Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

નરોલી ગામના યુવાનની હત્‍યાના બે આરોપીની કરાઈ ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

સેલવાસ, તા.20: દાદરા નગર હવેલીના નરોલી ગામે મંગળવારના રોજ બ્રાહ્મણ ફળિયા એકયુવાનની રહસ્‍યમય સંજોગોમાં હત્‍યા કરવામાં આવી હતી. હત્‍યાના કેસમાં પોલીસે આઈપીસી 302 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. રાકેશ અરવિંદ હળપતિ (ઉ.વ.30) રહેવાસી દાદરા જે નરોલી એના સાસરે આવ્‍યો હતો. ત્‍યારબાદ એની માસીનું ઘર પણ નજીક જ હોય ત્‍યાં રાત્રી દરમ્‍યાન રોકાયો હતો. મંગળવારના રોજ સવારે કોઈ અજાણ્‍યા વ્‍યક્‍તિઓ દ્વારા એની નિર્મમ હત્‍યા કરી ઘર નજીક શેડમાં નાંખી ગયા હતા. આ ઘટનાની ગંભીરતા જોતા એસડીપીઓ શ્રી સિદ્ધાર્થ જૈન એમની ટીમ સાથે ઘટના સ્‍થળની મુલાકાત લઈ અને તરત જ એસએચઓ શ્રી અનિલ ટી.કે અને નરોલી આઉટપોસ્‍ટના પીએસઆઈ શ્રી સુરજ રાઉતને તપાસ સોંપવામાં આવી હતી. ગુનાની સ્‍થળ તપાસ અને સાક્ષીઓની પુછપરછ બાદ ટીમે એક આરોપીની અટક કરી હતી. બાદમાં એણે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. આ ઘટનામાં બે આરોપી સુરેશ રમન હળપતિ (ઉ.વ.44) રહેવાસી બ્રાહ્મણ ફળીયા નરોલી અને રવિન્‍દ્રભાઈ બલભાઈ હળપતિ (ઉ.વ.32) આ બન્ને આરોપીઓની ધરપકડ કરવામા આવી છે, સાથે ઘટનામાં ઉપયોગમાં લેવામાં આવેલ કુહાડી પણ જપ્ત કરવામાં આવી છે.

Related posts

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્‍ટિ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કાબેલ વહીવટમાં દાનહ અને દમણ-દીવમાં ગુંડાગીર્દી, હપ્તાખોરી અને અવૈધ કારોબાર ઉપર આવેલો અંકુશ

vartmanpravah

વલસાડ જિલ્લામાંથી ભાજપ મેનીફેસ્‍ટો માટે 25 હજાર સુચનો મંગાવશે, સુચનો આધારે મેનીફેસ્‍ટો તૈયાર થશે

vartmanpravah

શીખ સમુદાયના બહાદુર બાળકોની શહાદતની યાદમાં 26 ડિસેમ્‍બરના દિવસને ‘વીર બાળ દિવસ’ જાહેર કરવા બદલ દમણ-દીવ શીખ સમાજે પીએમ મોદીનો માનેલો આભાર

vartmanpravah

આજે હિન્‍દુ હિત રક્ષા સમિતિ દ્વારા બાંગ્‍લાદેશમાં હિન્‍દુઓ ઉપર થઈ રહેલા અત્‍યાચારના વિરોધમાં ધરણાં-રેલી પ્રદર્શન યોજશે

vartmanpravah

મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના નેતૃત્‍વમાં રાજ્‍યના ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રાજ્‍યના વીજ ગ્રાહકોને વધુ સારી વીજ સેવાઓ મળે તે માટે રાજ્‍ય સરકારનો મહત્‍વપૂર્ણ નિર્ણય

vartmanpravah

ધરમપુરના વિલ્‍સનહિલ પર મેરેથોન યોજાઈઃ દક્ષિણ ગુજરાત અને કેન્‍યાના દોડવીરોએ ભાગ લીધો

vartmanpravah

Leave a Comment