Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

ઉમરગામ ટાઉનમાં ત્રિરંગા યાત્રાનુું કરવામાંઆવેલું ભવ્‍ય આયોજન

વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.13
ઉમરગામ ટાઉન વિસ્‍તારમાં આજરોજ આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત ભવ્‍ય ત્રિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સવારના 8.00 કલાકના સમયે યાત્રાનો પ્રારંભ ઉમરગામ મુખ્‍ય બસ સ્‍ટેન્‍ડથી કરવામાં આવ્‍યો હતો. આ રેલીમાં ઉમરગામ વિસ્‍તારના અગ્રણીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્‍યામાં નગરજનો જોડાયા હતા. ઉમરગામ મુખ્‍ય બસ સ્‍ટેન્‍ડથી પ્રારંભ થયેલી રેલી આકાર મારુતિ સુધી પહોંચી હતી. અને ત્‍યારબાદ ફરી જુના પેટ્રોલ પંપ સુધી પહોંચી રેલીને પૂર્ણ કરવામાં આવી હતી.
આ રેલીમાં ઉમરગામમાં ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકર, ઉમરગામ પાલિકા પ્રમુખ શ્રીમતી ચારૂશીલાબેન પટેલ, પાલિકા ઉપપ્રમુખ શ્રી ગણેશભાઈ બારી, ઉમરગામના રાજકીય આગેવાન અને ઉદ્યોગપતિ શ્રી ઈશ્વરભાઈ બારી, ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ શ્રી જીગ્નેશભાઈ બારી, ઉમરગામ પોલીસ મથકના પી.એસ.આઈ શ્રી આર.બી. વનાર, ઉમરગામ પાલિકાના બાંધકામ સમિતિના અધ્‍યક્ષ શ્રી અંકુશભાઈ કામડી, વલસાડ જિલ્લા પ્રભારી શ્રીમતી વર્ષાબેન રાવલ, ઉમરગામ પાલિકાના માજી પ્રમુખ શ્રીમતી જશુમતીબેન દાંડેકર, અગ્રણી શ્રી સચિનભાઈ કોન્‍ટ્રાક્‍ટર સહિત મોટી સંખ્‍યામાં નગરજનો જોડાયા હતા.

Related posts

બુલેટ ટ્રેન, એક્‍સપ્રેસ હાઈવે, ગોલ્‍ડન કોરીડોર જેવા મહત્‍વાકાંક્ષી પ્રોજેક્‍ટ્‍સથી વલસાડ જિલ્લો-સંઘ પ્રદેશ ચંગા ચંગા

vartmanpravah

વલસાડમાં ગૌણ સેવા પસંદગી પરીક્ષાના પેપર લીક મામલે ‘આમ આદમી પાર્ટી’એ કલેક્‍ટરને આપેલું આવેદનપત્ર

vartmanpravah

25 જૂન, 1975માં કોંગ્રેસ સરકાર દ્વારા સમગ્ર દેશમાં લાદવામાં આવેલી કટોકટીને વખોડવા દમણ ભાજપે કાઢેલી વિરોધ રેલી

vartmanpravah

મિત્રો સાથે સાપુતારા ફરવા નિકળેલા નવસારીના બે યુવાનોના ચીખલી વાંઝણાપાસે થયેલ માર્ગ અકસ્‍માતમાં મોત

vartmanpravah

દમણમાં સ્‍વ.ડાહ્યાભાઈ પટેલ અને પિતૃ સ્‍મરણાર્થે 3જી જાન્‍યુઆરીથી ભાગવત કથાનું આયોજન

vartmanpravah

કપરાડા તાલુકાના વડોલી ખાતે આદિજાતિ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરના હસ્‍તે આદિજાતિના ખેડૂતોને આંબા કલમોનું વિતરણકરાયું

vartmanpravah

Leave a Comment