April 18, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

શીતળા સાતમ વ્રત નિમિતે દાનહમાં મહિલાઓએ કરેલી પૂજા-અર્ચના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.04: શ્રાવણ વદ સાતમનો તહેવાર શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે દાદરા નગર હવેલીમાં મહિલાઓએ મંદિરો તથા ઘરમાં શીતળા માતાની મૂર્તિ, પ્રતિમાનું સ્‍થાપન કરી પૂજા-અર્ચના કરી હતી. સેલવાસના શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલ પરિસરમાં આવેલ શીતળા માતાના મંદિરે મહિલાઓએ પૂજા-અર્ચના કરી માતાના આશીર્વાદ મેળવ્‍યા હતા. આ વ્રતના આગલા દિવસે રાંધણ છઠ્ઠના દિવસે રાંધી લીધા બાદ બહેનો સગડી, ચૂલા વગેરે સાધનોની પૂજા કરે છે અને બીજા દિવસે એટલે કે, શીતળા સાતમના દિવસે સવારે વહેલાં ઉઠી ઠંડા પાણીથી સ્‍નાન કરી પૂજા-અર્ચના કર્યા બાદ આખો દિવસ ટાઢો ખોરાક ખાઈ એકટાણુ કરવામાં આવે છે અને આ પર્વના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા કાજે ખોળો પાથરી પ્રાર્થના કરે છે.

Related posts

વલસાડ જિલ્લામાં બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસીસ્ટન્ટની પરીક્ષામાં ૭૨૭૯ વિદ્યાર્થીઓ હાજર

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશન ઉપર તહેવારોમાં વતન જતા મુસાફરોની ભીડ ઉમટી પડી : ભીડને નિયંત્રિત કરવા રેલવે લાચાર

vartmanpravah

‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિતે વૃક્ષારોપણ

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં ધો.10 અને 12ના ગુજરાત બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં થયેલો પ્રારંભ

vartmanpravah

વલસાડના હિંગરાજમાં ન્‍હાવા પડેલ પાંચ પૈકી બે કિશોરો ડૂબી ગયા : ગામમાં શોકની કાલીમા

vartmanpravah

વલસાડ જીલ્લામાં કોરોનાની બેટીંગ : ગુરૂવારે 446 પોઝીટીવ દર્દીનો સ્‍કોર નોંધાયો

vartmanpravah

Leave a Comment