December 1, 2025
Vartman Pravah
Otherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સલવાવ દ્વારા સંચાલિત શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવમાં શાળાના આચાર્ય ચંદ્રવદન પટેલના માર્ગદર્શન અને શિક્ષકોના સહયોગ દ્વારા વિશ્વ યોગ દિવસના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓને આચાર્ય ચંદ્રવદન પટેલ દ્વારા યોગ વિશે માહિતગાર કરી તમામ વિદ્યાર્થીઓને યોગ કરાવવામાં આવ્‍યા હતા. તો વિદ્યાર્થીઓએ પણ ખૂબ જ સરસયોગ કરી પૂરા વાતાવરણને યોગમય બનાવ્‍યું હતું. સાથોસાથ યોગના ફાયદા અંગે કાર્યક્રમમાં વિવિધ ઉદાહરણો આપી યોગનું મહત્‍વ સમજાવ્‍યું હતું તો યોગ કાર્યક્રમના આ અવસર પર તમામ વિદ્યાર્થીઓને મેનેજીંગ ટ્રસ્‍ટી પૂજ્‍ય કપિલ સ્‍વામીજી, ડાયરેક્‍ટર શ્રી હિતેનભાઈ ઉપાધ્‍યાય, ડાયરેક્‍ટર શ્રી ડો. શૈલેષ લુહાર, શાળાના આચાર્ય ચંદ્રવદન પટેલ તથા શિક્ષકગણો અને શાળાના પરિવાર દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્‍યા હતા.

Related posts

વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીઃ ખેડૂતોને સતર્ક રહેવા સૂચન કરાયું

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા ચીંચપાડા અને કુડાચા ગામે દમણગંગા નદીમાંથી રેતી ચોરી કરતા ઝડપી પાડયા

vartmanpravah

નવી નકોર કારમાં દારૂ ભરી લઈ જતાં સેલવાસના ખેપિયાની પારડી વિશ્રામ હોટલ પાસેથી ધરપકડ

vartmanpravah

વલસાડમાં શિક્ષકો જુની પેન્‍શન યોજનાના અમલીકરણ માટે રસ્‍તા ઉપર ઉતર્યા

vartmanpravah

નવસારી જિલ્લા પંચાયતના બાંધકામ અધ્‍યક્ષે ઘેજ-બીડમાં વાડખાડી સ્‍થિત ડૂબાઉ પુલ અને નવીનીકરણ થઈ રહેલા મોટા ડુંભરીયાના મુખ્‍યમાર્ગનું નિરીક્ષણ કરી જન માહિતી મેળવી ગુણવત્તા જાળવવા સાથે સમયસર કામ પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપી

vartmanpravah

વાપી કન્‍યા મંદિર શાળાના નવા ભવનનું નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે ઉદ્ધાટન

vartmanpravah

Leave a Comment