September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગણદેવી તાલુકામાં 170 અને ચીખલી તાલુકામાં 111 ટીબીના દર્દીઓ નોંધાયા

આરોગ્‍ય વિભાગમાં ટીબીના દવાની અછત સર્જાતા સરકારની ટીબી મુક્‍ત ભારત અભિયાન સામે ઉઠી રહેલા અનેક પ્રશ્નો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.23: સરકાર દ્વારા મોટા ઉપાડે ટીબી મુક્‍ત ભારતનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્‍યારે બીજી તરફ છેલ્લા 20-25 દિવસથી ટીબીના દર્દીઓ માટેની જરૂરી દવાનો જથ્‍થો આરોગ્‍ય વિભાગમાં ઉપલબ્‍ધ નથી અને દર્દીઓએ બહારથી આ મોંઘીદાટ દવા ખરીદવાની નોબત આવી છે. જેને પગલે દર્દીઓ કફોડી હાલતમાં મુકાયા છે. જોકે ટીબીની આ દવા કેન્‍દ્રકક્ષાએથી જ આવતી હોય ચીખલી સાથે સમગ્ર જિલ્લા અને રાજ્‍યમાં આ દવાની અછત સર્જાઈ હોવાનું જાણવા મળ્‍યું હતું.
સરકાર દ્વારા ટીબી મુક્‍ત ભારત અભિયાન ચલાવી ટીબીના દર્દીઓને આરોગ્‍ય વિભાગના કર્મચારીઓ મારફત જરૂરી દવા સાથેની સારવાર ઉપરાંત છ મહિનાના ગાળામાં બે હપ્તામાં પોષણક્ષમ આહાર માટે ત્રણ હજાર રૂપિયાની પોષણ સહાય પણ ચૂકવતી હોય છે. તેમાં પણ બેન્‍ક ખાતાઓ સહિતના કારણોસર અનિયમિતતા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
ઉપરોક્‍ત સ્‍થિતિમાં સરકાર દ્વારા ટીબીના દર્દીઓને આરોગ્‍ય વિભાગ મારફતે સમયસર પૂરતી માત્રામાં દવાનો જથ્‍થો ઉપલબ્‍ધ કરાવવા અને સહાય પણ નિયમિત ચૂકવાઈ તે દિશામાં તકેદારી રાખવામાં આવે તે જરૂરી છે.
તાલુકાના આરોગ્‍ય અધિકારી ડો.અલ્‍પેશભાઈના જણાવ્‍યાનુસાર ટીબીની દવાની 20-25 દિવસ પૂર્વે સમસ્‍યા હતી. પરંતુ હાલે જન ઔષધિ કેન્‍દ્ર પરથી દવા ખરીદીને બધા સેન્‍ટરો પર પહોંચાડવામાં આવી રહી છે. હાલે દવાની સમસ્‍યા નથી.

Related posts

પાલિકાના ઈતિહાસમાં પહેલી વખત આજે દમણ ન.પા.ના પ્રમુખ તરીકે પારસી સમુદાયના અસ્‍પી દમણિયા અને ઉપ પ્રમુખ પદે આદિવાસી સમાજના રશ્‍મિ હળપતિ બિરાજમાન થશે

vartmanpravah

શ્રી જય અંબે સૌરાષ્‍ટ્ર સિનિયર સીટીઝ અને મહિલા મંડળના સહયોગથી શરદપૂર્ણિમા નિમિત્તે રાસ ગરબા યોજાયા

vartmanpravah

સંઘપ્રદેશની પૂર્વ પ્રાથમિક શાળાઓમાં નાના બાળકોએ ઉત્‍સાહ અને ધામધૂમથી ગણેશોત્‍સવની કરેલી ઉજવણી

vartmanpravah

બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટની કામગીરીના કારણે ભીલાડથી સેલવાસ આવતા વાહનો માટે અપાયું ડાયવર્ઝન

vartmanpravah

વાપી કોચરવા ભાજપ નેતા શૈલષ પટેલ હત્‍યા પ્રકરણમાં વધુ બે શાર્પશૂટર ઝડપાયા

vartmanpravah

દાદરા પંચાયત દ્વારા આઝાદી સ્‍મારક પર શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ

vartmanpravah

Leave a Comment