January 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

તા.૭ મી ના રોજ યોજનારી તલાટી કમ મંત્રીની પરીક્ષા અન્વયે નવસારી જિલ્લામાંથી એકસ્ટ્રા બસો દોડાવવાનું આયોજન

પરીક્ષાર્થીઓની મદદ માટે સ્ટાફ પણ વિભાગીય કચેરી/ડેપો ખાતે ૨૪×૭ ફરજ બજાવશે

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવસારી, તા.0૪: આગામી તા.૦૭/૦૫/૨૦૨૩ ના રોજ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) ની પરીક્ષા યોજાનાર છે. જેને અનુલક્ષીને વલસાડ એસ.ટી.વિભાગ દ્વારા નવસારી જિલ્લામાંથી સુરત, ભરૂચ, વલસાડ, તાપી જિલ્લામાં પરીક્ષા આપવા જનાર પરીક્ષાર્થીઓ માટે નવસારી ડેપો, બીલીમોરા ડેપો ખાતેથી પરીક્ષાર્થીઓ માટે એકસ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૭ મે ના રોજ જિલ્લાવાર ૧૦૫ વાહનો સ્ટેન્ડબાય રાખવામાં આવ્યાં છે. આ બસોનો લાભ પરીક્ષાર્થીઓએ ડેપો/કંટ્રોલ પોઇન્ટ ખાતેથી લઇ શકશે.
વધુમાં પરીક્ષાર્થીઓની મદદ માટે સ્ટાફને પણ વિભાગીય કચેરી/ડેપો ખાતે ૨૪×૭ ફરજ ઉપર હાજર રાખવામાં આવનાર છે. વિદ્યાર્થીઓ દ્વારા ગૃપમાં આખી બસનું બુકીંગ માંગવામાં આવશે તો પણ નિયત સ્થળેથી પરીક્ષા કેન્દ્ર સુધી બસની વિશેષ સુવિધા પૂરી પાડવામાં આવશે તેમ વિભાગીય નિયામક, વલસાડની યાદીમાં જણાવાયું છે.

Related posts

દાનહ ભાજપમાં વિલીનીકરણ થયેલા જિ.પં. અને ન.પા.ના સભ્‍યો તથા દમણ ભાજપના અગ્રણીઓએ દિલ્‍હી ખાતે રાષ્‍ટ્રીય ભાજપ અધ્‍યક્ષ જે.પી.નડ્ડા અને મહાસચિવ બી.એલ.સંતોષની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

બિલીમોરાના જૈન દેરાસરમાં થયેલી ચોરીનો ભેદ નવસારી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે માત્ર ૧૬ દિવસમાં ઉકેલી સોના-ચાંદીની કિંમતી મૂર્તિઓ ટ્રસ્ટીઓને પરત કરી

vartmanpravah

સંત નિરંકારી મિશન દ્વારા અમૃત પરિયોજના અંતર્ગત દેશવ્‍યાપી ‘સ્‍વચ્‍છ જળ-સ્‍વચ્‍છ મન’ અભિયાનનો શુભારંભ

vartmanpravah

વાપી પાલિકાએ વેરા વસૂલાત અભિયાનમાં 8 ઓફિસો અને 1 ગેરેજને તાળું મારવા સાથે બે ચાલીના કાપેલા નળ જોડાણ 

vartmanpravah

ઉમરગામ તાલુકાના સંજાણ અને દહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને NQAS પ્રમાણપત્ર મળ્યું

vartmanpravah

સંસદની જળ સંસાધન સંબંધિત સ્‍ટેન્‍ડિંગ કમિટિના સાંસદોએ દમણવાડા ગ્રામ પંચાયત અને નંદઘરની લીધેલી મુલાકાત

vartmanpravah

Leave a Comment