February 5, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

રવિવારે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પેડેસ્‍ટ્રીયલ બ્રિજ પાસે ચિલ્‍ડ્રન મેમોરિયલ પાર્કનું લોકાર્પણ કરશે

28મી ઓગસ્‍ટ, 2003ના રોજ ગોઝારી પુલ દુર્ઘટનામાં મોતના શિકાર બનેલા 28 બાળકોની પુનિત સ્‍મૃતિમાં સંઘપ્રદેશ પ્રશાસને મેમોરિયલ પાર્કનું નિર્માણ કરી આપેલી ચિરંજીવ શ્રદ્ધાંજલિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.26: અગામી 28મી ઓગસ્‍ટના રવિવારે પેડેસ્‍ટ્રીયલ બ્રિજ, મોટી દમણ ખાતે નવનિર્મિત ચિલ્‍ડ્રન મેમોરિયલ પાર્કનું સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના હસ્‍તે લોકાર્પણ કરાશે.
અત્રે યાદ રહે કે, તા.28મી ઓગસ્‍ટ, 2003ના રોજ ગોઝારી પુલ દુર્ઘટનામાં 28 બાળકોના મોત થયા હતા. જેની પુનિત સ્‍મૃતિમાં સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ચિલ્‍ડ્રન મેમોરિયલ પાર્કનું નિર્માણ કરી મૃતકોને ચિંરજીવ શ્રદ્ધાંજલિ આપવાનું આયોજન કર્યું છે.
રવિવારે યોજાનાર લોકાર્પણ સમારંભમાં એક શાંતિ સભાનું પણ આયોજન કરાયું હોવાની જાણકારી મળી છે.

Related posts

ચીખલીના નોગામા ગામે તળાવમાંથી માટી ખનનનું ભૂત સામાન્‍ય સભામાં ફરી ધૂણ્‍યું : ડેપ્‍યુટી સરપંચ સામે બહુમતીથી અવિશ્વાસની દરખાસ્‍ત પસાર

vartmanpravah

વલસાડ, વાપી, પારડીમાં સૃષ્‍ટિનો સર્જનહાર જગન્નાથ રથમાં સવાર થઈ શહેરની શેરીઓની પરિક્રમાએ

vartmanpravah

વલસાડ લીલાપોર કોસ્‍ટલ હાઈવે ઉપર રેતી ભરેલ ટ્રક પલટી મારી જતા દોડધામ મચી ગઈ

vartmanpravah

કિલ્લા પરિસરના સૌંદર્યીકરણની જાળવણી બાબતે દમણ ન.પા.ના ચીફ ઓફિસરે રહેવાસીઓ સાથે કરેલી બેઠક

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં ગેરકાયદે તમાકુ પેકીંગ કરતી કંપની ઝડપાઈ : પોલીસે સીલ કરી

vartmanpravah

દ.ગુ.વી. કંપની પેટા વિભાગીય કચેરી નાનાપોંઢા દ્વારા સેફટી વિક અંતર્ગત બાળકો માટે વીજ સલામતીને લગતી ચિત્ર સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment