Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલના નેતૃત્‍વમાં પાકિસ્‍તાની જેલમાં બંદીવાન માછીમાર પરિવારના સભ્‍યોએ કેન્‍દ્રના મત્‍સ્‍યોદ્યોગ રાજ્‍યમંત્રી પુરૂષોત્તમ રૂપાલાની લીધેલી મુલાકાત

પ્રતિનિધિ મંડળે પાકિસ્‍તાની જેલમાં બંદીવાન પોતાના સ્‍વજનોની વર્ણવેલી વ્‍યથાઃ મંત્રી પુરૂષોત્તમભાઈ રૂપાલાએ વિદેશમંત્રી સાથે મસલત કરી પ્રશ્નોના ઉકેલ માટે આપેલું આશ્વાસન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવી દિલ્‍હી, તા.08: દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલના નેતૃત્‍વમાં આજે પાકિસ્‍તાની જેલમાં બંદીવાન બનેલા માછીમાર પરિવારોના સભ્‍યોએ આજે ભારત સરકારના પશુપાલન, ડેરી અને મત્‍સ્‍યોદ્યોગ રાજ્‍યમંત્રી શ્રી પુરૂષોત્તમ રૂપાલા સાથે મુલાકાત કરી તેમની સમસ્‍યાની જાણકારી આપી હતી.
સાંસદ શ્રી લાલુભાઈ પટેલના નેતૃત્‍વમાં મળવા ગયેલા પ્રતિનિધિ મંડળમાં શ્રીમતી રાજીબેન છગન બામણિયા, શ્રીમતી અમૃતબેન જયંતિ બામણિયા, શ્રી છગન સોમા બામણિયા, શ્રીમતી જયાબેન મોહન, શ્રીમતી લખીબેન સોમા સોલંકી, શ્રીમતી રામીબેન પ્રેમજીભાઈ સોલંકી અને શ્રીમતી રમીલાબેન જીતુ બામણિયાનો સમાવેશ થતો હતો.
સાંસદ શ્રી લાલુભાઈ પટેલના નેતૃત્‍વમાં મળેલા માછીમાર પરિવારના પ્રતિનિધિ મંડળે લાંબા સમયથી પાકિસ્‍તાની જેલમાં સબડી રહેલા તેમના સંબંધીઓના જાનમાલના સંદર્ભમાંચિંતા વ્‍યક્‍ત કરી હતી અને વહેલામાં વહેલી તકે પાકિસ્‍તાની જેલમાંથી મુક્‍ત થઈ ભારત આવે એવા પ્રયાસો કરવા અરજ કરી હતી.
મંત્રી શ્રી પુરૂષોત્તમભાઈ રૂપાલાએ પ્રતિનિધિ મંડળને આશ્વાસન આપતા જણાવ્‍યું હતું કે, વિદેશમંત્રી જોડે પાકિસ્‍તાની જેલમાંથી માછીમારોને છોડાવવાની બાબતમાં મસલત ચાલી રહી છે.

Related posts

દાનહના અંતરિયાળ વિસ્‍તારમાં પીવાના પાણીની સમસ્‍યાના કાયમી ઉકેલ માટે અમૃત સરોવરના નિર્માણનું પ્રદેશ ભાજપ દ્વારા સૂચન

vartmanpravah

કપરાડાના હુંડા ગામનો ડે.સરપંચ 4000 રૂા.ની લાંચ લેતા એ.સી.બી.ની ટ્રેપમાં રંગે હાથ ઝડપાયો

vartmanpravah

વાપી કોપરલી ગામે સરકારી વૃક્ષો કાપી નંખાતા પંચાયત સભ્‍ય અને ડીડીઓમાં લેખિત ફરીયાદ કરી

vartmanpravah

મણીપુરની ઘટનાના વિરોધમાં આદિવાસી સંગઠનો દ્વારા અપાયેલા ગુજરાત બંધના એલાનને ચીખલીના રાનકુવા, સુરખાઈ સહિતના અનેક વિસ્‍તારમાં મળેલો પ્રતિસાદ

vartmanpravah

દમણ-દીવના પૂર્વ સાંસદ સ્‍વ. ડાહ્યાભાઈ પટેલના સ્‍મરણાર્થે શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજની વાડી ભેંસરોડ ખાતે 3 જાન્‍યુ.થી ભાગવત કથા યોજાશે

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતની ગ્રામસભામાં ભારતની આઝાદીના અમૃત મહોત્‍સવના વર્ષ દરમિયાન દેશના સર્વોચ્‍ચ પદ ઉપરઆદિવાસી રાષ્‍ટ્રપતિની પસંદગી કરવા બદલ પ્રધાનમંત્રી અને એનડીએનો માનેલો આભાર

vartmanpravah

Leave a Comment