December 22, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

ઉમરગામ ટાઉનમાં ત્રિરંગા યાત્રાનુું કરવામાંઆવેલું ભવ્‍ય આયોજન

વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.13
ઉમરગામ ટાઉન વિસ્‍તારમાં આજરોજ આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત ભવ્‍ય ત્રિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સવારના 8.00 કલાકના સમયે યાત્રાનો પ્રારંભ ઉમરગામ મુખ્‍ય બસ સ્‍ટેન્‍ડથી કરવામાં આવ્‍યો હતો. આ રેલીમાં ઉમરગામ વિસ્‍તારના અગ્રણીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્‍યામાં નગરજનો જોડાયા હતા. ઉમરગામ મુખ્‍ય બસ સ્‍ટેન્‍ડથી પ્રારંભ થયેલી રેલી આકાર મારુતિ સુધી પહોંચી હતી. અને ત્‍યારબાદ ફરી જુના પેટ્રોલ પંપ સુધી પહોંચી રેલીને પૂર્ણ કરવામાં આવી હતી.
આ રેલીમાં ઉમરગામમાં ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકર, ઉમરગામ પાલિકા પ્રમુખ શ્રીમતી ચારૂશીલાબેન પટેલ, પાલિકા ઉપપ્રમુખ શ્રી ગણેશભાઈ બારી, ઉમરગામના રાજકીય આગેવાન અને ઉદ્યોગપતિ શ્રી ઈશ્વરભાઈ બારી, ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ શ્રી જીગ્નેશભાઈ બારી, ઉમરગામ પોલીસ મથકના પી.એસ.આઈ શ્રી આર.બી. વનાર, ઉમરગામ પાલિકાના બાંધકામ સમિતિના અધ્‍યક્ષ શ્રી અંકુશભાઈ કામડી, વલસાડ જિલ્લા પ્રભારી શ્રીમતી વર્ષાબેન રાવલ, ઉમરગામ પાલિકાના માજી પ્રમુખ શ્રીમતી જશુમતીબેન દાંડેકર, અગ્રણી શ્રી સચિનભાઈ કોન્‍ટ્રાક્‍ટર સહિત મોટી સંખ્‍યામાં નગરજનો જોડાયા હતા.

Related posts

દાનહ વન વિભાગ દ્વારા ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે પીપરિયા વન વિભાગ કચેરી સામેની ખુલ્લી જગ્‍યામાં કરેલું વૃક્ષારોપણ: લીમડો, મહૂડો, વડ, ગુલમહોર, પીપળો જેવા 135 જેટલા છોડોનું કરેલું વાવેતર

vartmanpravah

એકશન એઈડ અને આદિવાસી એકતા પરિષદના ઉપક્રમે ધરમપુરમાંસ્ત્રી હિંસા વિરૂધ્‍ધ અભિયાનનો પ્રારંભ

vartmanpravah

વલસાડનાં સરોધીગામથી મુંબઈ સુધી ગેરકાયદેસર થઈ રહયો છે રેતીનો વેપાર 

vartmanpravah

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ચાર ગામોને પડોશના કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં સમાવવા થઈ રહેલી હિલચાલ

vartmanpravah

ચીખલીના ટાંકલ ગામે ત્રણ કારના અકસ્‍માતમાં એક જ પરિવારના બે બાળકો સહિત પાંચનો આબાદ બચાવ

vartmanpravah

સંઘપ્રદેશમાં ભાજપનામિશન-2024નો આરંભઃ રાષ્‍ટ્રીય મહામંત્રી સી.ટી.રવિએ દાનહના સંગઠનમાં ફૂંકેલા પ્રાણ

vartmanpravah

Leave a Comment