Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહની સાયલી ગ્રામપંચાયત દ્વારા કંપનીઓના છોડાતા કેમીકલવાળા પાણી સંદર્ભે પોલ્‍યુશન કંટ્રોલ બોર્ડને કરાયેલી રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.28: દાદરા નગર હવેલીના સાયલી પંચાયત વિસ્‍તારમાં વિવિધ કંપનીઓ આવેલી છે, જેમાંથી કેટલીક કંપનીઓ દ્વારા કેમીકલવાળું પાણી બહાર ખુલ્લામાં છોડાતુ હોવાની ફરિયાદ પોલ્‍યુશન કંટ્રોલ બોર્ડને કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ સાયલી ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્‍યોને ભોયાપાડા વિસ્‍તારના લોકોએ ફરિયાદ કરી હતી કે કેટલીક કંપનીઓ દ્વારા કેમિકલવાળુ પાણી આડેધડ છોડવાને કારણે અમારા ખેતરો બર્બાદ થઈ રહ્યા છે અને કૂવાતથા બોરીંગના પાણી પણ દૂષિત થયા છે. જેથી સરપંચ અને સભ્‍યોએ સ્‍થાનિકોની મુલાકાત લીધી હતી અને સ્‍થળ મુલાકાત દરમ્‍યાન હકીકતથી વાકેફ થયા હતા. ત્‍યારબાદ સાયલી પંચાયત દ્વારા પોલ્‍યુશન કંટ્રોલ બોર્ડને રજૂઆત કરવામાં આવી છે.
સાયલી ભોયાપાડા ખાતે કેટલીક કંપનીઓ આવેલ છે, જેમાં પેટના ફાર્માસ્‍યુટીકલ, શિવશક્‍તિ પોલીકેમ, રેના કુલકીત કેનોવારે, પ્‍લેટિનમ ફેબ્રિક, અપાર ઈન્‍ડસ્‍ટ્રીઝ, એરો ફાઈબર પ્રાઈવેટ લીમીટેડ, પૂજા પ્રોડક્‍ટ પ્રાઇવેટ લિમિટેડ, હેરબો ગ્‍લોબલ ફાર્માસ્‍યુટીકલ, ભિલોસા ઇન્‍ડસ્‍ટ્રીઝ પ્રાઇવેટ લીમીટેડ, આલોક ઇન્‍ડસ્‍ટ્રીઝ લીમીટેડ સહિતની કંપનીઓની ગંદી ગટર અને ઓઇલવાળુ પાણી સાયલી ભોયાપાડા ખાતે આવેલ ખેડૂતોના જમીનમાં છોડવામાં આવે છે, જેથી ખેડૂતોની જમીન ખેતી કરવા લાયક પણ રહી નથી અને આ જમીનમાં ઓઇલવાળુ અને કેમીકલવાળુ પાણી આવવાથી કોઈપણ જાતની ખેતીનો પાક લઈ શકતા નથી.
સાયલી મોટાભાગે આદિવાસી બહુલ વિસ્‍તાર છે અતે તેઓનું જીવન-ધોરણ ખેતી પર નિર્ભર છે. એના સિવાય એમના પાસે અન્‍ય કોઈ રોજગાર પણ નથી. જેથી કંપનીઓની કઠોર ચકાસણી કરી કઈ કંપની દૂષિત અને ઓઈલયુક્‍ત ગંદા પાણીને ગટરમાં છોડી રહી છે. જે પણ હોય તેઓ સામે કાયદેસરની સખ્‍ત કાર્યવાહી કરવામાં આવે અને જે કોઈ ખેડૂતનીજમીનમાં ઓઈલવાળું ગંદુ પાણી આવતુ હોય અને એ જમીનમાં ખેતી કરી શકતા નથી તેવા ખેડૂતોને વળતર આપવામાં આવે એવું નિવેદન પંચાયત દ્વારા પોલ્‍યુશન કંટ્રોલ બોર્ડને કરવામાં આવેલ રજૂઆતમાં જણાવાયું છે.
અત્રે નોંધનીય છે કે, છેલ્લા કેટલાક દિવસો પહેલાં પણ આ વિસ્‍તારના કૂવા, બોર તથા અન્‍ય પાણીનાસ્ત્રોતમાં કંપીનીઓ દ્વારા ગંદા પ્રદૂષિત પાણી છોડવાના કારણે પીવાના પાણી માટે લોકોને તકલીફ પડી રહી હોવાની ફરિયાદો ઉઠી હતી.

Related posts

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે પાકિસ્‍તાની જેલમાં સબડી રહેલા માછીમારો અને બોટને છોડાવવા વિદેશ મંત્રી એસ.જયશંકરને કરેલીરજૂઆત

vartmanpravah

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કરેલા બજેટને સંઘપ્રદેશ ભાજપે વિકાસલક્ષી ગણાવ્‍યું

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મદિવસના ઉપલક્ષમાં દાભેલના આટિયાવાડ ખાતે સેવા પખવાડા હેઠળ નિઃશુલ્‍ક દાંત અને આંખની તપાસ શિબિર યોજાઈ

vartmanpravah

દમણ-દીવના પૂર્વ સાંસદ સ્‍વ. ડાહ્યાભાઈ પટેલના સ્‍મરણાર્થે દમણ જિલ્લા કોળી પટેલ સમાજના સોમનાથ ભવન ખાતે ચાલતી શ્રીમદ્‌ ભાગવત સપ્તાહના અંતિમ દિવસે ‘‘કૃષ્‍ણ સુદામા ચરિત્ર”નું કરાયેલું વર્ણન

vartmanpravah

સંઘપ્રદેશ દમણ ભાજપના યુવા નેતા અને આસામ રાજ્‍યના ઓબીસી મોરચાના પ્રભારી રાષ્‍ટ્રીય ભાજપાએ વિશાલભાઈ ટંડેલને ગુજરાત ભાજપના ઓબીસી મોરચાના પ્રભારી તરીકેની સોંપેલી જવાબદારી

vartmanpravah

જીઆરડી મહિલાએ પતિ જેઠ અને નણંદ સામે વાપી ડુંગરા પોલીસમાં ફરિયાદ નોંધાવ્‍યા બાદ મામલો ગરમાયો

vartmanpravah

Leave a Comment