July 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી ભડકમોરા હનુમાનજી મંદિરમાં નશામાં ધૃત બનેલા બે નેપાળીઓએ કાર ઘૂસાડી : મોટી દુર્ઘટના ટળી

રક્ષાબંધન હોવાથી અનેક લોકોની ભીડ મંદિરમાં હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: વાપી સેલવાસ રોડ ભડકમોરા વિસ્‍તારમાં આવેલ હનુમાનજી મંદિરમાં નશામાં ધૃત બનેલ બે ઈસમો શિફટ ડિઝાયર કારને મંદિરમાં ઘૂસાડી દેતા ભાગદોડ મચી હતી. પોલીસે ચાલક અને પાસે બેઠેલ બન્ને આરોપીઓને ઝડપી લીધા હતા.
વાપી ભડકમોરામાં આવેલ હનુમાન મંદિરમાં આજે ગુરૂવારે સાંજના સમયે સેલવાસ તરફ જઈ રહેલ શિફટ ડિઝાયર કાર નં.જીજે 14 સીજે 5073ના ચાલકે નશાની ધૃત હાલતમાં કાર નશામાં બેકાબુ બનતા મંદિરમાં ઘૂસાડી દીધી હતી. રક્ષાબંધન હોવાથી મંદિરમાં ભાવિકોની ભીડ હતી. અચાનક કાર મંદિરમાં ધસી આવતા લોકો દોડી ગયા હતા. થોડી વાર નાસમભાગ મચી હતી. સદનસીબે કોઈ ઈજા નહી થતા મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાની જાણ બાદ તુરંત પોલીસ ઘટના સ્‍થળે દોડી આવી હતી. નશામાં ધૃત ચાલક અને જોડે બેઠેલ બન્ને ઈસમોની અટક કરી હતી. તપાસ કરતા બન્ને નેપાળી હતા તેમજ અતુલ ફળીયામાં રહેતા હોવાનું બહાર આવ્‍યું હતું. કારચાલકની હાલત નશામાં ચકચુર હોવાથી પોલીસે તેને નજીકની ઉષા હોસ્‍પિટલમાં ખસેડયો હતો.

Related posts

વલસાડ જિલ્લામાં તા. 16 થી 19 માર્ચ હળવા કમોસમી વરસાદની આગાહી

vartmanpravah

દાનહ અને દમણ-દીવના ભાગ્ય વિધાતા કોણ? દાનહ અને દમણ-દીવમાં મોદી સરકારે શિખવેલા પાઠઃ સાંસદ પોતે સરકાર નહીં પણ પ્રજાનો પ્રતિનિધિ

vartmanpravah

નવસારીની તાતા ગર્લ્‍સ સ્‍કૂલ ખાતે ચિરાગ ભટ્ટનો મોટીવેશનલ સેમિનાર યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક તરીકે એસ.પી.અગ્રવાલના આગમન સાથે જ દમણ-દીવ અને દાનહના ઘણાં નેતાઓ, ઉદ્યોગપતિઓ અને દલાલોના દિવસો સુધરી ગયા હતા

vartmanpravah

દાનહ જિ.પં.ના ઉપ પ્રમુખ પદેથી દિપક પ્રધાન બર્ખાસ્‍ત

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા.૮ થી ૧૪ જાન્‍યુઆરી દરમિયાન પોષણ અભિયાન અંતર્ગત સ્‍વસ્‍થ બાળક સ્‍પર્ધા યોજાશે

vartmanpravah

Leave a Comment