Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વલસાડમાં સ્‍કૂલ જવાનું માતા દ્વારા કહેવામાં આવતા કિશોરે ટેરેસ પરથી મોતની છલાંગ લગાવી

ધો.9 માં અભ્‍યાસ કરતો જયસન સુમરેકર ચાર-પાંચ દિવસથી સ્‍કૂલ જતો નહોતો : ફ્રી ફાયર ગેમના રવાડે ચઢી ગયો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: વલસાડમાં આજે વહેલી સવારે સમાજને લાલબત્તી ધરતી ઘટના બની હતી. માતા દ્વારા સ્‍કૂલે જવાનું કહેવાતા માઠું લાગતા કિશોરે પોતાના ઘરની છત ઉપર ચઢીને મોતની છલાંગ લગાવી દેતા કિશોરનું સારવારમાં મોત નિપજ્‍યુ હતું.
સમાજને ઝકઝોળી નાખે તેવી ઘટના વલસાડના કૈલાસનગર શેઠીયાનગર વિસ્‍તારમાં ઘટી હતી. ઋષિકેશ એપાર્ટમેન્‍ટના ત્રીજા માળે પન્નાબેન ભીખુભાઈ સુમરેકર ફલેટ નં.301માં રહે છે. આજે બુધવારે સવારે તેમણે પૂત્ર જયસનને સ્‍કૂલે જવાનું કહેલું પણ ત્રણ-ચાર દિવસથી સ્‍કૂલે જતો નહોતો તેથી માતાએ દબાણ કરેલું તેથી 15 વર્ષિય જયસન સીધો ટેરેશ ઉપર ચઢીને મોતની છલાંગ લગાવી પડતું મુક્‍યું હતું. લોકોએ તાત્‍કાલિક 108માં કસ્‍તુરબા હોસ્‍પિટલમાં ખસેડી લીધો હતો. પરંતુ અતિગંભીરઈજાઓથી તબીબો તેનો જીવ બચાવી શક્‍યા નહોતા. ઘટનાની ભીતરમાં કથિત બહાર આવેલ વિગતો મુજબ જયસન અબ્રામા ઈંગ્‍લીશ મીડિયમ ખાનગી સ્‍કૂલમાં ધો.9માં અભ્‍યાસ કરતો હતો. તેમજ મોબાઈલની ફ્રી ફાયર ગેઈમ રમવાની લતે ચઢી ગયો હતો તેથી ભણવા જવું ગમતું નહોતું. સ્‍કૂલમાં ગેઈમ રમાઈ નહી તેથી માઠું લાગી ગયેલું અને અંતિમ પગલું ભરી લીધું હતું. વિદ્યાર્થીઓની આપઘાતની વલસાડમાં સતત બીજા દિવસે બીજી ઘટના બની છે. જે સમાજ, શાળા પરિવારોએ તેની ગંભીરતા લેવી ઘટે.

Related posts

નવસારી જિલ્લામાં અસરગ્રસ્ત થયેલા વિસ્તારોમાં વીજ પુરવઠો પુર્વવત કરાયો

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકરે સુરંગી પંચાયતની મુલાકાત લઈ ગ્રામજનોની સાંભળેલી સમસ્‍યા

vartmanpravah

વાપીમાં દબદબાપૂર્વક ગણેશોત્‍સવનો પ્રારંભ: અનેક પંડાલોમાં ચંન્‍દ્રયાન-3ની કૃતિ સજ્જ કરાઈ

vartmanpravah

મોટી દમણ હિન્‍દુ સ્‍મશાન ભૂમિ ટ્રસ્‍ટના પ્રમુખ તરીકે ઈશ્વરભાઈ પટેલની કરાયેલી વરણી: મહામંત્રી પદે જેસલભાઈ પરમાર અને ટ્રસ્‍ટી તરીકે પ્રમોદભાઈ રાણાની નિયુક્‍તિ

vartmanpravah

ચીખલી-વાંસદા ધોરીમાર્ગ પર જનતાના લાખો રૂપિયાના ખર્ચે બનાવેલા (થર્મો પ્‍લાસ્‍ટ) સફેદ રંગના પટ્ટા ઉપર જામેલા ધૂળના ઢગલાં: નિંદ્રાધિન તંત્ર ક્‍યારે જાગશે?

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સતર્કતા જાગૃકતા સપ્તાહ’ અભિયાન અંતર્ગત સેલવાસ નગરપાલિકાના કર્મચારીઓને ચીફ ઓફિસર સંગ્રામ શિંદેઍ લેવડાવેલા સંકલ્પ

vartmanpravah

Leave a Comment