Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર મુકામે વિજ્ઞાન શિક્ષકોની રાજ્ય કક્ષાની રિસોર્સ પર્સન તાલીમ કાર્ય શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ધરમપુર, તા.૦૫: જીસીઈઆરટી ગાંધીનગરની પ્રેરણાથી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વલસાડ તથા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર દ્વારા સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાના ત્રણ ત્રણ વિજ્ઞાન શિક્ષકોની ધોરણ છ થી આઠના અભ્યાસક્રમ અને અધ્યયન નિષ્પત્તિઓ આધારિત રિસોર્સ પર્સન તાલીમ કાર્ય શિબિરનું તારીખ 2, 3 અને 4 સપ્ટેમ્બર દરમિયાન આયોજન થયું હતું. સમગ્ર ગુજરાત રાજ્યમાંથી 103 જેટલા તજજ્ઞ શિક્ષકોએ તાલીમમાં ભાગ લીધો હતો.
જીસીઈઆરટી ગાંધીનગરથી આ કાર્યક્રમ માટે તજજ્ઞ તરીકે શ્રી કપિલદેવ વસાણી, શ્રી ભાર્ગવ ઠક્કર, શ્રી હિરેનભાઈ વ્યાસ, શ્રીમતી તૃપ્તિબેન પારેખ સહિત અન્ય કી રિસોર્સ પર્સન આ તાલીમમાં હાજર રહ્યા હતા. જિલ્લા વિજ્ઞાન કેન્દ્રના એજ્યુકેશન ઓફિસર શ્રી પ્રજ્ઞેશ રાઠોડ એ પણ સદર કાર્યક્રમમાં તજજ્ઞ તરીકે સેવા આપી હતી. તેમજ ફન એટ લો ટેમ્પરેચર લિક્વિડ નાઇટ્રોજન શો નું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ ૩ દિવસના કાર્યક્રમ દરમિયાન વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર ખાતે 3ડી શો તારામંડલ શો વિવિધ પ્રયોગો, પ્રવૃત્તિઓ અને નિદર્શનનું આયોજન થયું હતું. સમગ્રપણે રાજ્યના દરેક જિલ્લામાંથી પધારેલા શિક્ષકોએ આ તાલીમ તેમને ભવિષ્યમાં યોજનાર શિક્ષક તાલીમ માટે ખૂબ સારા કૌશલ્યો અને સમજણ પ્રદાન કરનારી બની રહી તેવા હકારાત્મક પ્રતિભાવો આપ્યા હતા.
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વલસાડના પ્રાચાર્ય શ્રી મહેન્દ્રભાઈ આર. પટેલે સમગ્ર તાલીમ દરમિયાન હાજર રહીને શિક્ષકોને પ્રેરણા અને માર્ગદર્શન પૂરા પાડ્યા હતા.

Related posts

વહેલી સવારે પારડી હાઈવે સ્‍થિત રોહિત ખાડી પાસે 5 વાહનો વચ્‍ચે અકસ્‍માત: મુંબઈ તરફના ટ્રેક પર સર્જાયો ભારે ટ્રાફિક જામ

vartmanpravah

આજે વાપી ગ્રીન એન્‍વાયરો લી.ની એ.જી.એમ. યોજાશે : લઘુ ઉદ્યોગ ભારતીએ ઉદ્યોગોના પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરી

vartmanpravah

કેન્દ્રીય ખાતર અને રસાયણ મંત્રી મનસુખ માંડવિયા દ્વારા ઓનલાઈન ટીવી પ્રસારણના માધ્યમથી સેલવાસમાં કિસાન સમૃદ્ધિ કેન્‍દ્રનો કરાયો શુભારંભ

vartmanpravah

રેલવે અને પોસ્‍ટ વિભાગના સંયુક્‍ત સાહસથી ચાલતી પાર્સલ સુવિધા ઉમરગામમાં કાર્યરત કરવા યોજેલ કાર્યક્રમ

vartmanpravah

લોકસભાની દાનહ બેઠકની ચૂંટણીની મત ગણતરી કરાડ પોલિટેક્‍નિક કોલેજ ખાતે નિર્ધારિત 04 જૂને થશે

vartmanpravah

રાજ્‍ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ એલિમેન્‍ટરીની પરીક્ષામાં શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિરના તમામ વિદ્યાર્થી એ ગ્રેડસાથે પાસ

vartmanpravah

Leave a Comment