July 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ વનવાસી કલ્‍યાણ આશ્રમ દ્વારા રાંધામાં ‘રાનભાજી’ મહોઉત્‍સવ ઉજવાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.22: દાદરા નગર હવેલીના રાંધા ગામે વનવાસી કલ્‍યાણ આશ્રમના કાર્યકર્તા અને ગુણસા ગામના કાર્યકર્તાઓના પ્રયાસથી રાનભાજી(જંગલી ભાજી)મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં 56 પ્રકારની વિવિધ શાકભાજી સ્‍વાદિષ્ટ રૂપે દેશી પદ્ધતિથી રાંધવામાં આવી હતી. જેનો દરેક કાર્યકર્તાઓએ સ્‍વાદ લીધો હતે અને કાચી શાકભાજી વેચવા રાખી હતી એ પણ ખરીદી હતી. આ અવસરે સેલવાસ, ખાનવેલ, સુરંગી, કૌંચા ગામના સહીત 250થી વધુ લોકો જોડાયા હતા. કાર્યક્રમમાં ભોજન અને તારપા, સાંબળ નૃત્‍યનો પણ આનંદ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વનવાસી કલ્‍યાણ આશ્રમના જનજાતિ સંપર્ક પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ રાઉત અને પ્રાંત સંગઠન મંત્રી શ્રી જગનભાઈ પવારનું માર્ગદર્શન આપતા જણાવ્‍યું હતું કે, શાક-રોટલી આપણો મુખ્‍ય ખોરાક છે. પરંતુ શાકભાજીના કેટલાક પ્રકારો જે આપણે જાણતા પણ નથી તે જંગલમાં વરસાદના સમયે જ થાય છે અને ઘણાં જ લાભદાયક અને આરોગ્‍યપ્રદ પણ હોય છે.

Related posts

દમણ-દીવ અને દાદરા નગર હવેલીમાં હવે જાહેર જનતા માટે ઉદ્યાન, પાર્ક વગેરે પણ ખુલી રહ્ના છે અને પ્રદેશના બીચ અને બીચ રોડ વીક ઍન્ડ શનિ-રવિ અને જાહેર રજાને છોડતાં બાકીના તમામ દિવસોઍ ખુલ્લા રહેશે.

vartmanpravah

દાનહના લુહારી ગામનો માર્ગ અતિ બિસ્‍મારઃ ઔદ્યોગિક એકમોના માલિકો તથા આમજનતામાં ભારે આક્રોશ

vartmanpravah

વાપીમાં બુધવારે મળસ્‍કે 5.5 ઈંચ વરસાદ ખાબકતા શહેર પાણીમાં તરતુ થયું

vartmanpravah

ભારત દેશના બંધારણના ઘડવૈયા બાબા સાહેબ ડો.ભીમરાવ આંબેડકરજી જન્‍મજયંતી નિમિત્તે વલસાડ કલ્‍યાણ બાગ ખાતે પુષ્‍પાંજલિ અર્પણ કરાઈ

vartmanpravah

વાપી દમણગંગા કિનારે બિહાર એસોસિએશન દ્વારા આસ્‍થા સાથે ધૂમધામથી દ્વિતીય ચૈત્રી છઠ્ઠની ઉજવણી કરાઈ

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ના 62મા સ્‍થાપના દિવસની ઉજવણી આનંદ ઉત્‍સાહ અને ઉમંગ સાથે કરાઈ: – ગ્રામ પંચાયત મજબૂત થશે તો દેશ મજબૂત થશેઃ પૂર્વ સાંસદ લાલુભાઈ પટેલ

vartmanpravah

Leave a Comment