July 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડ

ચીખલીના હરણગામમાં પુરગ્રસ્‍ત228 પરિવારો માટે પાકા મકાનોનું નિર્માણ કરાશેઃ કેબિનેટ મંત્રીના હસ્‍તે ભૂમિપૂજન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.08: ચીખલી તાલુકાના હરણગામમાં પુરઅસરગ્રસ્‍ત 228 જેટલા શ્રમજીવી પરિવારો માટે સેવા ભાવી સંસ્‍થાઓના સહયોગથી હળપતિ રેસીડન્‍સીમાં પાકા ઘરોનું નિર્માણ કરવામાં આવશે. કેબિનેટ મંત્રીની ઉપસ્‍થિતિમાં ભૂમિપૂજન કરવામાં આવ્‍યું હતું. આ પૂર્વે સરકાર દ્વારા હરણગામમાં પુરઅસરગ્રસ્‍ત 228 જેટલા પરિવારોને પ્‍લોટ ફાળવવામાં આવ્‍યા હતા.
હરણગામમાં કાવેરી નદીના કાંઠાના ડિસ્‍કો ફળિયા, નદી ફળિયા સહિતના વિસ્‍તારમાં દર ચોમાસામાં પૂરના પાણી ફરી વળતા શ્રીમજીવો પરિવારો વર્ષોથી મુશ્‍કેલીનો સામનો કરી રહ્યા હતા. અસરગ્રસ્‍ત પરિવારોના કાયમી નિરાકરણ માટે સ્‍થાનિક આગેવાન કિશોરભાઈ, મહેશભાઈ, નરસિંહભાઈ, સરપંચ મુકેશભાઈ સહિત કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સાથેના સહયોગથી આ તમામ 228 જેટલા પરિવારોને પ્‍લોટ ફાળવવામાં આવ્‍યા હતા. હરણગામમા નિર્માણ થનાર હળપતિ રેસિડન્‍સીનું ભૂમિપૂજન કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ ઉપરાંત સહયોગી સંસ્‍થા વીણા ચેરીટેબલ ટ્રસ્‍ટ નડિયાદના વિણાબેન પટેલ નડિયાદના શ્રી ધીરુભાઈ પટેલ, નિવૃત્ત કલેકટર શ્રી આર.જે.પટેલ, લોકસેવા ટ્રસ્‍ટમોટી ભમતીના ડો.હસમુખ ખરેચા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભૂરાલાલ શાહ, મહામંત્રી ડૉ.અશ્વિનભાઈની ઉપસ્‍થિતિમાં કરવામાં આવતા અસરગ્રસ્‍ત પરિવારોમાં ખુશી ફેલાઈ જવા પામી હતી.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, સરકાર અને સેવા ભાવી સંસ્‍થાઓના સહયોગથી પુરસરગ્રસ્‍ત પરિવારો માટે હળપતિ રેસીડન્‍સીમાં પાકા મકાનો બનશે અને પૂરની સમસ્‍યાનું કાયમી નિરાકરણ આવશે દાતાઓ ધાર્મિક સંસ્‍થાઓનું કાયમી નિરાકરણ આવશે. દાતાઓ ધાર્મિક સંસ્‍થાઓ, શાળાઓમાં દાન કરતા હોય છે, પરંતુ નડિયાદ અને વાંસદાની સંસ્‍થાઓ દ્વારા આ રીતે આવાસ માટે દાન આપવાની પહેલ કરાઈ છે, આ આપણા વિસ્‍તારની પ્રથમ ઘટના હશે. તેઓ પ્રત્‍યે આભારની લાગણી વ્‍યક્‍ત કરી હતી. વધુમાં હરણગામના પ્રાથમિક શાળાના વિધાર્થીઓને સ્‍વામિનારાયણ મંદિર રાજકોટ વિદ્યાર્થી મંડળ દ્વારા 170 જેટલી સ્‍કૂલ બેગોનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. આ ઉપરાંત ડીઆર આઈ ઈન્‍ડિયાના વિષ્‍ણુભાઈ ખંડેલવાલ દ્વારા રક્ષાબંધનનાં તહેવારને લઈને બહેનોને 400 જેટલી સાડીઓ પણ આપવામાં આવી હતી.

Related posts

ભીડભંજન મહાદેવ દેવાલય સ્‍થિત ભારદ્વાજ કુટિર ખાતે શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ દ્વારા યજ્ઞોપવિત્‌ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ ફલેટમાં ફ્રિઝમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી 

vartmanpravah

વાપી પોદાર ઈન્‍ટરનેશનલ શાળામાં ‘આનંદ મેળા’નું આયોજન થયું

vartmanpravah

નાની દમણના કડૈયા માછીવાડ ખાતે અણમોલ સંસ્‍થા દ્વારા યોજાયેલ ત્રિ-દિવસીય સાંસ્‍કૃતિક કાર્યક્રમો

vartmanpravah

દીવ ન.પા.માં ભાજપની ટિકિટ માટે લાગેલી હોડઃ દમણ અને સેલવાસથી વિપરીત પક્ષના હોદ્દેદારોને ટિકિટ નહીં આપવા લેવાયેલા નિર્ણય સામે કચવાટ

vartmanpravah

મહિલા પ્રસૂતી ગૃહના પાછળના ભાગે દર્દી સાથે ઘોર નિંદ્રામાં શ્વાન: ચીખલીની સબ જિલ્લા હોસ્પિટલની બેદરકારી ઉજાગર

vartmanpravah

Leave a Comment