April 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દિલ્‍હી ખાતે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘ, આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રી મનસુખ માંડવિયા તથા રેલવે મંત્રી અશ્વિની વૈષ્‍ણવ સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

ત્રણેય કેન્‍દ્રિય મંત્રીઓ સાથે કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના સર્વાંગી વિકાસના સંદર્ભમાં કરેલી મનનીય ચર્ચા-વિચારણાં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવી દિલ્‍હી, તા.29 : આજે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે નવી દિલ્‍હી ખાતે દેશના સંરક્ષણમંત્રી શ્રી રાજનાથ સિંઘ સાથે શુભેચ્‍છા મુલાકાત કરી હતી. પ્રશાસકશ્રીએ લક્ષદ્વીપ એરપોર્ટની સુરક્ષા તથા વિવિધ અન્‍ય મહત્ત્વના મુદ્દાઓ ઉપર સંરક્ષણમંત્રી સાથે વિચાર-વિમર્શ કર્યો હતો.
દરમિયાન પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે કેન્‍દ્રિય આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રી શ્રી મનસુખ માંડવિયા સાથે પણ શુભેચ્‍છા મુલાકાત કરી હતી અને મુલાકાત દરમિયાન આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ સંબંધી કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપ માટે જરૂરી ચર્ચા-વિચારણાં કરી હતી.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે તેમની દિલ્‍હી યાત્રા દરમિયાન કેન્‍દ્રિય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્‍ણવની પણ મુલાકાત કરી હતી અને તેમની સાથે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાંવસવાટ કરતા લક્ષદ્વીપ અને દેશના અન્‍ય રાજ્‍યોના લોકોને તેમના વતનમાં જવા તથા પરત આવવામાં રેલવેની ઉપયોગી સુવિધા બાબતે ચર્ચા-વિચારણાં કરી હતી.

Related posts

દાનહ કલેક્‍ટર ભાનુ પ્રભાની ઉપસ્‍થિતિમાં સંઘપ્રદેશના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારાસીટી ફોરેસ્‍ટ ગાર્ડન સેલવાસ ખાતે યોજાયેલી બેઠક

vartmanpravah

દિલીપનગરમાં આયોજીત શ્રીમદ્‌ ભાગવત કથાએ પેદા કરેલું ધાર્મિક આકર્ષણઃ કથા સાંભળવા લોકોમાં પેદા થયેલી ઉત્‍સુકતા

vartmanpravah

મોતીવાડામાં 20 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

સેલવાસ દમણગંગા નદીમાં વધુ એક વ્‍યક્‍તિએ લગાવી મોતની છલાંગ

vartmanpravah

ચીખલીના કુકેરી ગામે શાંતાબા વિદ્યાલયમાં દાતાઓના યોગદાનથી નિર્માણ થનાર કુમાર છાત્રાલયનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

દમણ જિલ્લામાંથી કુપોષણની સમસ્‍યા નાબુદ કરવા આપવામાં આવેલું સામાજિક ઓડિટ ઉપર જોર

vartmanpravah

Leave a Comment