October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ વનવાસી કલ્‍યાણ આશ્રમ દ્વારા રાંધામાં ‘રાનભાજી’ મહોઉત્‍સવ ઉજવાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.22: દાદરા નગર હવેલીના રાંધા ગામે વનવાસી કલ્‍યાણ આશ્રમના કાર્યકર્તા અને ગુણસા ગામના કાર્યકર્તાઓના પ્રયાસથી રાનભાજી(જંગલી ભાજી)મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં 56 પ્રકારની વિવિધ શાકભાજી સ્‍વાદિષ્ટ રૂપે દેશી પદ્ધતિથી રાંધવામાં આવી હતી. જેનો દરેક કાર્યકર્તાઓએ સ્‍વાદ લીધો હતે અને કાચી શાકભાજી વેચવા રાખી હતી એ પણ ખરીદી હતી. આ અવસરે સેલવાસ, ખાનવેલ, સુરંગી, કૌંચા ગામના સહીત 250થી વધુ લોકો જોડાયા હતા. કાર્યક્રમમાં ભોજન અને તારપા, સાંબળ નૃત્‍યનો પણ આનંદ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વનવાસી કલ્‍યાણ આશ્રમના જનજાતિ સંપર્ક પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ રાઉત અને પ્રાંત સંગઠન મંત્રી શ્રી જગનભાઈ પવારનું માર્ગદર્શન આપતા જણાવ્‍યું હતું કે, શાક-રોટલી આપણો મુખ્‍ય ખોરાક છે. પરંતુ શાકભાજીના કેટલાક પ્રકારો જે આપણે જાણતા પણ નથી તે જંગલમાં વરસાદના સમયે જ થાય છે અને ઘણાં જ લાભદાયક અને આરોગ્‍યપ્રદ પણ હોય છે.

Related posts

‘રાષ્ટ્રીય સ્‍વયં સેવક સંઘ’ સેલવાસ દ્વારા પથ સંચલન કરાયું

vartmanpravah

ચીખલી તાલુકામાં વરસાદથી ડાંગરના પાકને થયેલ નુકસાનો સર્વે કરી સહાય ચુકવવા ખેડૂતોની માંગ

vartmanpravah

કેમિકલ લીકેજ અંગે વલસાડની અતુલ કંપનીમાં ઓફ સાઇટ મોકડ્રીલ યોજાઈ

vartmanpravah

વલસાડમાં આદિવાસી સંઘર્ષ મોરચા દ્વારા જમીન સહિતની પડતર માંગણીઓ માટે આદિવાસી સમાજ દ્વારા રેલી યોજાઈ

vartmanpravah

દીવ ન.પા. ચૂંટણીનું કાઉન્‍ટ ડાઉન શરૂઃ અનામત બેઠકો માટેનો ડ્રો સંપન્નઃ કુલ 06 બેઠકો મહિલાઓ માટે અનામતઃ વોર્ડ નં.13ની બેઠક અનુ.જાતિ મહિલા માટે આરક્ષિત જાહેર

vartmanpravah

વાપી વીઆઈએ દ્વારા નવનિયુક્‍ત કલેક્‍ટર નૈમેશ દવેનો સ્‍વાગત કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment