February 13, 2025
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

સેલવાસમાં સ્‍વસ્‍વરૂપ સંપ્રદાય જગદ્‌ગુરુ નરેન્‍દ્રાચાર્ય મહારાજ સંસ્‍થા દ્વારા રક્‍તદાન શિબિર યોજાશે

05મી જાન્‍યુઆરી, 2025ના રોજ આમલી સ્‍થિત ગાયત્રી મંદિરના પરિસરમાં મહા રક્‍તદાન શિબિરનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01 : સ્‍વસ્‍વરૂપ સંપ્રદાય, જગદગુરુ શ્રી નરેન્‍દ્રાચાર્ય મહારાજ સંસ્‍થા દ્વારા દર વર્ષે નવા વર્ષમાં મહા રક્‍તદાન શિબિરનું આયોજન સમગ્ર દેશમાં કરવામાં આવે છે. જેના ઉપલક્ષમાં સ્‍વસ્‍વરૂપસંપ્રદાય, સેલવાસ શાખા દ્વારા આગામી તા.05મી જાન્‍યુઆરી, 2025ના રોજ આમલી ગાયત્રી મંદિરના પરિસરમાં મહા રક્‍તદાન શિબિરનું આયોજન કરવામાં આવનાર હોવાનું સંસ્‍થા દ્વારા જણાવાયું છે.
સેલવાસ શાખા દ્વારા દરેક રક્‍તદાતાઓને અપીલ કરે છે કે, આ મહા રક્‍તદાન શિબિરમાં ભાગ લઈ અને ‘રક્‍તદાન મહાદાન’નો ભાગ બને. આ શિબિરનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય આપણાં રાજ્‍યમાં સિકલસેલ, એનિમિયા, હીમોફીલિયા, બેલેસીમિયા, બ્‍લડ કેન્‍સર, કીડની ફેલિયર રોગી વધુ માત્રામાં જોવા મળે છે એવા રોગીઓને રક્‍તની વારંવાર લોહીની આવશ્‍યકતા હોય છે. જેથી પ્રશાસનના રક્‍તદાન કેન્‍દ્ર પર રક્‍ત યુનિટ આપવાનુ સંપ્રદાય દ્વારા નક્કી કરવામાં આવ્‍યું છે.

Related posts

2024ની લોકસભા ચૂંટણીને ધ્‍યાનમાં રાખી ભાજપ રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડ્ડાએ રાજ્‍યોના પ્રભારીઓની કરેલી નિયુક્‍તિ – સંઘપ્રદેશના નવા ભાજપ પ્રભારી તરીકે સાંસદ વિનોદ સોનકરની નિયુક્‍તિ

vartmanpravah

સેલવાસ ન.પા. કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે કલેક્‍ટરને કરેલી રજૂઆત: બાવીસા ફળિયાથી પસાર થતી ખાડી કિનારે બિલ્‍ડરે દિવાલ બનાવતાં વરસાદી પાણીનો પ્રવાહ રોકાવાથી રહેણાંક વિસ્‍તારોમાં પાણી ફરી વળશે

vartmanpravah

વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે સંસદમાં વલસાડ જિલ્લામાં દરિયાઈ ધોવાણથી થતા નુકસાનના પ્રશ્નો ઉઠાવ્‍યા

vartmanpravah

ધરમપુર-નાનાપોંઢા રોડ ઉપર ટામેટા ભરેલ ટેમ્‍પો અને ટ્રક ભટકાતા અકસ્‍માત સર્જાયો

vartmanpravah

આજે દમણવાડા ગ્રામ પંચાયત અને મહર્ષિ દયાનંદ ફાઉન્‍ડેશનના ઉપક્રમે મોટી દમણના આદિવાસી સંસ્‍કૃતિ ભવન ખાતે કારકિર્દી માર્ગદર્શન શિબિર યોજાશે

vartmanpravah

રાનવેરીકલ્લા ગામે દીપડાએ વાછરડા ઉપર હુમલો કરતા ગ્રામજનોમાં દહેશત

vartmanpravah

Leave a Comment