Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

નરોલી ગામના યુવાનની હત્‍યાના બે આરોપીની કરાઈ ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

સેલવાસ, તા.20: દાદરા નગર હવેલીના નરોલી ગામે મંગળવારના રોજ બ્રાહ્મણ ફળિયા એકયુવાનની રહસ્‍યમય સંજોગોમાં હત્‍યા કરવામાં આવી હતી. હત્‍યાના કેસમાં પોલીસે આઈપીસી 302 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. રાકેશ અરવિંદ હળપતિ (ઉ.વ.30) રહેવાસી દાદરા જે નરોલી એના સાસરે આવ્‍યો હતો. ત્‍યારબાદ એની માસીનું ઘર પણ નજીક જ હોય ત્‍યાં રાત્રી દરમ્‍યાન રોકાયો હતો. મંગળવારના રોજ સવારે કોઈ અજાણ્‍યા વ્‍યક્‍તિઓ દ્વારા એની નિર્મમ હત્‍યા કરી ઘર નજીક શેડમાં નાંખી ગયા હતા. આ ઘટનાની ગંભીરતા જોતા એસડીપીઓ શ્રી સિદ્ધાર્થ જૈન એમની ટીમ સાથે ઘટના સ્‍થળની મુલાકાત લઈ અને તરત જ એસએચઓ શ્રી અનિલ ટી.કે અને નરોલી આઉટપોસ્‍ટના પીએસઆઈ શ્રી સુરજ રાઉતને તપાસ સોંપવામાં આવી હતી. ગુનાની સ્‍થળ તપાસ અને સાક્ષીઓની પુછપરછ બાદ ટીમે એક આરોપીની અટક કરી હતી. બાદમાં એણે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. આ ઘટનામાં બે આરોપી સુરેશ રમન હળપતિ (ઉ.વ.44) રહેવાસી બ્રાહ્મણ ફળીયા નરોલી અને રવિન્‍દ્રભાઈ બલભાઈ હળપતિ (ઉ.વ.32) આ બન્ને આરોપીઓની ધરપકડ કરવામા આવી છે, સાથે ઘટનામાં ઉપયોગમાં લેવામાં આવેલ કુહાડી પણ જપ્ત કરવામાં આવી છે.

Related posts

દાનહ અને દમણ-દીવનું ગૌરવ જૈનિકસોલંકીનું સૌરાષ્‍ટ્રની અંડર-25ની જુનિયર રણજી ટીમમાં (ફર્સ્‍ટ ક્‍લાસ ક્રિકેટ) માં પસંદગી

vartmanpravah

તા.૪થી જૂને નાણાં વિભાગ ગાંધીનગર દ્વારા સુરત ખાતે પેન્‍શન અદાલત યોજાશે

vartmanpravah

દાનહમાં 02 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં શિક્ષકો ઉપર પુષ્‍પવૃષ્ટિ કરી શિક્ષક દિનની અનોખી ઉજવણી કરાઈ

vartmanpravah

ઉમરગામ મામલતદાર એસીબીના છટકામાં આબાદ ઝડપાયા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ દમણમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા કલેક્‍ટર તપસ્‍યા રાઘવે બહુસ્‍તરીય બેઠકનું કરેલું નેતૃત્‍વ 

vartmanpravah

Leave a Comment