April 18, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ગેરકાયદેસર દારૂની હેરાફેરીમાં એક્‍સાઇઝ વિભાગ દ્વારા ફક્‍ત વાહનોના ચાલકોની જ ધરપકડ કરાતી હોવાથી દાનહમાં દારૂના અસલી તસ્‍કરો/બુટલેગરોને પકડી કડક કાર્યવાહી કરવા પ્રદેશ શિવસેના પ્રમુખ શ્વેતલ ભટ્ટે એક્‍સાઇઝ કમિશ્નરને કરેલી લેખિત રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.25: દાદરા નગર હવેલીમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરનારા અસલી તસ્‍કર/બુટલેગરોને પકડી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા શિવસેના પ્રદેશ પ્રમુખ શ્રી શ્વેતલ ભટ્ટે એક્‍સાઇઝ કમિશ્નરને લેખિત રજૂઆત કરી છે.
દાનહ શિવસેના પ્રદેશ પ્રમુખ શ્રી શ્વેતલ ભટ્ટે એક્‍સાઇઝ કમિશ્નરને લેખિત રજૂઆતના પગલે એક્‍સાઈઝ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલ પ્રેસનોટ મુજબ પ્રદેશમાં છેલ્લા 60 દિવસમાં ચલાવવામાં આવેલ ગેરકાયદેસર દારૂ તસ્‍કરી વિરુદ્ધ અભિયાન મુજબ 14 કેસો દાખલ કરવામાં આવેલ અને લાખો રૂપિયાનોદારૂનો જથ્‍થો જપ્ત કરવામાં આવેલ. પરંતુ આ અભિયાનમાં વાહન ચાલક ઉપર જ કાર્યવાહી થઈ રહી છે. પરંતુ ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરનાર અસલી તસ્‍કર/બુટલેગરનો કોઈ જ ઉલ્લેખ નથી થતો જે એક ચર્ચાનો વિષય બન્‍યો છે.
દાનહ એક્‍સાઇઝ વિભાગની ટીમ ગુપ્ત જાણકારી મળતા તરત જ જગ્‍યા પર પહોંચી જાય છે અને ગેરકાયદેસર દારૂ તસ્‍કરીવાળા વાહનોને જપ્ત કરી ચાલક ઉપર કાર્યવાહી કરે છે. એ કરવું પણ જરૂરી છે, પરંતુ એની સાથે સાથે ગેરકાયદેસર દારૂની તસ્‍કરીના મૂળિયા સુધી પહોંચવા માટે જગ્‍યા પર પકડાનાર વ્‍યક્‍તિ/વાહન ચાલક પાસેથી અસલી તસ્‍કર/બુટલેગરની માહિતી હાથ લાગી શકે છે. એણે દારૂની ગાડી કોના કહેવા પર અને ક્‍યાંથી ભરી છે? એવા આસાન કામને અંજામ આપી શકાય છે. પરંતુ એવું નહીં થવાને કારણે શરાબ માફિયાઓ બેખૌફ થઈ ધંધો કરી રહ્યા છે.
એક્‍સાઈઝ વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહેલ ગેરકાયદેસર દારૂની તસ્‍કરી અભિયાનમાં આગળ જ્‍યારે આ રીતે ગેરકાયદેસર દારૂનો જથ્‍થો પકડાય તો અસલી સૂત્રધારો વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવા દાદરા નગર હવેલી શિવસેનાના પ્રદેશ પ્રમુખ શ્રી શ્વેતલ ભટ્ટ દ્વારા એક્‍સાઇઝ કમિશ્નરને લેખિત રજૂઆત કરી છે.
હવે જોવું એ રહ્યું કે, શિવસેના પ્રદેશ પ્રમુખ શ્રી શ્વેતલ ભટ્ટની રજૂઆત બાદ એક્‍સાઈઝ વિભાગ કેવા પગલાં ભરેછે…?

Related posts

સીબીએસઈની ધોરણ 10ની પરીક્ષામાં પરિણામ નબળુ આવતાં દાનહની બે ખાનગી શાળાના વિદ્યાર્થીઓએ તણાવમાં આવી કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

ઉમરગામ તાલુકાના અચ્‍છારી ગામની 73 વર્ષિય વયોવૃદ્ધ મહિલાની જમીન હડપી લેવાના કાવતરાંમાં ઉમરગામના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્‍ય શંકરભાઈ વારલીને ભિલાડ પોલીસનું તેડું: ભેદભરમ બહાર આવવાની સંભાવના

vartmanpravah

બગવાડા ઓવરબ્રિજની કામગીરી પૂર્ણતાને આરેઃ ટૂંક સમયમાં લોકાર્પણની ચાલતી તૈયારીઓ

vartmanpravah

મંદિરોમાં ચોરી કરનારો ચોર ટુકવાડાથી ઝડપાયો

vartmanpravah

વાપીમાં જન્‍મેલા 680 ગ્રામના નવજાત બાળકનો ચમત્‍કારી બચાવ થયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીજીની તારીખ 17 મી સપ્‍ટેમ્‍બરના રોજ વર્ષગાંઠ નિમિત્તે ‘‘સેવા પખવાડિયા અંતર્ગત 2જી ઓક્‍ટોબર સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે

vartmanpravah

Leave a Comment