March 3, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડ

વાંસદા તાલુકાના ઘોડમાળ ગામે આવેલ પર્યટકોને આકર્ષતું સ્‍થળ ‘અજમલગઢ’

અજમલગઢ ઉપરથી ચોમાસાની ઋતુમાં કુદરતી સૌંદર્યનો અદ્‌ભૂત નજારો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.28
નવસારીથી આશરે 68 કિ.મી.ના અંતરે વાંસદા તાલુકાના ઘોડમાળ ગામે આવેલો ‘અજમલગઢ’ સહ્યાદ્રી પર્વતમાળા દક્ષિણ પૂર્વે ઉપર તેની ઐતિહાસિક તેમજ ભૌગોલિક અને સૃષ્ટિ સૌંદર્ય કારણે અદ્‌ભૂત લાગે છે. જે દરિયાની સપાટીથી અંદાજે 1200 ફૂટ જેટલી ઉંચાઇ ધરાવે છે.
અજમલગઢ વાસ્‍તવમાં શિવાજી મહારાજનો કિલ્લો હતો. જેને અજમલખાન નામનો સિપેહસલાહ સંભાળતો હોવાથી અજમલગઢ કહેવાય છે. અજમલગઢ ઉપર છત્રપતિ શિવાજી મહારાજ મરાઠા યુગ દરમિયાન ગેરીલા પધ્‍ધતિથી ત્રાટકવા સૈન્‍ય છાવણી અર્થે ઉપયોગ કરતા, જેના અવશેષો રૂપે શિવાજીના આરાધ્‍ય દેવ શિવલીંગ તેમજ ગઢની ફરતે લંબચોરસ પથ્‍થરોથી બાંધેલાકોટના પાયા તેમજ જળષાોત અર્થેના ટાંકા તેમજ પારસી સંસ્‍કળતિના અવશેષો જોવા મળે છે.
અજમલગઢનો ઈતિહાસ મરાઠાઓ અને પારસીઓના ઐતિહાસિક વારસા સાથે સંકળાયેલો છે. ઈ.સ.15 મી સદી દરમિયાન ઈરાનમાંથી સંજાણ બંદરે ઉતરીને દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા પારસીઓ આ ડુંગરની ધરામાં મોગલ, પોર્ટુગીઝ તેમજ ફીરંગીઓથી બચવા તેઓના પવિત્ર અગ્નિ ઈરાનશા આતશને બચાવવા માટે આ ડુંગર ઉપર આશ્રય લીધો હતો. આ દરમિયાન વાંસદાના રાજા શ્રીમંત કિર્તિદેવના શાસન દરમિયાન આશ્રય મળ્‍યો હતો.
વાંસદા તાલુકો ચોમાસાની ઋતુ દરમિયાન સૌંદર્યથી ખીલી ઉઠે છે. ચોમાસુ શરૂ થતા જ અહિંનો નજારો કંઈક જુદો જ જોવા મળે છે. કુદરતે વાંસદા તાલુકાને પ્રકળતિનો અખૂટ ખજાનો આપ્‍યો છે. સહેલાણીઓએ કુદરતી નજરો માણવો હોઈ તો અજમલગઢ જઈ આનંદ માણી શકે છે. જ્‍યાં નિરાંતે બેસીને અલૌકીક શાંતિ અને કુદરતના સાંનિધ્‍યનો અનુભવ કરી શકાય. અજમલગઢની ટોચ ઉપરથી કેલિયાડેમનો સૌંદર્ય જોતા મનને લોભાવે છે. અહીં રામજીમંદિર તથા શિવમંદિર પણ છે. શિવરાત્રિ પર્વ દરમિયાન મેળો પણ ભરાઈ છે. વાંસદાના ડુંગરાળ વિસ્‍તારમાં પ્રકળતિનો આ નજારો ધરતીના સ્‍વર્ગ સમા કાશ્‍મીરની યાદ તાજી કરાવી જાય છે. ચોમાસાની ઋતુમાંએકવાર તો અજમલઢ તો અવશ્‍ય જવું જોઇએ.

Related posts

દાનહના અથાલની માર્બલ કંપનીમાં કામ કરતી વખતે ક્રેઈનનો હુક તૂટતા દબાઈ જતા કામદારનું મોત

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસને છેલ્લા 8 વર્ષમાં પ્રાથમિક શિક્ષણથી લઈ યુનિવર્સિટી સ્‍તર સુધીના શિક્ષણને લોકાભિમુખ-વિદ્યાર્થીલક્ષી બનાવવા કરેલા અનેક પ્રયાસો

vartmanpravah

ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી, સેલવાસ દ્વારા ‘માનવ અધિકાર દિવસ’ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમો યોજાયા

vartmanpravah

વાપી વીઆઈએ નજીક ઈલેક્‍ટ્રીકની દુકાનમાં આગ લાગી

vartmanpravah

વલસાડ એસટી વિભાગીય કચેરી ખાતે રક્‍તદાન, વૃક્ષારોપણ અને વોલ પેઈન્‍ટીંગના ત્રિવિધ કાર્યક્રમો યોજાયા

vartmanpravah

જમીન દલાલો અને ભૂ-માફિયાઓ દ્વારા દાદરા નગર હવેલીના ગરીબ આદિવાસીઓના લેન્‍ડલેસ પ્‍લોટો પડાવી લેવા રચવામાં આવેલ કૌભાંડની તટસ્‍થ તપાસની ઉઠેલી ઉગ્ર માંગ

vartmanpravah

Leave a Comment