June 30, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

પવિત્ર શ્રાવણ મહિનામાં દાનહના વિવિધ શિવાલયોમાં ગુંજી રહેલો હર હર મહાદેવનોનાદઃ શિવભક્‍તો ભક્‍તિમાં તરબોળ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.06 : દાદરા નગર હવેલીમાં શ્રાવણ મહિનાના પહેલાં સોમવારથી દરેક શિવ મંદિરોમાં ભક્‍તોની ભારે ભીડ જોવા મળી રહી છે. પવિત્ર શ્રાવણ મહિનો એટલે ભગવાન શિવજીનો મહિનો કેહવામાં આવે છે, જેમાં ભાવિક ભક્‍તો દ્વારા તેઓની મનોકામના પૂર્ણ કરવા શિવાલયોમાં હર હર મહાદેવની ગૂંજ સાથે ભક્‍તિમાં તરબોળ બની જતા હોય છે. શ્રાવણ મહિના દરમ્‍યાન ભાવિક ભક્‍તો દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે અને દરેક સોમવારના દિને શિવાલયોમાં શિવજીના અનેરા દર્શનનો લાભ લેવા ભાવિક ભક્‍તોની ભીડ ઉમટી પડે છે. જેના ભાગરૂપે સેલવાસના આમલી વિસ્‍તારમાં આવેલ રામેશ્વર મહાદેવ, બોરીગામે આવેલ ગાજેશ્વર મહાદેવ, ખાનવેલ બિન્‍દ્રાબિન ગામે આવેલ તડકેશ્વર મહાદેવ મંદિરમાં ભાવિક ભક્‍તોની ભીડ જોવા મળી રહી છે. જ્‍યાં હર હર મહાદેવના નાદ સાથે ભાવિક ભક્‍તો શિવજીના દર્શન કરી આશીર્વાદ મેળવી ધન્‍યતા અનુભવી રહ્યા છે.

Related posts

દાનહ પીપરીયામાં નિર્માણાધીન ફલાય ઓવરબ્રીજ માટે કલેકટર દ્વારા ભારી વાહનોના અવર-જવર માટે ડાયવર્ઝન અંગે જારી કરાયેલો આદેશ

vartmanpravah

સેલવાસની લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલમાં સમ્રાટ પૃથ્‍વીરાજ ચૌહાણની જન્‍મ જયંતિ ઉજવાઈ

vartmanpravah

દાનહમાં રખોલી પુલ નજીક એક વ્‍યક્‍તિ નદીમાં ફસાઈ જતાં કરાયો રેસ્‍ક્‍યુ

vartmanpravah

ગુજરાતમાં એક માત્ર વલસાડ જિલ્લામાં ટીબીના દર્દીઓ માટે ઉપયોગી અદ્યતન XDR GenXpert મશીનનું જિલ્લા પંચાયતના પ્રમુખ અલકાબેન શાહના હસ્તે લોકાર્પણ

vartmanpravah

સેલવાસમાં રાજભાષા વિભાગ દ્વારા હિન્‍દી પખવાડિયા અંતર્ગત હિન્‍દી વક્‍તવ્‍ય સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વલસાડમાં જલારામ જ્‍યુસ સેન્‍ટરમાં વહેલી સવારે આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

Leave a Comment