April 17, 2026
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

કપરાડા વાવરના ગ્રામજનોની અસહ્ય લાચારી : ધસમસતા કોઝવે ઉપરથી ચાલી અંતિમ યાત્રા કાઢવી પડી

કપરાડાના અનેક ગ્રામ્‍ય વિસ્‍તારના લોકો ચોમાસામાં દયનીય હાલતોના ભોગ બનતા રહ્યા છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: કપરાડા તાલુકો એટલે વલસાડ જિલ્લાનું ચેરાપુંજી. આ વિસ્‍તારમાં સૌથી વધારે વરસાદ પડે છે. વરસાદ તેમના માટે આશિર્વાદરૂપ કરતા શાપરૂપ વધારે બની રહે છે. કારણ કે ચોમાસામાં અનેક કોઝવે, ચેકડેમ, પુલો, રસ્‍તાઓના ધોવાણ થઈ જતા હોય છે. પરિણામે વિપરીત સ્‍થિતિનો સામનો મોટા ભાગના વિસ્‍તારના લોકો કરતા આવ્‍યા છે. તેનુ જીવંત ઉદાહરણીય ઘટના કપરાડાના વાવર ગામે ઘટી છે. ગામમાં મૃત્‍યુ થતા અંતિમ યાત્રા સ્‍મશાને પહોંચવા માટે ધસમસતા કોઝવે ઉપરથી જીવના જોખમે ચાલીને ગ્રામજનોએ કાઢી હતી.
કપરાડાવિસ્‍તારમાં વરસતા અતિશય વરસાદને આધિન અનેક વિષમ સ્‍થિતિઓ પ્રત્‍યેક ચોમાસામાં થતી હોય છે. અનેક ગામોના રોડ, રસ્‍તા, કોઝવેના ધોવાણો થતા સંપર્ક તૂટી જતા હોય છે. કપરાડાના વાવર ગામ પાસે આવેલ કોઝવે ઉપર વહી રહેલા પાણીને લઈ સ્‍મશાનનો સંપર્ક તૂટી ગયો છે. આજે રવિવારે ગ્રામજનોને અંતિમ યાત્રા કોઝવે ઉપર પાણીમાં જીવના જોખમે કાઢવી પડી હતી. આઝાદી ના 75 વર્ષનો દેશ અમૃત મહોત્‍સવ ઉજવી રહ્યો છે પરંતુ કપરાડા અંતરિયાળ વિસ્‍તાર આજે પણ પ્રાથમિક અનેક સુવિધાઓથી વંચિત છે. આ વિસ્‍તાર ડગલ પગલે અસહ્ય લાચારીનો ભોગ બની રહ્યો છે.
—–

Related posts

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર, સલવાવનું ગૌરવ

vartmanpravah

આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત વલસાડ જિલ્લાના વકીલોએ કાઢેલી ભવ્‍ય તિરંગા રેલી

vartmanpravah

ડાહ્યાભાઈ પટેલ કોંગ્રેસના સાંસદ હોવા છતાં તેમણે એનડીએ સરકાર સાથે રાખેલા તાલમેલના કારણે દમણ-દીવના કામોને પણ મળેલી અગ્રતા

vartmanpravah

વલસાડની હરિયા પીએચસીમાં રૂ.76 લાખના મેડિકલ સાધનો અર્પણ, દર્દીઓને વધુ સારી સારવાર ઉપલબ્‍ધ થશે 

vartmanpravah

સરીગામ લક્ષ્મી ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ ટેક્‍નોલોજીમાં ટેક ફેસ્‍ટ એકત્ર-2023 નો ઉદ્દઘાટન સમારંભ

vartmanpravah

ચીખલી કાવેરી સુગરમાં ત્રણ જેટલા નવા ડિરેક્‍ટરોની નિયુક્‍તિ

vartmanpravah

Leave a Comment