વિસ્‍તારોમાં જઈ મોદીની ગેરંટીની આપી રહેલા જાણકારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.09 : દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપ પ્રભારી શ્રી પૂર્ણેશભાઈ મોદીના માર્ગદર્શન અને પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલના નેતૃત્‍વમાં સમસ્‍ત પ્રદેશમાં મહા જનસંપર્ક અભિયાન પ્રબળ ગતિથી ચાલી રહ્યું છે. જેમાં દરેક કાર્યકરો સામેલ થઈ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની ગેરંટીથી લોકોને વાકેફ કરી રહ્યા છે.
દાદરા નગર હવેલી ભાજપના યુવા આદિવાસી નેતા અને આગેવાન ધારાશાસ્ત્રી શ્રી સની ભીમરાએ ભાજપના કાર્યકરો સાથે ઘર ઘર અને પાડે પાડે જવાની સાથે સાથે પરિવહન બસમાં પહોંચીને લોકોને મોદીની ગેરંટીથી માહિતગાર કરવાનો નવતર પ્રયાસ શરૂ કર્યો છે. તેમણે આદિવાસી લાભાર્થી સાથે સંવાદ કરી તેમને મોદી સરકારના મળી રહેલા લાભની જાણકારી પણ તેમના મુખે સાંભળી હતી. જેના કારણે છેવાડેના આદિવાસી વિસ્‍તારમાં ભાજપનો જનાધારદિન-પ્રતિદિન વધી રહ્યો છે અને મોદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્‍યાણ અન્ન યોજના (PMGKAY)’ના લાભાર્થીઓ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી પ્રત્‍યે આભારની લાગણી પ્રગટ કરતા પણ જોવા મળ્‍યા હતા.

Related posts

લાયન્‍સ ક્‍લબ ઓફ પારડી પર્લએ ડોક્‍ટરોનું સન્‍માન કરી ડોક્‍ટર્સ-ડેની કરેલી ઉજવણી

vartmanpravah

જીએનએલયુ સેલવાસ કેમ્‍પસ ખાતે ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી દ્વારા ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે કોમન લૉ એડમિશન ટેસ્‍ટ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ

vartmanpravah

દામિની વુમન્‍સ ફાઉન્‍ડેશન અને પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્‍યક્ષ સિમ્‍પલબેન કાટેલાના માતૃશ્રીનું નિધન

vartmanpravah

કેન્‍દ્ર શાસિત પ્રદેશોના ઈલેક્‍શન કમિશનર તરીકે સુધાંશુ પાંડેની નિયુક્‍તિ

vartmanpravah

વલસાડ હોટલ એસોસિએશન દ્વારા સીટી પોલીસમાં મહત્‍વની મીટીંગ યોજાઈઃ રાત્રે 11 વાગ્‍યા સુધી હોટેલ ચાલુ રાખવા માંગ

vartmanpravah

વ્‍યારા સરકારી હોસ્‍પિટલના ખાનગીકરણ મામલે ચિખલી, ધરમપુર, વાંસદાના હજારો આદિવાસીઓએ રેલી કાઢી

vartmanpravah

Leave a Comment