(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.06 : દાદરા નગર હવેલીના સાયલી સાંઈ રામ સેવા સમિતિ દ્વારા વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે પાલખી યાત્રા કાઢી મહાઆરતી ભજન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાલખીયાત્રા શ્રી બાબલુભાઈ રામાભાઈ થોરાતના ઘરેથી સાંઈ મંદિર સુધી કાઢવામાં આવી હતી. ત્યારબાદ સાંજે સાંઈ મંદિરમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. બાદમાં ભાવિકભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. શ્રી નિલેશ ધોડિયા એન્ડ ભજન ગ્રુપ લસણપોર દ્વારા સુંદર ભજનસંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું.