July 31, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ગેરકાયદેસર દારૂની હેરાફેરીમાં એક્‍સાઇઝ વિભાગ દ્વારા ફક્‍ત વાહનોના ચાલકોની જ ધરપકડ કરાતી હોવાથી દાનહમાં દારૂના અસલી તસ્‍કરો/બુટલેગરોને પકડી કડક કાર્યવાહી કરવા પ્રદેશ શિવસેના પ્રમુખ શ્વેતલ ભટ્ટે એક્‍સાઇઝ કમિશ્નરને કરેલી લેખિત રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.25: દાદરા નગર હવેલીમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરનારા અસલી તસ્‍કર/બુટલેગરોને પકડી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા શિવસેના પ્રદેશ પ્રમુખ શ્રી શ્વેતલ ભટ્ટે એક્‍સાઇઝ કમિશ્નરને લેખિત રજૂઆત કરી છે.
દાનહ શિવસેના પ્રદેશ પ્રમુખ શ્રી શ્વેતલ ભટ્ટે એક્‍સાઇઝ કમિશ્નરને લેખિત રજૂઆતના પગલે એક્‍સાઈઝ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલ પ્રેસનોટ મુજબ પ્રદેશમાં છેલ્લા 60 દિવસમાં ચલાવવામાં આવેલ ગેરકાયદેસર દારૂ તસ્‍કરી વિરુદ્ધ અભિયાન મુજબ 14 કેસો દાખલ કરવામાં આવેલ અને લાખો રૂપિયાનોદારૂનો જથ્‍થો જપ્ત કરવામાં આવેલ. પરંતુ આ અભિયાનમાં વાહન ચાલક ઉપર જ કાર્યવાહી થઈ રહી છે. પરંતુ ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરનાર અસલી તસ્‍કર/બુટલેગરનો કોઈ જ ઉલ્લેખ નથી થતો જે એક ચર્ચાનો વિષય બન્‍યો છે.
દાનહ એક્‍સાઇઝ વિભાગની ટીમ ગુપ્ત જાણકારી મળતા તરત જ જગ્‍યા પર પહોંચી જાય છે અને ગેરકાયદેસર દારૂ તસ્‍કરીવાળા વાહનોને જપ્ત કરી ચાલક ઉપર કાર્યવાહી કરે છે. એ કરવું પણ જરૂરી છે, પરંતુ એની સાથે સાથે ગેરકાયદેસર દારૂની તસ્‍કરીના મૂળિયા સુધી પહોંચવા માટે જગ્‍યા પર પકડાનાર વ્‍યક્‍તિ/વાહન ચાલક પાસેથી અસલી તસ્‍કર/બુટલેગરની માહિતી હાથ લાગી શકે છે. એણે દારૂની ગાડી કોના કહેવા પર અને ક્‍યાંથી ભરી છે? એવા આસાન કામને અંજામ આપી શકાય છે. પરંતુ એવું નહીં થવાને કારણે શરાબ માફિયાઓ બેખૌફ થઈ ધંધો કરી રહ્યા છે.
એક્‍સાઈઝ વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહેલ ગેરકાયદેસર દારૂની તસ્‍કરી અભિયાનમાં આગળ જ્‍યારે આ રીતે ગેરકાયદેસર દારૂનો જથ્‍થો પકડાય તો અસલી સૂત્રધારો વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવા દાદરા નગર હવેલી શિવસેનાના પ્રદેશ પ્રમુખ શ્રી શ્વેતલ ભટ્ટ દ્વારા એક્‍સાઇઝ કમિશ્નરને લેખિત રજૂઆત કરી છે.
હવે જોવું એ રહ્યું કે, શિવસેના પ્રદેશ પ્રમુખ શ્રી શ્વેતલ ભટ્ટની રજૂઆત બાદ એક્‍સાઈઝ વિભાગ કેવા પગલાં ભરેછે…?

Related posts

વાપી એલ.જી. હરિયા સ્‍કૂલના વિદ્યાર્થીઓ ડ્રોઈંગ સ્‍પર્ધામાં વિજેતા બન્‍યા

vartmanpravah

રાજ્‍યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ છરવાડા અંડરપાસની ટ્રાફિક નિયમન વ્‍યવસ્‍થાનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

ઉમરગામ સોળસુંબામાં સર્જાયેલી કરુણાંતિકા: ખાળકુવાના સફાઈ માટે ખાડામાં ઉતરેલા ત્રણ વ્‍યક્‍તિમાંથી બે ના મોત

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્‍ટિ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કાબેલ વહીવટમાં દાનહ અને દમણ-દીવમાં ગુંડાગીર્દી, હપ્તાખોરી અને અવૈધ કારોબાર ઉપર આવેલો અંકુશ

vartmanpravah

વલસાડમાં વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશમાં પ્રશાસક પ્રફુલભાઈ પટેલે આંગણવાડી વર્કરો-સહાયકો તથા આશા વર્કરોના વેતનમાં વધારાની કરેલી જાહેરાત

vartmanpravah

Leave a Comment