Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહની બેંક ઓફ બરોડાની શાખાઓમાં 115મો સ્‍થાપના દિવસ ઉજવાયો

આંગણવાડીના બાળકોને રેઈનકોટ વિતરણ કરવામાં આવ્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20: દાદરા નગર હવેલીની અગ્રણી બેંક બેંક ઓફ બરોડાનો 115મો સ્‍થાપના દિવસ દરેક 12 બ્રાન્‍ચના ગ્રાહકો સાથે મનાવવામાં આવ્‍યો હતો. આ અવસરે બાળ વિકાસ પરિયોજનાના અધિકારી શ્રીમતી નમ્રતાબેન પરમારના માર્ગદર્શનમાં ગ્રામીણ ક્ષેત્ર માંદોની અને સીંદોની આંગણવાડીના 130 બાળકોને સી.એસ.આર. અંતર્ગત રેઈનકોટનું વિતરણ કરવામાં આવ્‍યું હતું સાથે નોટબૂક પેન અને ફૂડપેકેટનું પણ વિતરણ કરવામાં આવ્‍યું હતું. બેંક ઓફ બરોડા દ્વારા ચલાવવામાં આવી રહેલ ગ્રામીણ સ્‍વરોજગાર પ્રશિક્ષણ સંસ્‍થા આરસેટીમાં 115 ઔષધિય અને ફળના વૃક્ષા રોપણ અને વિતરણ કરવામાં આવ્‍યું સાથે દરેક શાખાઓમાં નૈતિકતા આચરણ સંહિતાનું પાલન કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આ અવસરે બેંક ઓફ બરોડાના ઉપરી અધિકારી,બ્રાન્‍ચ મેનેજર, કર્મચારી માંદોની, સીંદોની જિલ્લા પંચાયત સભ્‍ય, સરપંચ, બાળ વિકાસ પરિયોજનાના કર્મચારી, બેંક ઓફ બરોડાના કર્મચારી અને આરસેટીના કર્મચારી ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

એનસીઈઆરટી દ્વારા શાળાઓમાં ફાઉન્‍ડેશનલ લર્નિંગ સ્‍ટડી-ર0રર હાથ ધરાઈ

vartmanpravah

સંઘપ્રદેશ ભાજપ પ્રભારી વિજ્‍યા રહાટકરે દીવ ન.પા.ને જીતવા શરૂ કરેલા તેજ પ્રયાસો:  ન.પા.ના તમામ 13 વોર્ડના કાર્યકર્તાઓ સાથે યોજેલી બેઠક

vartmanpravah

લોકસભાની પેટા ચૂંટણી જાહેર થતાં જ: દાનહ સહિત પ્રદેશની ગરમ બનેલી રાજનીતિઃ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ

vartmanpravah

વાપી યુ.પી.એલ. મુક્‍તિધામને 6 વર્ષ પુરા થયા: 4763 જેટલા મૃતદેહોના અગ્નિ સંસ્‍કાર કરાયા

vartmanpravah

વલસાડ જિલ્લામાં આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપના કવરત્તી ખાતે હેલિપેડ નિર્માણ કાર્યનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

Leave a Comment