January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી બારગામ કડવા પાટીદાર સમાજનો પરિવાર સ્‍નેહ મિલન સમારોહ યોજાયો

મોટીવેશન, સાંસ્‍કૃતિક કાર્યક્રમ સહિત ઉચ્‍ચ શૈક્ષણિક છાત્રોનું સન્‍માન કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: વાપી, વલસાડ, ઉમરગામમાં વસતા મહેસામા-પાટણ જિલ્લાના બારગામ કડવા પાટીદાર સમાજનો 24મો સ્‍નેહમિલન સમારોહ રવિવારે વી.આઈ.એ. હોલમાં યોજાયો હતો.
વાપીમાં 40 વર્ષથી મહેસાણા-પાટણ જિલ્લાના બારગામ કડવા પાટીદાર સમાજના 500 જેટલા પરિવાર સ્‍થાયી થયેલા છે. આ પરિવારો દ્વારા સ્‍થાપિત સંચાલિત બારગામ કડવા પાટીદાર સમાજ દ્વારા પ્રતિ વર્ષે સ્‍નેહ મિલન સમારોહ યોજાય છે. રવિવારે વી.આઈ.એ. હોલમાં 24મો સ્‍નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના ભોજન, શૈક્ષણિક અને બેટી વધાવોના સ્‍પોન્‍સર સ્‍વ.કાન્‍તાબેન નારાયણભાઈ પટેલ(ચાણસ્‍મા) હતો. નિકુર એન્‍ટરપ્રાઈઝવાળા ભોજનદાતા કમલેશભાઈ નારાયણભાઈ પટેલ, રાજેન્‍દ્રભાઈ નારાયણભાઈ પટેલ તથા મુખ્‍ય શિક્ષણદાતા નિરેન પટેલ, કૃણાલ પટેલ તથા બેટી વધાવોના મુખ્‍ય દાતા ડો.બીનલ પટેલ, અંજલી પટેલ હતા. કાર્યક્રમમાં ચાણસ્‍મા ગૃપની બહેનોએસુંદર નૃત્‍ય ગરબા રજૂ કર્યા હતા. મોટીવેશન વક્‍તા તરીકે લાઈફ કોચ ખુશાળ પટેલ સેમજ મિમિક્રી સુરતી કનવરલાલ વેકરીયાએ હાસ્‍ય સભર સેવા આપી હતી. કાર્યક્રમના પ્રમુખ બારગામ સમાજના પ્રમુખ જગદીશભાઈ પટેલ (મમતા સ્‍ટીલ) હતા. ઉપ પ્રમુખ સુરેશભાઈ પટેલ કોર્પોરેટર, મંત્રી જગદીશભાઈ પટેલ, ખજાનચી રાકેશભાઈ પટેલ અને કારોબારીની ટીમે સરાહનીય જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો. આગામી ટર્મ માટે નવી જાહેર થયેલ કારોબારીમાં પ્રમુખ તરીકે અનિલભાઈ પટેલ, ઉપ પ્રમુખ સુરેશભાઈ પટેલ, મંત્રી રાકેશભાઈ પટેલ અને ખજાનચી તરીકે પંકજભાઈ પટેલના નામની જાહેરાત કરાઈ હતી. આગામી સન 2030 સુધીના કાર્યક્રમના સ્‍પોન્‍સર દાતાઓના નામની જાહેરાત કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન શીરીનબેન પટેલે કર્યું હતું.

Related posts

વાપીની શ્રી રાજ રાજેશ્વરી વિદ્યા મંદિર શાળાનું ગૌરવ

vartmanpravah

વિધાનસભા નાયબ મુખ્‍ય દંડકના અધ્‍યક્ષસ્‍થાને કપરાડા ખાતે આંતરરાષ્‍ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

GNLU કેમ્‍પસ સેલવાસ ખાતે ECO ક્‍લબનું કરાયેલું ઉદ્‌ઘાટનઃ પ્‍લાન્‍ટેશન ડ્રાઇવ અંતર્ગત 100થી વધુ વૃક્ષોનું કરાયેલું વાવેતર

vartmanpravah

નારી સંરક્ષણ કેન્‍દ્ર ખુંધ ચીખલીની સરાહનીય કામગીરી જિલ્લા કલેક્‍ટર અમિત પ્રકાશ યાદવના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લાની મૂકબધિર બહેનને તેના પરિવાર સાથે મિલાપ કરાવ્‍યો

vartmanpravah

સેલવાસના સાંઈધામ સોસાયટીમાંથી પાંચમા માળેથી યુવતીએ છલાંગ લગાવતા ઈજા થતાં સારવાર હેઠળ

vartmanpravah

સંઘપ્રદેશ દાનહઅને દમણ-દીવને ભારત સરકાર દ્વારા રૂા.250 કરોડની ભેટ દાનહના રખોલી-ખડોલી-વેલુગામ રોડની ફોરલેન યોજના મંજૂર : સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા રૂા.163 કરોડની ફાળવણી

vartmanpravah

Leave a Comment