July 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

રવિવારે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પેડેસ્‍ટ્રીયલ બ્રિજ પાસે ચિલ્‍ડ્રન મેમોરિયલ પાર્કનું લોકાર્પણ કરશે

28મી ઓગસ્‍ટ, 2003ના રોજ ગોઝારી પુલ દુર્ઘટનામાં મોતના શિકાર બનેલા 28 બાળકોની પુનિત સ્‍મૃતિમાં સંઘપ્રદેશ પ્રશાસને મેમોરિયલ પાર્કનું નિર્માણ કરી આપેલી ચિરંજીવ શ્રદ્ધાંજલિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.26: અગામી 28મી ઓગસ્‍ટના રવિવારે પેડેસ્‍ટ્રીયલ બ્રિજ, મોટી દમણ ખાતે નવનિર્મિત ચિલ્‍ડ્રન મેમોરિયલ પાર્કનું સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના હસ્‍તે લોકાર્પણ કરાશે.
અત્રે યાદ રહે કે, તા.28મી ઓગસ્‍ટ, 2003ના રોજ ગોઝારી પુલ દુર્ઘટનામાં 28 બાળકોના મોત થયા હતા. જેની પુનિત સ્‍મૃતિમાં સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ચિલ્‍ડ્રન મેમોરિયલ પાર્કનું નિર્માણ કરી મૃતકોને ચિંરજીવ શ્રદ્ધાંજલિ આપવાનું આયોજન કર્યું છે.
રવિવારે યોજાનાર લોકાર્પણ સમારંભમાં એક શાંતિ સભાનું પણ આયોજન કરાયું હોવાની જાણકારી મળી છે.

Related posts

આજથી નવલી નવરાત્રિનો પ્રારંભ થશેઃ નવ દિવસ લોકો ગરબે ઘૂમશે

vartmanpravah

દમણ જિલ્લા માહ્યાવંશી સમાજના પ્રતિનિધિઓએ ડીપીએલ-3માં પહોંચી ખેલાડીઓનો વધારેલો ઉત્‍સાહ

vartmanpravah

અબ્રામા હાઈવે ઉપર બે બાઈક ભટકાતા પડી ગયેલ યુવાન ઉપર ટ્રેક્‍ટરનું ટાયર ફરી વળતા કરુણ મોત

vartmanpravah

દાનહમાં ખેલ અને યુવા વિભાગ દ્વારા શતરંજ સ્‍પર્ધાનું આયોજન કરાયું

vartmanpravah

ધરમપુર ડેપોએ મોરખલ, દાબખલના પાસ બંધ કરી દેતા સેલવાસ નોકરી જતા સેંકડો કર્મચારીઓ મુશ્‍કેલીમાં મુકાયા

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા. 16 ઓક્ટોબરે લેવાનારી જીપીએસસીની પરીક્ષા અંગે કલેકટર ક્ષિપ્રા આગ્રેએ બેઠક યોજી, તટસ્થ રીતે કામગીરી કરવા સૂચના આપી

vartmanpravah

Leave a Comment