Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ ઝૂંબેશને સંદર્ભે ભીમપોરમાં ગ્રામસભા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.27: નાની દમણના ભીમપોર પંચાયત ઘરમાં ‘હર ઘર તિરંગા’ ઝૂંબેશને લઈ આજે એક ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્‍યું, જેમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસન દ્વારા ભારત પોતાની આઝાદીના 75 વર્ષ પુરા થવા ઉપર ખુશી ઉત્‍સવ અંતર્ગત ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ મનાવી રહ્યું છે, જે અંતર્ગત ભીમપોરપંચાયત દ્વારા દરેક ગામવાસીઓને રાત્રી ચૌપાલ કરીને તારીખ 13 થી 15મી ઓગસ્‍ટ દરમ્‍યાન યોજાનાર ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત પોતાના ઘર, દુકાનો તેમજ આદ્યોગિક એકમોમાં તિરંગો ઝંડો લહેરાવી આઝાદીના અમૃત મહોત્‍સવ ધૂમધામથી મનાવે. આ પાવન પર્વે રાષ્‍ટ્રપે્રમ અને રાષ્‍ટ્ર અભિમાનની ભાવનાને જાગૃત કરી પોતાના ઘર પાસે, દુકાન પાસે, શેરીમાં, ગલી મહોલ્લામાં દેશ ભક્‍તિ ગીત વગાડી શકે છે. કેસરિયા, સફેદ અને લીલા રાગના ફુગ્‍ગાઓ ફુલાવી કે રંગોળી કરી દેશભક્‍તિ સાથે જોડાય જેના માટે ભીમપોર પંચાયત પર ગ્રામસભાનું આયોજન કરવામાં આવી.
આ ગ્રામ સભામાં સરપંચશ્રી શાંતિલાલ પટેલ, જિલ્લા પંચાત સભ્‍યશ્રી યોગેશભાઈ પટેલ, ઉપ સરપંચ રંજીતા પટેલ, પંચાયત મંત્રી અંકિતા પટેલ, ગામના અગ્રણીઓ, ગ્રામજનો, દુકાનદારો અને ઓદ્યોગિક એકમોમાં પ્રતિનિધિઓ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ અભયમે વ્યસની પતિ પાસેથી ૪ વર્ષના બાળકનો કબજો લઈ માતા સાથે મિલન કરાવ્યું

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા નડતરરૂપ કેટલાક દબાણો દૂર કરાયા

vartmanpravah

દાનહ વન અને ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લાના ખેડૂતોને જૈવિક ખેતી અંગે અપાયેલું માર્ગદર્શન: ખેડૂતો રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડીને જૈવિક ખેતી તરફ વળે એ રહેલો મુખ્‍ય ઉદ્દેશ

vartmanpravah

સેલવાસ ખાતે ‘વિકસિત ભારત, મોદીની ગેરંટી’ અંતર્ગત વિદ્યાર્થીઓને લેપટોપ-સાયકલ વિતરણનો સમારંભ યોજાયો

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવનો 39મો વાર્ષિકોત્‍સવની ભવ્‍ય ઉજવણી માટે તડામાર તૈયારી

vartmanpravah

‘‘ટીબી મુક્‍ત ભારત અભિયાન 2025” અંતર્ગત વિશ્વ ટીબી દિવસ નિમિત્તે વાપી શહેર થી વાપી નોટીફાઈડ અંબામાતા મંદિર સુધી ટીબી નાબુદી માટે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment