Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વલસાડમાં સ્‍કૂલ જવાનું માતા દ્વારા કહેવામાં આવતા કિશોરે ટેરેસ પરથી મોતની છલાંગ લગાવી

ધો.9 માં અભ્‍યાસ કરતો જયસન સુમરેકર ચાર-પાંચ દિવસથી સ્‍કૂલ જતો નહોતો : ફ્રી ફાયર ગેમના રવાડે ચઢી ગયો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: વલસાડમાં આજે વહેલી સવારે સમાજને લાલબત્તી ધરતી ઘટના બની હતી. માતા દ્વારા સ્‍કૂલે જવાનું કહેવાતા માઠું લાગતા કિશોરે પોતાના ઘરની છત ઉપર ચઢીને મોતની છલાંગ લગાવી દેતા કિશોરનું સારવારમાં મોત નિપજ્‍યુ હતું.
સમાજને ઝકઝોળી નાખે તેવી ઘટના વલસાડના કૈલાસનગર શેઠીયાનગર વિસ્‍તારમાં ઘટી હતી. ઋષિકેશ એપાર્ટમેન્‍ટના ત્રીજા માળે પન્નાબેન ભીખુભાઈ સુમરેકર ફલેટ નં.301માં રહે છે. આજે બુધવારે સવારે તેમણે પૂત્ર જયસનને સ્‍કૂલે જવાનું કહેલું પણ ત્રણ-ચાર દિવસથી સ્‍કૂલે જતો નહોતો તેથી માતાએ દબાણ કરેલું તેથી 15 વર્ષિય જયસન સીધો ટેરેશ ઉપર ચઢીને મોતની છલાંગ લગાવી પડતું મુક્‍યું હતું. લોકોએ તાત્‍કાલિક 108માં કસ્‍તુરબા હોસ્‍પિટલમાં ખસેડી લીધો હતો. પરંતુ અતિગંભીરઈજાઓથી તબીબો તેનો જીવ બચાવી શક્‍યા નહોતા. ઘટનાની ભીતરમાં કથિત બહાર આવેલ વિગતો મુજબ જયસન અબ્રામા ઈંગ્‍લીશ મીડિયમ ખાનગી સ્‍કૂલમાં ધો.9માં અભ્‍યાસ કરતો હતો. તેમજ મોબાઈલની ફ્રી ફાયર ગેઈમ રમવાની લતે ચઢી ગયો હતો તેથી ભણવા જવું ગમતું નહોતું. સ્‍કૂલમાં ગેઈમ રમાઈ નહી તેથી માઠું લાગી ગયેલું અને અંતિમ પગલું ભરી લીધું હતું. વિદ્યાર્થીઓની આપઘાતની વલસાડમાં સતત બીજા દિવસે બીજી ઘટના બની છે. જે સમાજ, શાળા પરિવારોએ તેની ગંભીરતા લેવી ઘટે.

Related posts

વાપી જીઆઈડીસી અંબામાતા મંદિર પરિસરમાં ચાલી રહેલી ભાગવત કથામાં કૃષ્‍ણ જન્‍મોત્‍સવની કરાયેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ માટે પ્રફુલભાઈ પટેલનું આગમન એક દૈવી અવતારથી પણ ઓછું નથી

vartmanpravah

કિકરલા ખાતે બે મોટર સાયકલ સામ સામે અથડાતા થયો ગંભીર અકસ્‍માત

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર અને વહીવટી તંત્રના સંયુક્‍ત ઉપક્રમે વિલ્‍સન હિલ પર ખગોળ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણ જિલ્લા પ્રશાસન દ્વારા છઠ્ઠ પૂજા માટે ત્રણ સ્‍થળો નક્કી કરાયા

vartmanpravah

બિલીમોરાના જૈન દેરાસરમાં થયેલી ચોરીનો ભેદ નવસારી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે માત્ર ૧૬ દિવસમાં ઉકેલી સોના-ચાંદીની કિંમતી મૂર્તિઓ ટ્રસ્ટીઓને પરત કરી

vartmanpravah

Leave a Comment