October 23, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

ઉમરગામ ટાઉનમાં ત્રિરંગા યાત્રાનુું કરવામાંઆવેલું ભવ્‍ય આયોજન

વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.13
ઉમરગામ ટાઉન વિસ્‍તારમાં આજરોજ આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત ભવ્‍ય ત્રિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સવારના 8.00 કલાકના સમયે યાત્રાનો પ્રારંભ ઉમરગામ મુખ્‍ય બસ સ્‍ટેન્‍ડથી કરવામાં આવ્‍યો હતો. આ રેલીમાં ઉમરગામ વિસ્‍તારના અગ્રણીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્‍યામાં નગરજનો જોડાયા હતા. ઉમરગામ મુખ્‍ય બસ સ્‍ટેન્‍ડથી પ્રારંભ થયેલી રેલી આકાર મારુતિ સુધી પહોંચી હતી. અને ત્‍યારબાદ ફરી જુના પેટ્રોલ પંપ સુધી પહોંચી રેલીને પૂર્ણ કરવામાં આવી હતી.
આ રેલીમાં ઉમરગામમાં ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકર, ઉમરગામ પાલિકા પ્રમુખ શ્રીમતી ચારૂશીલાબેન પટેલ, પાલિકા ઉપપ્રમુખ શ્રી ગણેશભાઈ બારી, ઉમરગામના રાજકીય આગેવાન અને ઉદ્યોગપતિ શ્રી ઈશ્વરભાઈ બારી, ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ શ્રી જીગ્નેશભાઈ બારી, ઉમરગામ પોલીસ મથકના પી.એસ.આઈ શ્રી આર.બી. વનાર, ઉમરગામ પાલિકાના બાંધકામ સમિતિના અધ્‍યક્ષ શ્રી અંકુશભાઈ કામડી, વલસાડ જિલ્લા પ્રભારી શ્રીમતી વર્ષાબેન રાવલ, ઉમરગામ પાલિકાના માજી પ્રમુખ શ્રીમતી જશુમતીબેન દાંડેકર, અગ્રણી શ્રી સચિનભાઈ કોન્‍ટ્રાક્‍ટર સહિત મોટી સંખ્‍યામાં નગરજનો જોડાયા હતા.

Related posts

સામાન્‍ય વર્ગના લોકોને મદદરૂપ થનાર રોટરી ક્‍લબ ઓફ વલસાડનું વિવિધ એવોર્ડથી સન્‍માન કરાયું

vartmanpravah

લોકસભાની દાનહબેઠકની પેટા ચૂંટણીમાં 3 ઓબ્‍ઝર્વરોની નિમણૂક

vartmanpravah

દાનહમાં ચોમાસા દરમિયાન ખખડધજ બનેલા રસ્‍તાઓનું સમારકામ શરૂ કરાયું

vartmanpravah

જિ.પં. અધ્‍યક્ષ દામજીભાઈ કુરાડા અને ઉપ પ્રમુખ વંદનાબેન પટેલના નેતૃત્‍વમાં દાનહ જિ.પં.ની ટીમે ઉમરગામના ફણસા-કનાડુ ખાતે પોલ્‍ટ્રીફાર્મની કરેલી એક્‍સપોઝર મુલાકાતઃ આ પહેલને સંઘપ્રદેશમાં પણ આગળ વધારવાનો વિચાર

vartmanpravah

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય SC-ST હબ યોજનાની સફળતાની પ્રશંસા કરી

vartmanpravah

રાનકુવામાં ધોળે દિવસે તસ્‍કરોએ બંધ મકાનમાંથી સોના-ચાંદીના દાગીના સહિત રૂા. 1.89 લાખની મત્તાની કરેલી ચોરી

vartmanpravah

Leave a Comment