Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણમાં યોજાયેલી મલ્‍ટી સ્‍પોર્ટ્‌સ ઈવેન્‍ટના ત્રીજા દિવસે સાયકલ રેસ ઈવેન્‍ટનું કરાયેલું આયોજન

વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13
કેન્‍દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસન દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ અને ‘હર ઘર તિરંગા’ના ઉપક્રમે પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યુવા બાબતો અને રમત-ગમત વિભાગના સચિવ શ્રીમતી અંકિતા આનંદના માર્ગદશમાં અને પ્રવાસન અને રમ-ગમત વિભાગના નિર્દેશક શ્રી અરૂણ ગુપ્તાના સહયોગથી દમણમાં મલ્‍ટી સ્‍પોર્ટ્‌સ ઈવેન્‍ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ મલ્‍ટી સ્‍પોર્ટ્‌સ ઈન્‍વેટનું આયોજન તા.11 થી 17 ઓગસ્‍ટ, 2022 દરમિયાન દમણ જિલ્લાના 3 જુદા જુદા મેદાનોમાં કરવામાં આવશે. આ મલ્‍ટી સ્‍પોર્ટ્‌સ ઈવેન્‍ટમાં ખેલાડીઓ માટે ટગ ઓફ વોર, વોલીબોલ, ફૂટબોલ, મેરેથોન, સાયકલ રેસ, મ્‍યુઝિકલ ચેર, સૈક રેસની 8 રમતોનું આયોજન કરવામાં આવ્‍યું છે. આજે 13મી ઓગસ્‍ટ 2022ના રોજ મલ્‍ટી સ્‍પોર્ટ્‌સ ઈવેન્‍ટના ત્રીજા દિવસે સાઈકલ રેસનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ખેલાડીઓની સાથે લોકોએ પણ ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો.
સાયકલ રેસ ઈવેન્‍ટ પુરૂષોની સ્‍પર્ધામાં પ્રથમ ક્રમે લકી, રનર્સઅપ તરીકે દિપક અને ત્રીજા ક્રમે અભિષેક જ્‍યારે મહિલાઓની સ્‍પર્ધામાં પ્રથમ ક્રમે દૂર્વા જાદવ, રનર્સઅપતરીકે શ્રેયા સિંહ અને તૃતિય ક્રમે રિયા સિંહ રહ્યા હતા.
આ મલ્‍ટી સ્‍પોર્ટ ઈવેન્‍ટને સફળ બનાવવા મદદનીશ શારીરિક શિક્ષણ અધિકારી શ્રી અક્ષય કોટલવાર, તાલુકા રમતગમત સંયોજક શ્રી દેવરાજસિંહ રાઠોડ, રમતગમત અને પ્રવાસન વિભાગના શ્રી જેનીશ પટેલ, રમતગમત વિભાગના રમતગમત કોચ અને વિવિધ શાળાઓના શારીરિક શિક્ષકોએ જહેમત ઉઠાવી રહ્યા છે.

Related posts

વાપી વી.આઈ.એ.માં આયુષ્‍માન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો : ટૂંક સમયમાં પી.વી.સી. કાર્ડમાં તબદીલ થશે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના સલાહકાર વિકાસ આનંદની અધ્‍યક્ષતામાં મંકીપોક્‍સ બાબતે યોજાયેલી સમીક્ષા બેઠક

vartmanpravah

કપરાડાના ટુકવાડા ગામે આદિવાસીઓના પરંપરાગત ભોવાડાની કરાયેલી ઉજવણી

vartmanpravah

દાનહ વનવિભાગ દ્વારા ‘વન્‍યજીવન સપ્તાહ’નું આયોજન કરાશે

vartmanpravah

રાષ્ટ્રપતિ શ્રેષ્‍ઠ શિક્ષક એવોર્ડ-2019 વિજેતા વિરેન્‍દ્રભાઈ પટેલનું વાપી પી.ટી.સી. કોલેજમાં ‘શિક્ષક દિન’ નિમિત્તે કરાયેલું સન્‍માન

vartmanpravah

મોટી દમણ વીવીઆઈપી સર્કિટ હાઉસ ખાતે આયોજીત એટ હોમ કાર્યક્રમમાં સંઘપ્રદેશ પ્રશાસન અને જનભાગીદારીથી પરિવર્તન સંભવ હોવાનો નગરજનોએ કરેલો પ્રત્‍યક્ષ અનુભવઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

Leave a Comment