April 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા દાનહના સુરંગી વિસ્‍તારમાં અલગ અલગ બેઠકો યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27: દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણીના સંદર્ભે ઉજવાઈ રહેલા આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત યોજાઈ રહેલા ‘હર ઘર તિરંગા’ અભિયાનનું આયોજન સમગ્ર દેશમાં 13 ઓગસ્‍ટથી 15ઓગસ્‍ટ સુધી ચાલશે. પ્રદેશમાં પ્રશાસન દ્વારા પણ પુરી તૈયારી કરી લીધી છે. આઅભિયાનને સફળ બનાવવા માટે પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં દરેક પંચાયત વિસ્‍તારમાં કાર્ય શરૂ કરી દીધું છે. આરોગ્‍ય નિર્દેશક ડો. વી.કે.દાસે સુરંગી પંચાયત વિસ્‍તારમાં અલગ અલગ બેઠકોનું આયોજન કર્યું હતું. જેમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળતા પૂર્વક કેવી રીતે મનાવી શકાય તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. સુરંગી ગામના ચૂંટાયેલ જનપ્રતિનિધિઓ, ઔદ્યોગિક એકમના પ્રતિનિધિ, આરોગ્‍ય વિભાગના કર્મચારીઓ, શિક્ષકો, દુકાનદારો, વેપારીઓ સાથે અલગ અલગ બેઠક કરવામાં આવી હતી.

Related posts

વાપી હાઈવે સર્વિસ રોડ વધુ ગંભીર અકસ્‍માત ઝોન બનવા તરફી : નવા ડેપોને લઈ દુર્ઘટનાઓની વધેલી ભીતિ

vartmanpravah

પારડીના બી માર્ટની દુકાનમાં ધામણ પ્રજાતિનો સાપ રેસ્‍ક્‍યુ કરાયો

vartmanpravah

વલસાડમાં તા. ૨૬ માર્ચે “હર ઘર ધ્યાન, હર ઘર યોગ” કાર્યક્રમ યોજાશે

vartmanpravah

‘‘નશામુક્‍ત ભારત અભિયાન” અંતર્ગત દમણ-દાનહ પોલીસે ચલાવેલી ‘‘નો ટોબેકો” ઝુંબેશ

vartmanpravah

દાનહ અને દમણ મ્‍યુનિસિપલ કાઉન્‍સિલ રેગ્‍યુલેશન 2004 અંતર્ગત 2022માં કરાયેલા સુધારાથી દમણ અને સેલવાસ ન.પા.ના પ્રમુખ અને ઉપપ્રમુખના પદ માટે સર્જાયેલી અનિશ્ચિતતા

vartmanpravah

વાપીના સુલપડમાં મતદાન વધારવા માટે સ્‍વીપ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment