October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

પવિત્ર શ્રાવણ મહિનામાં દાનહના વિવિધ શિવાલયોમાં ગુંજી રહેલો હર હર મહાદેવનોનાદઃ શિવભક્‍તો ભક્‍તિમાં તરબોળ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.06 : દાદરા નગર હવેલીમાં શ્રાવણ મહિનાના પહેલાં સોમવારથી દરેક શિવ મંદિરોમાં ભક્‍તોની ભારે ભીડ જોવા મળી રહી છે. પવિત્ર શ્રાવણ મહિનો એટલે ભગવાન શિવજીનો મહિનો કેહવામાં આવે છે, જેમાં ભાવિક ભક્‍તો દ્વારા તેઓની મનોકામના પૂર્ણ કરવા શિવાલયોમાં હર હર મહાદેવની ગૂંજ સાથે ભક્‍તિમાં તરબોળ બની જતા હોય છે. શ્રાવણ મહિના દરમ્‍યાન ભાવિક ભક્‍તો દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે અને દરેક સોમવારના દિને શિવાલયોમાં શિવજીના અનેરા દર્શનનો લાભ લેવા ભાવિક ભક્‍તોની ભીડ ઉમટી પડે છે. જેના ભાગરૂપે સેલવાસના આમલી વિસ્‍તારમાં આવેલ રામેશ્વર મહાદેવ, બોરીગામે આવેલ ગાજેશ્વર મહાદેવ, ખાનવેલ બિન્‍દ્રાબિન ગામે આવેલ તડકેશ્વર મહાદેવ મંદિરમાં ભાવિક ભક્‍તોની ભીડ જોવા મળી રહી છે. જ્‍યાં હર હર મહાદેવના નાદ સાથે ભાવિક ભક્‍તો શિવજીના દર્શન કરી આશીર્વાદ મેળવી ધન્‍યતા અનુભવી રહ્યા છે.

Related posts

ચીખલી 108-એમ્‍બ્‍યુલન્‍સ ટીમની પ્રસંશનીય કામગીરી

vartmanpravah

સીબીએસઈની ધોરણ 10ની પરીક્ષામાં પરિણામ નબળુ આવતાં દાનહની બે ખાનગી શાળાના વિદ્યાર્થીઓએ તણાવમાં આવી કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

વલસાડ હાઈવે ઉપરમોપેડ અને કાર વચ્‍ચે અકસ્‍માત સર્જાતા પતિ-પત્‍નીનું કરુણ મોત

vartmanpravah

ગ્રામ પંચાયત ખાતે VCE મારફતે રેશનકાર્ડને આધાર નંબર સાથે સીડ કરાવી e -KYC કરાવી શકાશે

vartmanpravah

વાંસદાના ધારાસભ્‍ય અનંત પટેલની કોંગ્રેસ સ્‍ટાર પ્રચારકોમાં પસંદગી કરાઈ

vartmanpravah

વાપી સરવૈયા નગરના રહિશો ખુલ્લા ટ્રાન્‍સફોર્મર અને ગંદકીના સામ્રાજ્‍યમાં જીંદગી જીવવા લાચાર

vartmanpravah

Leave a Comment