Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

શીતળા સાતમ વ્રત નિમિતે દાનહમાં મહિલાઓએ કરેલી પૂજા-અર્ચના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.04: શ્રાવણ વદ સાતમનો તહેવાર શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે દાદરા નગર હવેલીમાં મહિલાઓએ મંદિરો તથા ઘરમાં શીતળા માતાની મૂર્તિ, પ્રતિમાનું સ્‍થાપન કરી પૂજા-અર્ચના કરી હતી. સેલવાસના શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલ પરિસરમાં આવેલ શીતળા માતાના મંદિરે મહિલાઓએ પૂજા-અર્ચના કરી માતાના આશીર્વાદ મેળવ્‍યા હતા. આ વ્રતના આગલા દિવસે રાંધણ છઠ્ઠના દિવસે રાંધી લીધા બાદ બહેનો સગડી, ચૂલા વગેરે સાધનોની પૂજા કરે છે અને બીજા દિવસે એટલે કે, શીતળા સાતમના દિવસે સવારે વહેલાં ઉઠી ઠંડા પાણીથી સ્‍નાન કરી પૂજા-અર્ચના કર્યા બાદ આખો દિવસ ટાઢો ખોરાક ખાઈ એકટાણુ કરવામાં આવે છે અને આ પર્વના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા કાજે ખોળો પાથરી પ્રાર્થના કરે છે.

Related posts

રાજ્યમાં સૌપ્રથમ વલસાડ જિલ્લામાં ચૂંટણીના મેનેજમેન્ટ માટે વલસાડ ડીઈઓ એપ જિલ્લા ચૂંટણી અધિકારીક્ષિપ્રા આગ્રે દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં લોન્ચ કરાઈ

vartmanpravah

સરીગામ ખાતે યોજાયેલા પોલીસ લોક દરબારમાં એક પણ ફરિયાદ સામે ના આવતા પોલીસ કથાકાર અને ઉપસ્‍થિત આગેવાનોની મુક પ્રેક્ષક જેવી નિર્માણ થયેલી સ્‍થિતિ

vartmanpravah

સલવાવ ફાર્મસી કોલેજ દ્વારા આઝાદી કા અમૃત મહોત્‍સવ અભિયાન અંતર્ગત ઉમંગભેર તિરંગા રેલી યોજાઈ

vartmanpravah

દાનહ અને દમણ-દીવની ત્રણેય નગરપાલિકા ભાજપ શાસિત હોય તો આ વિસ્‍તારના વિકાસને કોણ રોકી શકે?

vartmanpravah

દાનહઃ વાઘછીપાના જર્જરિત રસ્‍તાઓનું જિલ્લા કલેક્‍ટરે પોતાની ટીમ સાથે કરેલું નિરીક્ષણઃ રસ્‍તાઓના નવીનિકરણની સંભાવના

vartmanpravah

ભાજપ દ્વારા દેશભરમાં મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં આયોજીત પત્રકાર પરિષદ દેશ બદલાઈ રહ્યો છે નવી દિશામાં ઊંચાઈ તરફ જઈ રહ્યો છેઃ જીતુભાઈ વાઘાણી

vartmanpravah

Leave a Comment