Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.11: દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસકશ્રીના માર્ગદર્શન અને દિશા-નિર્દેશમાં પ્રદેશમાં અલગ અલગ પ્રકારના સાંસ્‍કૃતિક અને ગણમાન્‍ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દેશના આઝાદીના 75વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં ભારત સરકાર દ્વારા પ્રાયોજીત આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાન કાર્યક્રમ પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા 12મી ઓગસ્‍ટના રોજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રખોલી પંચાયત ઘર, ખાનવેલ પ્રાથમિક શાળા, દૂધની જેટી, દાદરા પંચાયતની બાજુમાં, નરોલી ચાર રસ્‍તા ઓરીયન ઈમ્‍પીરીયા મોલ, લેન્‍ડમાર્ક બિલ્‍ડીંગ ટોકરખાડા ખાતે સવારે 11:00 વાગ્‍યાથી રંગોળી પ્રદર્શનનું આયોજન કરવામાં આવશે.
દાદરા નગર હવેલીની જનતાને અનુરોધ કરવામાં આવે છે કે, પ્રાથમિક શાળાઓઓના વિદ્યાર્થીઓ દ્વારા યોજાનાર આ રંગોળી સ્‍પર્ધામાં ભાગ લઈ શાળાના વિદ્યાર્થીઓનો ઉત્‍સાહ વધારે.

Related posts

પ્રદેશના વિદ્યુત નિગમના ખાનગીકરણ થયા બાદ દાનહના લગભગ 30 હજાર જેટલા ગરીબ આદિવાસીઓ ઉપર ફરી દિવા-ફાનસના યુગમાં આવવાનું તોળાતુ સંકટ

vartmanpravah

કોવિડ-19ના ચુસ્‍ત પાલન સાથે દાનહ જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત અને પ્રાથમિક શાળાઓમાં ‘મુક્‍તિ દિવસ’ તથા ‘સ્‍વતંત્રતા દિન’ની થનારી ઉજવણી

vartmanpravah

આજે દમણ-દીવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ પરિયારી ગ્રામ પંચાયત વિસ્‍તારમાં ડોર ટુ ડોર પ્રચાર કરશે

vartmanpravah

દાદરા નગર હવેલીના અંતરિયાળ ગામડા વિસ્‍તારમાં પીવાના પાણીની ઉદ્‌ભવેલી વિકટ સમસ્‍યા

vartmanpravah

દાનહના ઇતિહાસમાં પહેલી વખત સ્‍વતંત્રતા દિવસની પ્રદેશ સ્‍તરની ઉજવણી ખાનવેલમાં કરાશેઃ સંઘપ્રદેશના પ્રશાસક તિરંગો લહેરાવશે

vartmanpravah

દાનહઃ સાયલીમાં ટેમ્‍પો રિવર્સ લેતી વખતે યુવાન નીચે આવી જતાં ઘટના સ્‍થળે જ થયેલું મોત

vartmanpravah

Leave a Comment