(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.22: દાદરા નગર હવેલીના રાંધા ગામે વનવાસી કલ્યાણ આશ્રમના કાર્યકર્તા અને ગુણસા ગામના કાર્યકર્તાઓના પ્રયાસથી રાનભાજી(જંગલી ભાજી)મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 56 પ્રકારની વિવિધ શાકભાજી સ્વાદિષ્ટ રૂપે દેશી પદ્ધતિથી રાંધવામાં આવી હતી. જેનો દરેક કાર્યકર્તાઓએ સ્વાદ લીધો હતે અને કાચી શાકભાજી વેચવા રાખી હતી એ પણ ખરીદી હતી. આ અવસરે સેલવાસ, ખાનવેલ, સુરંગી, કૌંચા ગામના સહીત 250થી વધુ લોકો જોડાયા હતા. કાર્યક્રમમાં ભોજન અને તારપા, સાંબળ નૃત્યનો પણ આનંદ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વનવાસી કલ્યાણ આશ્રમના જનજાતિ સંપર્ક પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ રાઉત અને પ્રાંત સંગઠન મંત્રી શ્રી જગનભાઈ પવારનું માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, શાક-રોટલી આપણો મુખ્ય ખોરાક છે. પરંતુ શાકભાજીના કેટલાક પ્રકારો જે આપણે જાણતા પણ નથી તે જંગલમાં વરસાદના સમયે જ થાય છે અને ઘણાં જ લાભદાયક અને આરોગ્યપ્રદ પણ હોય છે.