September 2, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલના નેતૃત્‍વમાં પાકિસ્‍તાની જેલમાં બંદીવાન માછીમાર પરિવારના સભ્‍યોએ કેન્‍દ્રના મત્‍સ્‍યોદ્યોગ રાજ્‍યમંત્રી પુરૂષોત્તમ રૂપાલાની લીધેલી મુલાકાત

પ્રતિનિધિ મંડળે પાકિસ્‍તાની જેલમાં બંદીવાન પોતાના સ્‍વજનોની વર્ણવેલી વ્‍યથાઃ મંત્રી પુરૂષોત્તમભાઈ રૂપાલાએ વિદેશમંત્રી સાથે મસલત કરી પ્રશ્નોના ઉકેલ માટે આપેલું આશ્વાસન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવી દિલ્‍હી, તા.08: દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલના નેતૃત્‍વમાં આજે પાકિસ્‍તાની જેલમાં બંદીવાન બનેલા માછીમાર પરિવારોના સભ્‍યોએ આજે ભારત સરકારના પશુપાલન, ડેરી અને મત્‍સ્‍યોદ્યોગ રાજ્‍યમંત્રી શ્રી પુરૂષોત્તમ રૂપાલા સાથે મુલાકાત કરી તેમની સમસ્‍યાની જાણકારી આપી હતી.
સાંસદ શ્રી લાલુભાઈ પટેલના નેતૃત્‍વમાં મળવા ગયેલા પ્રતિનિધિ મંડળમાં શ્રીમતી રાજીબેન છગન બામણિયા, શ્રીમતી અમૃતબેન જયંતિ બામણિયા, શ્રી છગન સોમા બામણિયા, શ્રીમતી જયાબેન મોહન, શ્રીમતી લખીબેન સોમા સોલંકી, શ્રીમતી રામીબેન પ્રેમજીભાઈ સોલંકી અને શ્રીમતી રમીલાબેન જીતુ બામણિયાનો સમાવેશ થતો હતો.
સાંસદ શ્રી લાલુભાઈ પટેલના નેતૃત્‍વમાં મળેલા માછીમાર પરિવારના પ્રતિનિધિ મંડળે લાંબા સમયથી પાકિસ્‍તાની જેલમાં સબડી રહેલા તેમના સંબંધીઓના જાનમાલના સંદર્ભમાંચિંતા વ્‍યક્‍ત કરી હતી અને વહેલામાં વહેલી તકે પાકિસ્‍તાની જેલમાંથી મુક્‍ત થઈ ભારત આવે એવા પ્રયાસો કરવા અરજ કરી હતી.
મંત્રી શ્રી પુરૂષોત્તમભાઈ રૂપાલાએ પ્રતિનિધિ મંડળને આશ્વાસન આપતા જણાવ્‍યું હતું કે, વિદેશમંત્રી જોડે પાકિસ્‍તાની જેલમાંથી માછીમારોને છોડાવવાની બાબતમાં મસલત ચાલી રહી છે.

Related posts

સુશાસન સપ્તાહ અંતર્ગત કલેકટર નૈમેષ દવેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા કક્ષાનો વર્કશોપ યોજાયો

vartmanpravah

દમણ જિલ્લા કક્ષાની આંતર શાળા ક્રિકેટ (અંડર 19 બોયઝ) સ્‍પર્ધાની ફાઈનલમાં શ્રી માછી મહાજન શાળા વિજેતા બની

vartmanpravah

સી.એસ.આર. અંતર્ગત ટેકફેબ ઇન્‍ડિયા ઇન્‍ડસ્‍ટ્રીઝ લિ. દ્વારા આર્થિક રૂપે નબળા અને દિવ્‍યાંગ સેલવાસના રામૈયા નાદરને આપવામાં આવી ઈ-રીક્ષાની ભેટ

vartmanpravah

વલસાડ જિલ્લાની સરકારી કચેરીઓમાં અનઅધિકૃત વ્‍યકિતઓના પ્રવેશ પર પ્રતિબંધ

vartmanpravah

દાનહમાં સમગ્ર શિક્ષણ અંતર્ગત યોજાયો જિલ્લા સ્‍તરીય રંગોત્‍સવઃ જિલ્લાના 4 વિભાગોએ અલગ અલગ થીમ ઉપર રજૂ કરેલી કૃતિઓ: દરેક થીમ માટે આપવામાં આવેલા પ્રથમ અને દ્વિતીય નંબર

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને હર ઘર તિરંગા અભિયાનની બેઠક મળી: જિલ્લામાં તા. 13 થી તા. 15 ઓગસ્ટ સુધી સતત 3 દિવસ સુધી તિરંગો લહેરાશે

vartmanpravah

Leave a Comment