Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ વનવાસી કલ્‍યાણ આશ્રમ દ્વારા રાંધામાં ‘રાનભાજી’ મહોઉત્‍સવ ઉજવાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.22: દાદરા નગર હવેલીના રાંધા ગામે વનવાસી કલ્‍યાણ આશ્રમના કાર્યકર્તા અને ગુણસા ગામના કાર્યકર્તાઓના પ્રયાસથી રાનભાજી(જંગલી ભાજી)મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં 56 પ્રકારની વિવિધ શાકભાજી સ્‍વાદિષ્ટ રૂપે દેશી પદ્ધતિથી રાંધવામાં આવી હતી. જેનો દરેક કાર્યકર્તાઓએ સ્‍વાદ લીધો હતે અને કાચી શાકભાજી વેચવા રાખી હતી એ પણ ખરીદી હતી. આ અવસરે સેલવાસ, ખાનવેલ, સુરંગી, કૌંચા ગામના સહીત 250થી વધુ લોકો જોડાયા હતા. કાર્યક્રમમાં ભોજન અને તારપા, સાંબળ નૃત્‍યનો પણ આનંદ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વનવાસી કલ્‍યાણ આશ્રમના જનજાતિ સંપર્ક પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ રાઉત અને પ્રાંત સંગઠન મંત્રી શ્રી જગનભાઈ પવારનું માર્ગદર્શન આપતા જણાવ્‍યું હતું કે, શાક-રોટલી આપણો મુખ્‍ય ખોરાક છે. પરંતુ શાકભાજીના કેટલાક પ્રકારો જે આપણે જાણતા પણ નથી તે જંગલમાં વરસાદના સમયે જ થાય છે અને ઘણાં જ લાભદાયક અને આરોગ્‍યપ્રદ પણ હોય છે.

Related posts

રાજ્‍ય કાનૂની સેવા સત્તાધિકારી અને બાર એસોસિએશન દમણના સંયુક્‍ત ઉપક્રમે મોટી દમણની ફાધર એગ્નેલો સ્‍કૂલમાં કાનૂની જાગૃતતા શિબિર યોજાઈ

vartmanpravah

આઇ.સી.ડી.એસ અને આરોગ્‍ય વિભાગના સંયુકત ઉપક્રમે સુશાસન દિવસની ઉજવણી કરાઇ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયોઃ ખેડૂતોએ રોપણી શરૂ કરી

vartmanpravah

સરીગામના એકમોને હોનારત સમયે રક્ષણ પૂરું પાડવા એસઆઈએની ટીમે સ્‍ટેટમાં કાર્યરત મોટા એકમો વચ્‍ચે મ્‍યુચ્‍યુઅલ એડ એગ્રીમેન્‍ટ અને ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ પ્‍લાનિંગ માટે બોલાવેલી બેઠક

vartmanpravah

ગુજરાતમાં સૌ પ્રથમ પારડીના ઉમરસાડીમાં બની રહેલી ફલોટીંગ જેટીનું મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજીભાઈ પટેલે નાણામંત્રી કનુભાઈ દેસાઈ સાથે કરેલું નિરીક્ષણ

vartmanpravah

પારડી મામલતદાર અને પોલીસનું સરપ્રાઈઝ ચેકીંગ: સ્‍કૂલ નજીક ગુટખા વેચતા છ જેટલા દુકાનદારો દંડાયા

vartmanpravah

Leave a Comment