August 31, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવાપીસેલવાસ

જે.પી.પારડીવાલા આર્ટ્‍સ એન્‍ડ કોમર્સ કોલેજ કિલ્લા-પારડી ખાતે એનએસએસના ઉપક્રમે ઈ-એફઆઈઆર એપની માહિતીના કાર્યક્રમનું આયોજન

પારડી પોલીસ સ્‍ટેશનના પીએસઆઈ જયદીપસિંહ સોલંકીએ કોલેજના 235 જેટલા વિદ્યાર્થીઓને ‘‘ઈ-એફઆઈઆર એપ તથા સાઈબર ક્રાઈમની” થી કર્યા વાકેફ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.27
ગુજરાત રાજ્‍યગૃહ વિભાગ દ્વારા વિકસાવવામાં આવેલ સીટીઝન પોર્ટલ અને સીટીઝન ફર્સ્‍ટએપ્‍લિકેશન મોબાઈલ એપ મારફતે વાહન ચોરી કે મોબાઇલ ચોરી વિગેરે માટે અરજદારો અથવા નાગરિકોએ પોલીસ સ્‍ટેશનમાં જવાની જરૂરિયાત નથી પરંતુ ઈ.એફ.આઈ.આર. એપ દ્વારા ઓનલાઈન એફઆઈઆરની નોંધણી કોઈપણ જગ્‍યાએથી કરી શકાશે. આ ઉપરાંત એફઆઈઆરની તપાસ અંગેની જાણકારી એફઆઈઆરની કોપી પણ અરજદારોને તથા નાગરિકોને ઓનલાઈન મળી શકશે. આ ઉપરાંત તપાસ અધિકારી 30 દિવસમાં તપાસ પૂર્ણ કરી કોર્ટને મોકલશે. જેથી નાગરિકોને વિમાની રકમ મેળવવામાં સરળતા રહેશે તથા પોલીસ તથા અરજદાર અને નાગરિકોનો સમય પણ બચશે. આ ઉપરાંત હાલની પોલીસ સ્‍ટેશનની પ્રક્રિયા, તેની કાર્ય પ્રણાલી, થાણા અધિકારીની જવાબદારી, વિભાગીય પોલીસની જવાબદારી, નાયબ પોલીસ કમિશનની જવાબદારી, પોલીસ અધિક્ષકની જવાબદારી, સીટીઝન પોર્ટલ ડેસ્‍ટોપ સ્‍કીન, એફઆઈઆર મોબાઈલ એપ્‍લિકેશન સ્‍કીન, ડિસ્‍કલેમર સીટીઝન પોર્ટલ, નાગરિકો માટે ઈ-એફઆઈઆર ભરવાના ફોર્મ તથા સાયબર ક્રાઈમની માહિતી તેમાં થતી છેતરપિંડી તથા તેમાંથી બચવાના ઉપાયોની તમામ માહિતી ખૂબ જ સચોટ અને સરળ ભાષામાં પારડી પોલીસ સ્‍ટેશનના પી.એસ.આઈ જયદીપસિંહ સોલંકી દ્વારા પારડી જે.પી. પારડીવાલા કોલેજ ખાતે 235 થી વધુ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાંએનએસએસ પ્રોગ્રામ ઓફિસર મણીબેન સોલંકી, ઈન્‍ચાર્જ આચાર્ય ગંગાબેન, પારડી પોલીસ સ્‍ટેશનના પીએસઆઈ જયદીપસિંહ સોલંકી તથા તેમનો સ્‍ટાફ, પ્રોફેસર દિલીપભાઈ પટેલ, પ્રવીણભાઈ પટેલ વિગેરે ઉપસ્‍થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્‍યો હતો.

Related posts

કોંગ્રેસના શાસનમાં તગડા બનેલા નેતાઓએ પક્ષને કરેલા દગાનો ભોગ આજે દાદરા નગર હવેલીની જનતા ભોગવી રહી છેઃ દાનહ કોંગ્રેસ પ્રમુખ મહેશ શર્મા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દમણ પરિવહન અને શિક્ષણ વિભાગના સંયુક્‍ત ઉપક્રમે શાળા-કોલેજની પરિવહન સેવા અંગે જાગૃતિ કાર્યશાળા યોજાઈ

vartmanpravah

પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન ૨૦૨૫ અંતર્ગત લવાછા પીએચસી કેન્‍દ્રમાં 40 જરૂરીયાતમંદ ટીબીના દર્દીઓને પૌષ્ટિક આહારનું કરાયેલું વિતરણ

vartmanpravah

દાનહમાં પરશુરામ જયંતિ નિમિતે બ્રહ્મ સમાજ દ્વારા રેલી કાઢવામા આવી

vartmanpravah

સેલવાસ ઝંડાચોક હિન્‍દી મીડિયમ શાળામાં વાલીઓ સાથે શિક્ષક સંઘની યોજાયેલી બેઠકમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં સહભાગીતાનો લેવામાં આવ્‍યો સંકલ્‍પ

vartmanpravah

વરિષ્‍ઠ આઈ.એ.એસ. અધિકારી ડો. એ.મુથમ્‍માને રિલીવ કરાતા તેમના વિભાગોની કરાયેલી ફાળવણી સંઘપ્રદેશના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગનો અખત્‍યાર પ્રશાસકશ્રીના સલાહકાર વિકાસ આનંદ સંભાળશે

vartmanpravah

Leave a Comment