Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા દાનહના સુરંગી વિસ્‍તારમાં અલગ અલગ બેઠકો યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27: દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણીના સંદર્ભે ઉજવાઈ રહેલા આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત યોજાઈ રહેલા ‘હર ઘર તિરંગા’ અભિયાનનું આયોજન સમગ્ર દેશમાં 13 ઓગસ્‍ટથી 15ઓગસ્‍ટ સુધી ચાલશે. પ્રદેશમાં પ્રશાસન દ્વારા પણ પુરી તૈયારી કરી લીધી છે. આઅભિયાનને સફળ બનાવવા માટે પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં દરેક પંચાયત વિસ્‍તારમાં કાર્ય શરૂ કરી દીધું છે. આરોગ્‍ય નિર્દેશક ડો. વી.કે.દાસે સુરંગી પંચાયત વિસ્‍તારમાં અલગ અલગ બેઠકોનું આયોજન કર્યું હતું. જેમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળતા પૂર્વક કેવી રીતે મનાવી શકાય તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. સુરંગી ગામના ચૂંટાયેલ જનપ્રતિનિધિઓ, ઔદ્યોગિક એકમના પ્રતિનિધિ, આરોગ્‍ય વિભાગના કર્મચારીઓ, શિક્ષકો, દુકાનદારો, વેપારીઓ સાથે અલગ અલગ બેઠક કરવામાં આવી હતી.

Related posts

ખેતીવાડી-ઉદ્યોગો અને પ્રજા માટે જીવાદોરી સમાન ગણાતો વલસાડનો મધુબન ડેમ છલકાતા મન મોહક બન્‍યો

vartmanpravah

69મા મહાપરિનિર્વાણ દિન નિમિત્તે દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા વિશ્વ વિભૂતિ ભારતરત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરને આપવામાં આવેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

ધોધડકુવાના જલારામ મંદિરે રામનવમીના સત્‍યનારાયણની યજ્ઞ અને સમૂહ કથાનું આયોજન કરાયું 

vartmanpravah

વાપીમાં રેલવે પુલ તોડવાની કામગીરીથી બજાર રોડ બંધ

vartmanpravah

દમણ જિલ્લા પ્રશાસને નાની દમણ વિસ્‍તારમાં સરકારી જમીન ઉપર કરાયેલા ગેરકાયદે બાંધકામોનું કરેલું ડિમોલીશન

vartmanpravah

દાનહ પેટા ચૂંટણીમાં કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિ જાળવવા પ્રશાસને 15 જેટલા અધિકારીઓને સ્‍પેશિયલ એક્‍ઝિક્‍યુટિવ મેજીસ્‍ટ્રેટ તરીકેની આપેલી જવાબદારી

vartmanpravah

Leave a Comment