April 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ ઝૂંબેશને સંદર્ભે ભીમપોરમાં ગ્રામસભા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.27: નાની દમણના ભીમપોર પંચાયત ઘરમાં ‘હર ઘર તિરંગા’ ઝૂંબેશને લઈ આજે એક ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્‍યું, જેમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસન દ્વારા ભારત પોતાની આઝાદીના 75 વર્ષ પુરા થવા ઉપર ખુશી ઉત્‍સવ અંતર્ગત ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ મનાવી રહ્યું છે, જે અંતર્ગત ભીમપોરપંચાયત દ્વારા દરેક ગામવાસીઓને રાત્રી ચૌપાલ કરીને તારીખ 13 થી 15મી ઓગસ્‍ટ દરમ્‍યાન યોજાનાર ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત પોતાના ઘર, દુકાનો તેમજ આદ્યોગિક એકમોમાં તિરંગો ઝંડો લહેરાવી આઝાદીના અમૃત મહોત્‍સવ ધૂમધામથી મનાવે. આ પાવન પર્વે રાષ્‍ટ્રપે્રમ અને રાષ્‍ટ્ર અભિમાનની ભાવનાને જાગૃત કરી પોતાના ઘર પાસે, દુકાન પાસે, શેરીમાં, ગલી મહોલ્લામાં દેશ ભક્‍તિ ગીત વગાડી શકે છે. કેસરિયા, સફેદ અને લીલા રાગના ફુગ્‍ગાઓ ફુલાવી કે રંગોળી કરી દેશભક્‍તિ સાથે જોડાય જેના માટે ભીમપોર પંચાયત પર ગ્રામસભાનું આયોજન કરવામાં આવી.
આ ગ્રામ સભામાં સરપંચશ્રી શાંતિલાલ પટેલ, જિલ્લા પંચાત સભ્‍યશ્રી યોગેશભાઈ પટેલ, ઉપ સરપંચ રંજીતા પટેલ, પંચાયત મંત્રી અંકિતા પટેલ, ગામના અગ્રણીઓ, ગ્રામજનો, દુકાનદારો અને ઓદ્યોગિક એકમોમાં પ્રતિનિધિઓ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સલવાવ ફાર્મસી કોલેજમાં મહિલા દિન અવસરે સ્ત્રી રોગ સમસ્‍યા સેમિનાર યોજાયો

vartmanpravah

વાપી ગુંજનમાં જાહેર રોડ ઉપર જીવંત વિજ તાર નીચે પડી જતા અફરા તફરી મચી

vartmanpravah

JEE-મેઈનની જુલાઈ-2022ની પરીક્ષા શરૂ: દમણ જિલ્લામાં પ્રથમ દિવસે કુલ 83 વિદ્યાર્થીઓએ આપેલી પરીક્ષા

vartmanpravah

દેગામમાં પાણી પુરવઠા રાજ્‍યમંત્રી જીતુભાઈ ચૌધરીના હસ્‍તે સ્‍મશાનગૃહનું ખાતમુહૂર્ત સંપન્ન

vartmanpravah

દાનહઃ આંબોલી ડુંગરીપાડા ગામના યુવાઓએ પોતાની શ્રમ શક્‍તિથી રસ્‍તાનું કરેલું નિર્માણ

vartmanpravah

દાનહ પોલીસે 10 વર્ષના છોકરાને શોધી એના માતા-પિતા સાથે મિલાપ કરાવ્‍યો

vartmanpravah

Leave a Comment