October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

શીતળા સાતમ વ્રત નિમિતે દાનહમાં મહિલાઓએ કરેલી પૂજા-અર્ચના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.04: શ્રાવણ વદ સાતમનો તહેવાર શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે દાદરા નગર હવેલીમાં મહિલાઓએ મંદિરો તથા ઘરમાં શીતળા માતાની મૂર્તિ, પ્રતિમાનું સ્‍થાપન કરી પૂજા-અર્ચના કરી હતી. સેલવાસના શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલ પરિસરમાં આવેલ શીતળા માતાના મંદિરે મહિલાઓએ પૂજા-અર્ચના કરી માતાના આશીર્વાદ મેળવ્‍યા હતા. આ વ્રતના આગલા દિવસે રાંધણ છઠ્ઠના દિવસે રાંધી લીધા બાદ બહેનો સગડી, ચૂલા વગેરે સાધનોની પૂજા કરે છે અને બીજા દિવસે એટલે કે, શીતળા સાતમના દિવસે સવારે વહેલાં ઉઠી ઠંડા પાણીથી સ્‍નાન કરી પૂજા-અર્ચના કર્યા બાદ આખો દિવસ ટાઢો ખોરાક ખાઈ એકટાણુ કરવામાં આવે છે અને આ પર્વના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા કાજે ખોળો પાથરી પ્રાર્થના કરે છે.

Related posts

વલસાડ વિસ્‍તારમાં કાર ચાલકો બેફામ : વધુ ત્રણ ગૌવંશો ઉપર કાર ફરી વળતા ચકચાર

vartmanpravah

દાદરા નગર હવેલી શિક્ષણ વિભાગ દ્વારા શાળાના આચાર્ય અને શિક્ષકો માટે ઓરિએન્‍ટેશન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લા પંચાયત ચૂંટણીમાં કારોબારી અધ્‍યક્ષ પદનું ફરી મેન્‍ડેટ જાહેર કરવામાં આવતા વિવાદ

vartmanpravah

ચીખલીના સાદડવેલ ગામના આંદોલનકારી પંકજ પટેલને ‘આપ’ પાર્ટીએ 177- વાંસદા વિધાનસભા બેઠકનાઉમેદવાર જાહેર કરતા કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ

vartmanpravah

વલસાડની સરકારી ઈજનેરી કોલેજમાં ગુજરાત સરકારના પ્‍લેસમેન્‍ટ કેમ્‍પમાં 302 વિદ્યાર્થીની નોકરી માટે પસંદગી થઈ

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકર અને પૂર્વ સાંસદ નટુભાઈ પટેલ સહિત 7 પાસે અધધ.. જમીન..!

vartmanpravah

Leave a Comment