July 17, 2026
Vartman Pravah
Breaking News

દશેરા પર્વ નિમિત્તે સાયલી સાંઈ સેવા સમિતિએ કાઢેલી પાલખીયાત્રા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.06 : દાદરા નગર હવેલીના સાયલી સાંઈ રામ સેવા સમિતિ દ્વારા વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે પાલખી યાત્રા કાઢી મહાઆરતી ભજન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પાલખીયાત્રા શ્રી બાબલુભાઈ રામાભાઈ થોરાતના ઘરેથી સાંઈ મંદિર સુધી કાઢવામાં આવી હતી. ત્‍યારબાદ સાંજે સાંઈ મંદિરમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. બાદમાં ભાવિકભક્‍તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં મોટી સંખ્‍યામાં લોકોએ લાભ લીધો હતો. શ્રી નિલેશ ધોડિયા એન્‍ડ ભજન ગ્રુપ લસણપોર દ્વારા સુંદર ભજનસંધ્‍યાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

Related posts

‘આયુષ્‍યમાન ભવઃ’ અભિયાન અંતર્ગત સંઘપ્રદેશના નાણાં સચિવ અને દાનહ કલેક્‍ટર પ્રિયાંક કિશોરે દાનહના દૂધની, ખાનવેલ અને ખેરડી ગ્રા.પં.ની આંગણવાડીઓમાં કુપોષિત બાળકોની માતાઓને આપેલું માર્ગદર્શન

vartmanpravah

બાબા જય ગુરુદેવ ધર્મ પ્રચાર જન જાગરણ યાત્રાનું વાપીમાં અનુયાયીઓએ ભવ્‍ય સ્‍વાગત કર્યું

vartmanpravah

મોટી દમણના ભામટી ખાતે સ્‍ટેટ ડેઝિગ્નેટેડ એજન્‍સી દ્વારા ઊર્જા સંરક્ષણના સંદર્ભમાં કરાયેલી બેઠક

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં એલ્‍ડર લાઈન હેલ્‍પલાઈન 14567 વૃદ્ધો માટે બની રહી છે આશીર્વાદરૂપ

vartmanpravah

દમણ વિદ્યુત વિભાગના સહાયક ઈજનેર અનિલભાઈ દમણિયા સેવા નિવૃત્ત

vartmanpravah

પરવાસા ગામના બંધ ઘરમાં આગ લાગતા ઘર સહિત સંપૂર્ણ ઘરવખરી બળીને ખાખ: આશરે 10 લાખથી વધુનું નુકસાન

vartmanpravah

Leave a Comment