April 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

કેન્‍દ્ર સરકારની ‘હર ઘર નલ સે જલ’ યોજનામાં સંઘપ્રદેશ થ્રીડીએ 100 ટકા લક્ષ પ્રાપ્ત કરી ગોવાની સાથે સંયુક્‍ત રીતે સર્વપ્રથમ રહેવાનું મેળવેલું બહુમાન

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને દિશા-નિર્દેશ હેઠળ સંઘપ્રદેશના જાહેર બાંધકામ વિભાગ તથા પંચાયતે લક્ષ્ય પ્રાપ્તિ માટે કરેલા અથાક પ્રયાસોનું મળેલું પરિણામ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17: વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ કેન્‍દ્રીય જલ શક્‍તિ મંત્રાલયના ‘જલ જીવન મિશન’ અંતર્ગત દેશમાં લાગુ કરેલી ‘હર ઘર નલ સે જલ’ યોજનામાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવે 100 ટકા લક્ષ પ્રાપ્ત કરી ગોવાની સાથે સંયુક્‍ત રીતે સર્વપ્રથમ રહેવાનું બહુમાન પ્રાપ્ત થયું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શન અને દિશા-નિર્દેશ હેઠળ સંઘપ્રદેશના જાહેર બાંધકામ વિભાગ તથા પંચાયતે લક્ષ્ય પ્રાપ્તિ માટે કરેલા અથાક પ્રયાસોના પરિણામે દેશના દરેક રાજ્‍યો અને સંઘપ્રદેશોમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ 100 ટકા લક્ષ પ્રાપ્તિ કરવામાં ગોવાની સાથે સંયુક્‍ત રૂપથી પ્રથમરહ્યું છે.
દાદરા નગર હવેલી જિલ્લાના 52353 ઘરો, દમણ જિલ્લાના 27451 ઘરો અને દીવના જિલ્લાના 5352 ઘરોમાં પૂર્ણ રૂપથી ‘હર ઘર નલ સે જલ’ અંતર્ગત લાભાન્‍વિત કરાયા છે. ત્રણેય જિલ્લાની પ્રત્‍યેક સ્‍કૂલો, આંગણવાડી કેન્‍દ્રો અને આશ્રમ શાળાને પણ આ યોજના અંતર્ગત સામેલ કરાયા છે.
ફરી એકવાર રાષ્‍ટ્રીય સ્‍તરે સંઘપ્રદેશને મળેલી ઉપલબ્‍ધિ બદલ સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દાદરા નગર હવેલી અને દમણ-દીવના તમામ નાગરિકોને હાર્દિક અભિનંદન પાઠવી તેમને શુભકામના પણ આપી છે.

Related posts

પૈસાની લેતીદેતીમાં ઓરવાડ ખાતે મારામારી

vartmanpravah

વલસાડમાં આઝાદીની સ્મૃતિરૂપે મશાલ યાત્રા નીકળી, અંદાજે 3000થી વધુ લોકો સ્વયંભૂ ઉમટ્યા

vartmanpravah

વલસાડ જિલ્લામાં 32188 એન.એફ.એસ.એ. લાભાર્થીએ ઘર બેઠા આયુષ્‍યમાન કાર્ડ બનાવ્યા

vartmanpravah

સલવાવ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીઓએ ઈન્‍ટર કોલેજ ટેબલ ટેનિસ વૂમન ટૂર્નામેન્‍ટમાં સિલ્‍વર મેડલ પ્રાપ્ત કર્યો

vartmanpravah

કાવ્‍ય સાધના મંચ વાપી દ્વારા ગુજરાત સ્‍થાપના દિનની પૂર્વ સંધ્‍યાએ કવિતા સરીતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

જેઈઈ મેઈન 2024માં વાપી ઉમરગામના બે વિદ્યાર્થીઓએ 99 થી વધુ પર્સેન્‍ટાઈલ મેળવ્‍યા

vartmanpravah

Leave a Comment