December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહની સાયલી ગ્રામપંચાયત દ્વારા કંપનીઓના છોડાતા કેમીકલવાળા પાણી સંદર્ભે પોલ્‍યુશન કંટ્રોલ બોર્ડને કરાયેલી રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.28: દાદરા નગર હવેલીના સાયલી પંચાયત વિસ્‍તારમાં વિવિધ કંપનીઓ આવેલી છે, જેમાંથી કેટલીક કંપનીઓ દ્વારા કેમીકલવાળું પાણી બહાર ખુલ્લામાં છોડાતુ હોવાની ફરિયાદ પોલ્‍યુશન કંટ્રોલ બોર્ડને કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ સાયલી ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્‍યોને ભોયાપાડા વિસ્‍તારના લોકોએ ફરિયાદ કરી હતી કે કેટલીક કંપનીઓ દ્વારા કેમિકલવાળુ પાણી આડેધડ છોડવાને કારણે અમારા ખેતરો બર્બાદ થઈ રહ્યા છે અને કૂવાતથા બોરીંગના પાણી પણ દૂષિત થયા છે. જેથી સરપંચ અને સભ્‍યોએ સ્‍થાનિકોની મુલાકાત લીધી હતી અને સ્‍થળ મુલાકાત દરમ્‍યાન હકીકતથી વાકેફ થયા હતા. ત્‍યારબાદ સાયલી પંચાયત દ્વારા પોલ્‍યુશન કંટ્રોલ બોર્ડને રજૂઆત કરવામાં આવી છે.
સાયલી ભોયાપાડા ખાતે કેટલીક કંપનીઓ આવેલ છે, જેમાં પેટના ફાર્માસ્‍યુટીકલ, શિવશક્‍તિ પોલીકેમ, રેના કુલકીત કેનોવારે, પ્‍લેટિનમ ફેબ્રિક, અપાર ઈન્‍ડસ્‍ટ્રીઝ, એરો ફાઈબર પ્રાઈવેટ લીમીટેડ, પૂજા પ્રોડક્‍ટ પ્રાઇવેટ લિમિટેડ, હેરબો ગ્‍લોબલ ફાર્માસ્‍યુટીકલ, ભિલોસા ઇન્‍ડસ્‍ટ્રીઝ પ્રાઇવેટ લીમીટેડ, આલોક ઇન્‍ડસ્‍ટ્રીઝ લીમીટેડ સહિતની કંપનીઓની ગંદી ગટર અને ઓઇલવાળુ પાણી સાયલી ભોયાપાડા ખાતે આવેલ ખેડૂતોના જમીનમાં છોડવામાં આવે છે, જેથી ખેડૂતોની જમીન ખેતી કરવા લાયક પણ રહી નથી અને આ જમીનમાં ઓઇલવાળુ અને કેમીકલવાળુ પાણી આવવાથી કોઈપણ જાતની ખેતીનો પાક લઈ શકતા નથી.
સાયલી મોટાભાગે આદિવાસી બહુલ વિસ્‍તાર છે અતે તેઓનું જીવન-ધોરણ ખેતી પર નિર્ભર છે. એના સિવાય એમના પાસે અન્‍ય કોઈ રોજગાર પણ નથી. જેથી કંપનીઓની કઠોર ચકાસણી કરી કઈ કંપની દૂષિત અને ઓઈલયુક્‍ત ગંદા પાણીને ગટરમાં છોડી રહી છે. જે પણ હોય તેઓ સામે કાયદેસરની સખ્‍ત કાર્યવાહી કરવામાં આવે અને જે કોઈ ખેડૂતનીજમીનમાં ઓઈલવાળું ગંદુ પાણી આવતુ હોય અને એ જમીનમાં ખેતી કરી શકતા નથી તેવા ખેડૂતોને વળતર આપવામાં આવે એવું નિવેદન પંચાયત દ્વારા પોલ્‍યુશન કંટ્રોલ બોર્ડને કરવામાં આવેલ રજૂઆતમાં જણાવાયું છે.
અત્રે નોંધનીય છે કે, છેલ્લા કેટલાક દિવસો પહેલાં પણ આ વિસ્‍તારના કૂવા, બોર તથા અન્‍ય પાણીનાસ્ત્રોતમાં કંપીનીઓ દ્વારા ગંદા પ્રદૂષિત પાણી છોડવાના કારણે પીવાના પાણી માટે લોકોને તકલીફ પડી રહી હોવાની ફરિયાદો ઉઠી હતી.

Related posts

વાપી સહિત ગુજરાતભરમાં રખડતા ઢોરોના અંકુશ માટે આધાર કાર્ડ બનાવવાની ઉઠેલી માંગ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ મરવડગ્રા.પં.ના સત્‍યસાગર ઉદ્યાનથી ગંગામાતા રોડ સુધીના માર્ગના નવીનીકરણની કામગીરી શરૂ

vartmanpravah

લીગલ સર્વિસ ઓથોરિટી દમણ અને એડવોકેટ બાર એસો.ના સહયોગથી દમણવાડા ગ્રામ પંચાયતમાં કાનૂની જાગૃતતા શિબિર યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પૂર્વ રાષ્‍ટ્રપતિ રામ નાથ કોવિંદની લીધેલી શુભેચ્‍છા મુલાકાતઃ મહત્‍વના વિષયો ઉપર કરેલી ચર્ચા-વિચારણાં

vartmanpravah

ભારતના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસના અવસરે રોટરી ક્લબ દાનહના સહયોગથી આદિત્‍ય એનજીઓ અને નરોલી પંચાયત દ્વારા યોજાઈ નિઃશુલ્‍ક ચિકિત્‍સા શિબિર

vartmanpravah

સેલવાસ-નરોલી રોડ સ્‍વામિનારાયણ મંદિર પાછળ દમણગંગા નદી કિનારે દશેરાના દા’ડે મોપેડ ધોવા ગયેલા યુવાનનો પગ લપસી જતાંપાણીમાં ડૂબી જતાં થયેલું મોત

vartmanpravah

Leave a Comment