Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વાપી હાઈવે ઉપર ટ્રકમાંથી એસીડ ભરેલું ડ્રમ પડી જતા અફરા તફરી મચી

એસીડ રોડ ઉપર રેલાતા ધુવાડાના ગોટેગોટા છવાઈ જતા લોકોનો શ્વાસ રુંધાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05
વાપી હાઈવે ગુંજન ગીરીરાજ હોટલ સામે આજે શુક્રવારે 10 વાગ્‍યાના સુમારે અચાનક ટ્રકમાંથી એક એસીડ ભરેલ મહાકાય ડ્રમ નીચે પડી જતા અફરા તફરીનો માહોલ કલાકો સુધી છવાઈ ગયો હતો.
વાપી નેશનલ હાઈવે ગીરીરાજ હોટલ સામે અમદાવાદ તરફ જતી લાઈન ઉપર આજે સવારે ટ્રકમાંથી મહાકાય એસીડ ભરેલુ ડ્રમ નીચે પટકાયું હતું. પટકાતાની સાથે ડ્રમ લીકેજ થતા રોડ ઉપર એસીડનો વહાવ શરૂ થયો હતો.જેને લઈ ચોમેર ધુમાડાના ગોટેગોટા વાતાવરણમાં ફેલાયેલા હતા. આજુબાજુમાં એકત્ર થયેલા અને આવતા જતા વાહન ચાલકોના શ્વાસ રુંધાવા લાગેલા. ઘટનાની જાણ પોલીસ અને ફાયર બ્રિગેડને કરવામાં આવતા ઘટના સ્‍થળે ધસી આવેલ, ઢોળાયેલા એસીડ ઉપર ફોર્મ અને પાણીનો મારો ચલાવાયેલા. જેથી ધુવાડો કાબુમાં આવી ગયો હતો. ડ્રમને બાંધીને સલામત સ્‍થળે ખસેડાયું હતું. ક્‍યાંની ટ્રક હતી તેની પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

Related posts

વલસાડ બ્રહ્મ સમાજે 7 તબીબ સહિત 43 તેજસ્‍વી તારલાઓનું સન્‍માન કર્યુ, 400 ભૂદેવો ઉપસ્થિત રહ્યા

vartmanpravah

નવસારીના લુન્‍સીકુઈ ગ્રાઉન્‍ડ ખાતેથી 125 નવીન બસોનું લોકાર્પણ કરતા વાહનવ્‍યવહાર મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી

vartmanpravah

સેલવાસના માનસિક રીતે અસ્‍થિર યુવાનની લાશ નાળામાંથી મળી આવી

vartmanpravah

દમણ-દીવના પૂર્વ સાંસદ ડાહ્યાભાઈ પટેલની આજે પ્રથમ પુણ્‍ય તિથિ : સત્‍કાર્યોની તાજી થતી યાદો

vartmanpravah

રાજ્‍યના પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરીનો પ્રવાસ કાર્યક્રમ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ તા.05: ગુજરાતના કલ્‍પસર, મત્‍સ્‍યોદ્યોગ (સ્‍વતંત્ર હવાલો), નર્મદા, જળસંપત્તિ, અને પાણી પુરવઠા વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી તા.6/4/2022ના રોજ સવારે 10-00 કલાકે નાનાપોંઢા ખાતે ભાજપના સ્‍થાપના દિનના કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે, ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.7/4/2022 અને તા.8/4/2022ના રોજ અનુラકૂળતાએ તેમના મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.9/4/2022ના રોજ સાંજે 4-00 કલાકે જલારામધામ, ફલધરા ખાતે રામનવમી નિમિત્તે ભવ્‍ય આનંદ મેળામાં હાજરી આપશે, ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.10/4/2022ના રોજ સવારે 9-00 કલાકે નૂતન વિદ્યાલય ધરાસણા ખાતે ગુજરાત પ્રદેશ અધ્‍યક્ષની ઉપસ્‍થિતિમાં યોજાનારા મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પમાં હાજરી આપશે અને ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. સાંજે 4-30 કલાકે મહર્ષિ સદ્‌ગુરુ સદાફલ દેવ દંડકવન આશ્રમ, વાંસીયાતળાવ, તા.વાંસદા, જિ.નવસારી ખાતે વિહંગમ યોગસત્‍સંગ સમારોહ અને ધ્‍યાન શિબિરમાં હાજરી આપી અનુકૂળતાએ ગાંધીનગર જવા રવાના થશે

vartmanpravah

દાનહના સામરવરણી ગામ ખાતે નક્ષત્ર સોસાયટીમાં રહેતા યુવાનનું અજાણ્‍યા લોકોએ કરેલું અપહરણ

vartmanpravah

Leave a Comment