September 2, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

૩૬મી નેશનલ ગેમ્સ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમોના આયોજન અંગે કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેની અધ્યક્ષતામાં બેઠક મળી

જિલ્લાની કોલેજોમાં તા.૧૨મી થી ૧૬મી સપ્ટેમ્બર સુધી ‘સ્પોર્ટ્સ દ્વારા એકતાની ઉજવણી’ ની થીમ હેઠળ જાગૃતિ કાર્યક્રમો યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.0૮: ગુજરાતમાં તા. ૨૯ સપ્ટેમ્બર થી તા. ૧૨ ઓક્ટોબર, ૨૦૨૨ દરમિયાન ૩૬મી નેશનલ ગેમ્સ, ૨૦૨૨ યોજાનાર છે. તેથી ગુજરાતના તમામ જિલ્લાઓમાં નેશનલ ગેમ્સ અંતર્ગત ગુજરાતના યુવાનો અને વિદ્યાર્થીઓમાં નેશનલ ગેમ્સ બાબતે જાગૃતિ કેળવવા માટે તમામ શાળા, કોલેજો અને યુનિવર્સીટીઓમાં તા. ૧૨થી ૧૬ સપ્ટેમ્બર સુધી જિલ્લા, તાલુકા તેમજ શાળા અને કોલેજકક્ષાએ ‘Celebreting Unity Through Sports’(સ્પોર્ટ્સ દ્વારા એકતાની ઊજવણી) થીમ હેઠળ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ જાગૃતિ કાર્યક્રમો અંતર્ગત કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેની અધ્યક્ષતામાં વલસાડ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોના સુચારૂ આયોજન અંગે તા. ૮મી સપ્ટેમ્બરના રોજ કલેક્ટર કચેરીના સભાખંડમાં બેઠક મળી હતી. બેઠકમાં કલેક્ટરશ્રીએ જિલ્લા રમતગમત અધિકારી અનિલ રાઠોરને કાર્યક્રમોના આયોજન અંગે જરૂરી સુચનો આપ્યા હતા તેમજ કાર્યક્રમોમાં હાજર રહેવા માટે તમામ પ્રાંત અધિકારીઓ અને તાલુકા વિકાસ અધિકારીઓને સુચના આપી હતી.
જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કક્ષાના કાર્યક્રમો વલસાડ, પારડી, ઉમરગામ, કાપી અને ધરમપુર તાલુકાઓની વિવિધ કોલેજોમાં યોજાશે. જિલ્લા કક્ષાનો કાર્યક્રમ તા. ૧૨મી સપ્ટેમ્બરના રોજ વલસાડ તાલુકાની શાહ એન. એચ. કોમર્સ કોલેજના સંસ્કાર કેન્દ્ર ખાતે નાણાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં યોજાશે. તાલુકા કક્ષાના કાર્યક્રમો તા. ૧૩મી સપ્ટેમ્બરના રોજ પારડી તાલુકાની જે.પી. પારડીવાલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ, કિલ્લા પારડી અને ઉમરગામ તાલુકામાં સુરેશ મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ ખાતે અને તા. ૧૪મી સપ્ટેમ્બરના રોજ ધરમપુર તાલુકાની શ્રીમદ રાજચંદ્ર વિદ્યાપીઠ અને વાપી તાલુકામાં રોફેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યોજાશે. તેમજ તા.૧૫ ને ૧૬મી સપ્ટેમ્બરના રોજ જિલ્લાની બાકીની શાળા/કોલેજોમાં કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમોમાં ચેસ, વોલીબોલ, ટેબલ ટેનિસ, દોરડા ખેંચ, બેડમિંટન, કેરમ, સંગીત ખુરશી જેવી રમતોનું યોગ સાથે આયોજન થશે.

Related posts

મંત્રી કનુભાઈ દેસાઈ સહિતનામહાનુભાવોએ ગાંધીજીની પ્રતિમાને પુષ્‍પાંજલિ અર્પણ કરી

vartmanpravah

રોટરી ક્‍લબ દમણ દ્વારા 7 શિક્ષકોને એનાયત કરાયા રાષ્‍ટ્ર નિર્માતા પુરસ્‍કાર

vartmanpravah

દમણ જિલ્લામાં ભાજપના વિવિધ મંડળો દ્વારા ડો. શ્‍યામા પ્રસાદ મુખરજીને આપવામાં આવેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

દમણ જિલ્લા અને સેશન્‍સ કોર્ટનો ચુકાદો : સગીરા પર બળાત્‍કારના ગુનેગારને આજીવન કેદ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વ અને દિશા-નિર્દેશ હેઠળ દમણ જીએસટી વિભાગ પોતાનો દાયરો વધારશેઃ 11થી 30 એપ્રિલ સુધી દરેક પંચાયતો ઉપર રજીસ્‍ટ્રેશન કેમ્‍પનું આયોજન

vartmanpravah

વલસાડ આરટીઓ કચેરી દ્વારા બે-ચાર અને આઠ પૈડાવાળા ખાનગી વાહનોના પંસદગીના નંબર માટે હરાજી થશે

vartmanpravah

Leave a Comment